Coronavirus Update : દિલ્લી માટે કેન્દ્ર સરકારે વધાર્યો ઓક્સિજન કોટા સીએમ કેજરીવાલે કહ્યું મદદ માટે આભાર
Coronavirus Update : દિલ્લીમાં ઉભી થઇ રહેલી ઓક્સિજનની ઉણપને જોતા હાઈકોર્ટની ફટકાર બાદ કેન્દ્ર સરકારે દિલ્લીમાં ઓક્સિજનનો કોટા વધારી દીધો છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જાણકારી આપતા કહ્યું કે કેન્દ્ર સરકારે દિલ્લીમાં ઓક્સિજનનો કોટા વધારી દીધો છે
Coronavirus Update : દિલ્લીમાં ઉભી થઇ રહેલી ઓક્સિજનની અછત જોતા કોર્ટની ફટકાર બાદ કેન્દ્ર સરકારે દિલ્લીમાં ઓક્સિજનનો કોટા વધારી દીધો છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જાણકારી આપતા કહ્યું કે કેન્દ્ર સરકારે દિલ્લીમાં ઓક્સિજનનો કોટા વધારી દીધો છે. તેમણે જણાવ્યું કે કેન્દ્ર સરકાર 480 ટન ઓક્સિજન ઉપલબ્ધ કરાવી રહી છે. અત્યારે ઓરિસ્સાથી પણ વધારે ઓક્સિજન લાવવાના પ્રયાસ થઇ રહ્યા છે.
આ સાથે જ સીએમ કેજરીવાલે સ્પષ્ટતા કરતા કહ્યું કે જો દિલ્લીમાં જરુરિયાત કરતા વધારે ઓક્સિજન હશે તો તેઓ બીજા રાજ્યોને પણ ઉપલબ્ધ કરાવશે. સાથે જ તેમણે ઉમેર્યુ કે જો દિલ્લીમાં કેસ ઓછા થઇ જશે અને બીજા રાજ્યોને ડૉક્ટર્સની જરુર હશે તો તેઓ ત્યાંથી ડૉક્ટર્સની ટીમ પણ મોકલશે
Delhi is facing Oxygen crisis for past few days. Centre fixes Oxygen quota for all states. As per Delhi govt's estimate, the UT needs 700 tons/day, Centre had fixed it to 378 tons earlier & increased it to 480 tons y'day. We need more but we're thankful to them for this: Delhi CM pic.twitter.com/Wdg6Gbti5S
— ANI (@ANI) April 22, 2021
સાથે જ તેમણે જણાવ્યું તે કેન્દ્ર સરકાર નક્કી કરે છે કે કઇ કંપની ઓક્સિજન કોટા આપશે . તેમણે કહ્યું કે રાજધાનીમાં ઓક્સિજન નથી બનતો બધો ઓક્સિજન બહારના રાજ્યોમાંથી લાવવો પડે છે. સાથે સીએમ કેજરીવાલે આરોપ લગાવતા કહ્યું કે ઓક્સિજનની કંપનીઓ જે રાજ્યોમાં છે તેમાંથી કેટલાક રાજ્યોની સરકારે દિલ્લીના કોટાનો ઓક્સિજન મોકલવા પર પ્રતિબંધ લગાવ્યો છે.
કેજરીવાલે આરોપ લગાવ્યો કે રાજ્ય સરકારોએ કહ્યું કે પહેલા તેઓ પોતાના રાજ્યોમાં ઓક્સિજનનો ઉપયોગ કરશે. તેમણે કહ્યું કે દિલ્લીના કોટાનો ઉપયોગ પણ તેઓ પોતાના રાજ્યોમાં કરશે અને ટ્રકને દિલ્લી નહી આવવા દે. આ સાથે જ તેમણે કેન્દ્ર અને દિલ્લી હાઇકોર્ટનો આભાર માનતા કહ્યું કે છેલ્લા 2-3 દિવસમાં દિલ્લી સરકારની ઘણી મદદ કરી છે. આ કારણે ઓક્સિજન દિલ્લી સુધી પહોંચવા લાગ્યો છે.