AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

corona update: કોરોનાએ ત્રીજી લહેર માટે વધારી ચિંતા, દેશમાં છેલ્લા 24 કલાકમાં નવા 44658 કેસ નોંધાયા

દેશમાં છેલ્લા બે દિવસથી કોરોનાના કેસની સંખ્યા વધતા ચિંતા ઉપજાવી છે. વિતેલા 24 કલાકમાં કોરોનાના નવા 44658 દર્દીઓ નોંધાયા છે, તો 496 દર્દીના મોત નિપજ્યા છે.

corona update: કોરોનાએ ત્રીજી લહેર માટે વધારી ચિંતા, દેશમાં છેલ્લા 24 કલાકમાં નવા 44658 કેસ નોંધાયા
દેશમાં કોરોનાના વધ્યા કેસ, એક જ દિવસમાં નોંધાયા નવા 44,658 કેસ
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 27, 2021 | 10:29 AM
Share

દેશમાં છેલ્લા ઘણા લાંબા સમયથી કોરોનાની (corona) બીજી લહેરમાં રાહત જેવી સ્થિતિ હતી, પરંતુ ફરી એક વખત કોરોનાની સ્થિતિ વધતી જણાય છે. માત્ર એક જ દિવસમાં 40 હજારથી વધુ નવા કેસ સામે આવ્યા છે. વિતેલા છેલ્લા 24 કલાકમાં કોરોનાના 44,658 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ, કોરોનાના સક્રિય કેસોની (Corona Active cases ) સંખ્યા ઝડપથી વધીને 3,44,899 થઈ ગઈ છે. એટલું જ નહીં, નવા કેસોમાં વધારો થવાને કારણે, સક્રિય કેસોની ટકાવારી પણ વધીને 1.06 ટકા થઈ છે, જે આ સપ્તાહની શરૂઆતમાં 1 ટકાથી ઓછી થઈ હતી. આના કારણે કોરોનાથી સાજા થવાનો રિકવરી રેટ પણ નીચે આવ્યો છે અને તે હવે 97.60% થઈ ગયો છે.

સાજા થતા લોકોની સંખ્યા ઘટી રહી છે, નવા કેસો વધી રહ્યા છે. કોરોનાના (corona) સક્રિય કેસોમાં વધારો થવાનું એક કારણ એ છે કે નવા કેસોની સરખામણીમાં સાજા થનારા લોકોની સંખ્યા ઘટી રહી છે. એક તરફ, છેલ્લા બે દિવસથી સતત 40 હજારથી વધુ કેસ મળી રહ્યા છે, જ્યારે સાજા થનારા લોકોની સંખ્યા ઓછી છે. છેલ્લા એક દિવસમાં 32,988 લોકોએ કોરોનાને હરાવ્યો છે. અગાઉ ગુરુવારે એક દિવસમાં 46 હજારથી વધુ નવા કેસ નોંધાયા હતા અને હવે ફરીથી સમગ્ર દેશમાં 44 હજાર કેસ મળવાથી ચિંતા વધી છે. દેશના તમામ રાજ્યોમાં શાળાઓ, જીમ અને મોલ જેવી સંસ્થાઓ ખોલવાની સાથે હવે કેસોમાં વધારો થતાં ચિંતા વધી છે. આવી સ્થિતિમાં, કોરોનાને લઈને જાહેર કરેલ માર્ગદર્શિકાનુ કડકાઈથી પલાન કરવાનો સમય ફરી એક વખત પાછો આવી ગયો છે.

આ પણ વાંચોઃ IND vs ENG: લીડ્ઝમાં રવિન્દ્ર જાડેજાને નામે થયો અનોખો રેકોર્ડ, સચિન તેંડુલકરની ડેબ્યૂ મેચમા રચાયેલ આ રેકોર્ડ 32 વર્ષે તૂટ્યો

આ પણ વાંચોઃ Maharashtra : મુંબઈ પોલીસના ડેપ્યુટી કમિશનર અને અન્ય બે પોલીસકર્મીઓ વિરુદ્ધ ગેરકાયદેસર વસૂલાતનો કેસ દાખલ,જાણો શું છે સમગ્ર મામલો ?

25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
g clip-path="url(#clip0_868_265)">