Coronavirus Update : રસીકરણની ગતિ ઓછી ન થાય રાજ્યો રાખે ધ્યાન : પીએમ મોદી
પ્રધાનમંત્રી ઓફિસ તરફથી રજૂ કરવામાં આવેલા ઓફિશિયલ નિવેદનના આધારે આ બેઠકમાં પીએમ મોદીએ કોરોનાની સ્થિતિ અંગે જાણકારી મેળવી જે અંતર્ગત તેમને બધા રાજ્યોની કોરોનાની સ્થિતિનો રિપોર્ટ સોંપવામાં આવ્યો.
Coronavirus Update : ભારતમાં કોરોના સંક્રમણન સતત વધી રહ્યુ છે. દેશભરમાંથી સંક્રમણના ચોકાવનારા આંકડા સામે આવી રહ્યા છે. ગુરુવારે કોરોના સંક્રમણના 4,12,262 નવા કેસ સામે આવ્યા છે. આ વચ્ચે પ્રધાનમંત્રી મોદીએ આજે કોરોનાની સ્થિતિ પર સમીક્ષા બેઠક કરી. પ્રધાનમંત્રી ઓફિસ તરફથી રજૂ કરવામાં આવેલા ઓફિશિયલ નિવેદનના આધારે આ બેઠકમાં પીએમ મોદીએ કોરોનાની સ્થિતિ અંગે જાણકારી મેળવી જે અંતર્ગત તેમને બધા રાજ્યોની કોરોનાની સ્થિતિનો રિપોર્ટ સોંપવામાં આવ્યો.
PMO એ પોતાના નિવેદનમાં જણાવ્યુ કે, આ બેઠકમાં પીએમ મોદીને 12 રાજ્યોમાં 1 લાખથી વધારે એક્ટિવ કેસની જાણકારી આપવામાં આવી. સાથે જ એ જિલ્લાઓ વિશે પણ જાણકારી આપવામાં આવી જ્યાં સંક્રમણના કેસ ઝડપથી વધી રહ્યા છે. આ દરમિયાન પીએમ મોદીએ હેલ્થકેયર ઇન્ફ્રાસ્ટ્રકચર પર રાજ્યોની મદદ કરવાનો નિર્દેશ આપ્યો છે. તેમેણે કહ્યુ કે, બધા રાજ્યો એ વાતનું ધ્યાન રાખે કે રસીકરણની ગતિ ઓછી ન થાય.
તેમણે કહ્યુ લોકડાઉન વચ્ચે પણ નાગરિકોને રસીકરણની સુવિધા આપવી જોઇએ અને રસીકરણમાં સામેલ આરોગ્યકર્મીઓને અન્ય કોઇ ડ્યૂટી માટે ડાયવર્ટ ન કરવા જોઇએ. બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને રક્ષામંત્રી રાજનાથ સિંહ સિવાય, નાણામંત્રી નિર્મલા સીતારમણ, આરોગ્યમંત્રી ડૉ. હર્ષવર્ધન, રેલવે મંત્રી પિયૂય ગોયલ અને મનસુખ માંડવિયા સાથે અન્ય મંત્રી અને ઉચ્ચ અધિકારી પણ ઉપસ્થિત રહ્યા.
પીએમ મોદી આવાનારા કેટલાક મહીનામાં કોરોના રસીનુ ઉત્પાદન વધારવા માટે રોડમેપ તૈયાર કરવાની પણ સમીક્ષા કરી. બેઠકમાં પ્રધાનમંત્રીને જણાવવામાં આવ્યુ કે, રાજ્યોને 17.7 કરોડ રસીનો સપ્લાઇ કરવામાં આવ્યો છે. આ સાથે પીએમે રસીની બર્બાદી રોકવા માટેના રાજ્યોના પ્રયાસોની પણ જાણકારી મેળવી.