કોરોના વાયરસ: સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ નિર્ણય, 7 વર્ષથી ઓછી સજાવાળા કેદીઓને આપો પેરોલ
દેશમાં કોરોના વાયરસ મહામારીને જોતાં સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક પગલું ભર્યુ છે. સુપ્રીમ કોર્ટે જેલોમાં કેદીઓનો બોઝ ઓછો કરવાની જાહેરાત કરી છે. કોર્ટે કોરોના વાયરસના ખતરાને જોતાં તમામ રાજ્યો પાસેથી તેની પર રિપોર્ટ માગ્યો છે. Web Stories View more શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ નીતા અંબાણી સવાર થી […]
દેશમાં કોરોના વાયરસ મહામારીને જોતાં સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક પગલું ભર્યુ છે. સુપ્રીમ કોર્ટે જેલોમાં કેદીઓનો બોઝ ઓછો કરવાની જાહેરાત કરી છે. કોર્ટે કોરોના વાયરસના ખતરાને જોતાં તમામ રાજ્યો પાસેથી તેની પર રિપોર્ટ માગ્યો છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
ચીફ જસ્ટિસ બોબડેએ કહ્યું કે તમામ રાજ્ય એક હાઈ પાવર કમેટીનું ગઠન કરી વિચાર કરશે કે કયા કેદીઓને પેરોલ પર બહાર આવવા દેવામાં આવે અને કોને નક્કી સમય માટે વચગાળાના જામીન પર. તેમને કહ્યું કે ઘણા મામલામાં જેમને વધારેમાં વધારે 7 વર્ષની અથવા તેનાથી ઓછી સજા મળી છે, તેમને છૂટ આપી શકાય છે.
કોર્ટે સૂચન આપ્યું કે સાત વર્ષથી ઓછા સમય અને નાના ગુનાઓમાં સજા મેળવેલા દોષિતોને 6 અઠવાડિયા માટે પેરોલ આપવું યોગ્ય રહેશે. કોરોના વાયરસના કહેરને જોતાં છેલ્લા કેટલાક દિવસથી કોર્ટે ઐતિહાસિક પગલા ભરવાના સંકેત આપ્યા હતા. ચીફ જસ્ટિસ એસ.એ.બોબડેએ પણ દેશમાં વર્ચુઅલ કોર્ટ શરૂ કરવા અંગે પોતાનો મત વ્યક્ત કર્યો હતો.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
આ પણ વાંચો: કોરોના વાયરસ: રાજસ્થાન સરકારે ગુજરાત તરફથી આવતી તમામ બોર્ડરો કરી સીલ