Corona Virus: કોરોના મામલે કપિલ મિશ્રાએ CM કેજરીવાલ વિરુદ્ધ પોલીસ કમિશ્નરને કરી ફરિયાદ, FIRની માંગ
આમ આદમી પાર્ટી છોડીને ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયેલા કપિલ મિશ્રાએ બુધવારે દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવા માટે ફરિયાદ કરી છે.
Coronavirus: આમ આદમી પાર્ટી છોડીને ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયેલા કપિલ મિશ્રાએ બુધવારે દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવા માટે ફરિયાદ કરી છે. કપિલ મિશ્રાએ તેમને અપરાધિક ઉપેક્ષાના આરોપી કહ્યા છે. તેમણે ફરિયાદમાં કહ્યું કે મુખ્યમંત્રીની અપરાધિક બેદરકારીના કારણે દિલ્લીમાં અનેક લોકોના જીવ ગયા.
કપિલ મિશ્રાએ આ ફરિયાદ દિલ્હી પોલીસ કમિશ્નરને મેઈલ કર્યો છે. તેમણે કમિશ્નરને ત્રણ વિષયો પર તપાસ કરવાનો આગ્રહ કર્યો છે.
- બેદરકારીના કારણે મોત
- જાહેરાતમાં ભ્રષ્ટાચાર
- પીડિતોને વળતર
To file FIR against Delhi CM Kejriwal for causing several deaths by criminal negligence
mailed complaint to @CPDelhi for criminal investigation into :
1. Deaths due to negligence 2. Corruption in advertisement 3. Compensation to victims@AdvYuktiRathi @advmonikaarora pic.twitter.com/0bPgzSX9PC
— Kapil Mishra (@KapilMishra_IND) April 28, 2021
મેઈલ પર કરવામાં આવેલી ફરિયાદમાં હિંદુ ઈકોસિસ્ટમાં ફાઉન્ડર જણાવતા કપિલ મિશ્રાએ કહ્યું કે દિલ્હી સીએમની બેદરકારીના કારણે શહેરની હૉસ્પિટલમાં અનેક લોકોના જીવ ગયા. તેમણે કેજરીવાલ પર એ આરોપ પણ લગાવ્યો કે જયપુર ગોલ્ડન જેવી હૉસ્પિટલ જ્યાં ઓક્સિજનની ખરેખર જરુર હતી, ત્યાં ઓક્સિજન ન આપીને ડાયવર્ટ કરી દેવામાં આવ્યું, જે અપરાધિક બેદરકારી છે.
કપિલ મિશ્રાએ ફરિયાદમાં કહ્યું કે આઈનોક્સ અને જયપુર ગોલ્ડન હૉસ્પિટલ, બત્રા હૉસ્પિટલ અને ગંગારામ દ્વારા હાઈકોર્ટમાં આપેલુ નિવેદન સાફ છે કે ઓક્સિજન સપ્લાય દિલ્લી સરકારના ખોટા આદેશ અને અપરાધિક બેદરકારીના કારણે બાધિત થયા હતા.
આ પણ વાંચો: Rajkot: શાપરમાં ઓક્સિજન સિલિન્ડર લેવા આવનારને પોલીસનો ટેકો, મંડપ-પાણીની કરી વ્યવસ્થા