AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

corona update: કોરોનાએ ત્રીજી લહેર માટે વધારી ચિંતા, દેશમાં છેલ્લા 24 કલાકમાં નવા 44658 કેસ નોંધાયા

દેશમાં છેલ્લા બે દિવસથી કોરોનાના કેસની સંખ્યા વધતા ચિંતા ઉપજાવી છે. વિતેલા 24 કલાકમાં કોરોનાના નવા 44658 દર્દીઓ નોંધાયા છે, તો 496 દર્દીના મોત નિપજ્યા છે.

corona update: કોરોનાએ ત્રીજી લહેર માટે વધારી ચિંતા, દેશમાં છેલ્લા 24 કલાકમાં નવા 44658 કેસ નોંધાયા
દેશમાં કોરોનાના વધ્યા કેસ, એક જ દિવસમાં નોંધાયા નવા 44,658 કેસ
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 27, 2021 | 10:29 AM
Share

દેશમાં છેલ્લા ઘણા લાંબા સમયથી કોરોનાની (corona) બીજી લહેરમાં રાહત જેવી સ્થિતિ હતી, પરંતુ ફરી એક વખત કોરોનાની સ્થિતિ વધતી જણાય છે. માત્ર એક જ દિવસમાં 40 હજારથી વધુ નવા કેસ સામે આવ્યા છે. વિતેલા છેલ્લા 24 કલાકમાં કોરોનાના 44,658 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ, કોરોનાના સક્રિય કેસોની (Corona Active cases ) સંખ્યા ઝડપથી વધીને 3,44,899 થઈ ગઈ છે. એટલું જ નહીં, નવા કેસોમાં વધારો થવાને કારણે, સક્રિય કેસોની ટકાવારી પણ વધીને 1.06 ટકા થઈ છે, જે આ સપ્તાહની શરૂઆતમાં 1 ટકાથી ઓછી થઈ હતી. આના કારણે કોરોનાથી સાજા થવાનો રિકવરી રેટ પણ નીચે આવ્યો છે અને તે હવે 97.60% થઈ ગયો છે.

સાજા થતા લોકોની સંખ્યા ઘટી રહી છે, નવા કેસો વધી રહ્યા છે. કોરોનાના (corona) સક્રિય કેસોમાં વધારો થવાનું એક કારણ એ છે કે નવા કેસોની સરખામણીમાં સાજા થનારા લોકોની સંખ્યા ઘટી રહી છે. એક તરફ, છેલ્લા બે દિવસથી સતત 40 હજારથી વધુ કેસ મળી રહ્યા છે, જ્યારે સાજા થનારા લોકોની સંખ્યા ઓછી છે. છેલ્લા એક દિવસમાં 32,988 લોકોએ કોરોનાને હરાવ્યો છે. અગાઉ ગુરુવારે એક દિવસમાં 46 હજારથી વધુ નવા કેસ નોંધાયા હતા અને હવે ફરીથી સમગ્ર દેશમાં 44 હજાર કેસ મળવાથી ચિંતા વધી છે. દેશના તમામ રાજ્યોમાં શાળાઓ, જીમ અને મોલ જેવી સંસ્થાઓ ખોલવાની સાથે હવે કેસોમાં વધારો થતાં ચિંતા વધી છે. આવી સ્થિતિમાં, કોરોનાને લઈને જાહેર કરેલ માર્ગદર્શિકાનુ કડકાઈથી પલાન કરવાનો સમય ફરી એક વખત પાછો આવી ગયો છે.

આ પણ વાંચોઃ IND vs ENG: લીડ્ઝમાં રવિન્દ્ર જાડેજાને નામે થયો અનોખો રેકોર્ડ, સચિન તેંડુલકરની ડેબ્યૂ મેચમા રચાયેલ આ રેકોર્ડ 32 વર્ષે તૂટ્યો

આ પણ વાંચોઃ Maharashtra : મુંબઈ પોલીસના ડેપ્યુટી કમિશનર અને અન્ય બે પોલીસકર્મીઓ વિરુદ્ધ ગેરકાયદેસર વસૂલાતનો કેસ દાખલ,જાણો શું છે સમગ્ર મામલો ?

Follow Us
આજનું રાશિફળ: આજે વિદ્યાર્થીઓને મળશે સફળતાના સંકેત, જાણો તમારું રાશિફળ
આજનું રાશિફળ: આજે વિદ્યાર્થીઓને મળશે સફળતાના સંકેત, જાણો તમારું રાશિફળ
અમદાવાદમાં CG રોડ પર અકસ્માત અને મારપીટ, બુટલેગરનો પૌત્ર ઝડપાયો
અમદાવાદમાં CG રોડ પર અકસ્માત અને મારપીટ, બુટલેગરનો પૌત્ર ઝડપાયો
નેતાઓની હાજરીમાં ભાવનગરના લઠ્ઠકાંડ મામલે રાજભા ગઢવીએ કરી આ ટિપ્પણી
નેતાઓની હાજરીમાં ભાવનગરના લઠ્ઠકાંડ મામલે રાજભા ગઢવીએ કરી આ ટિપ્પણી
GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ
GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
મહેસાણામાં વિકાસ કામોની ગુણવત્તા પર રહેશે મનપાની સીધી નજર
મહેસાણામાં વિકાસ કામોની ગુણવત્તા પર રહેશે મનપાની સીધી નજર
g clip-path="url(#clip0_868_265)">