Corona Update : કોરોનાના કેસમાં સતત વધારો, મૃત્યુદરમાં 51 ટકાનો વધારો
ભારતમાં Corona વાયરસની બીજી લહેરમાં કોરોનાના કેસ ખૂબ ઝડપથી ફેલાય રહ્યા છે. કોરોના સંક્રમણમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં મળતી માહિતી મુજબ કોરોનાના સાપ્તાહિક કેસોમાં 51 ટકાનો વધારો નોંધવામાં આવ્યો છે. રોગચાળો શરૂ થયા પછીનો આ સૌથી મોટો ઉછાળો છે. આ અઠવાડિયા દરમિયાન, મૃત્યુ દર પણ 51 ટકા વધીને આંકડો 1875 એ પહોંચ્યો છે.. […]
ભારતમાં Corona વાયરસની બીજી લહેરમાં કોરોનાના કેસ ખૂબ ઝડપથી ફેલાય રહ્યા છે. કોરોના સંક્રમણમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં મળતી માહિતી મુજબ કોરોનાના સાપ્તાહિક કેસોમાં 51 ટકાનો વધારો નોંધવામાં આવ્યો છે. રોગચાળો શરૂ થયા પછીનો આ સૌથી મોટો ઉછાળો છે. આ અઠવાડિયા દરમિયાન, મૃત્યુ દર પણ 51 ટકા વધીને આંકડો 1875 એ પહોંચ્યો છે.. આ આંકડો 21-27 ડિસેમ્બર પછીનો સૌથી વધુ છે. રવિવારે 168 દિવસમાં સૌથી વધુ કોરોનાના 68,266 કેસ નોંધાયા છે. મહારાષ્ટ્રની વાત કરીએ તો એક જ દિવસમાં કોરોનાના 40,414 થી વધુ કોરોનાના કેસ નોંધાયા છે.
Corona ના કેસમાં ફરી એકવાર ઉછાળો આવ્યો
દેશમાં 22-28 માર્ચના અઠવાડિયામાં કોરોનાના કેસોની સંખ્યા 3.90,000 જેટલી હતી. નિષ્ણાતો કહે છે કે છેલ્લા ત્રણ અઠવાડિયામાં કોરોનાના કેસોમાં ત્રણ ગણો વધારો થયો છે. કોરોનાના દર્દીઓની કુલ સંખ્યા 12 લાખને વટાવી ગઈ છે, જ્યારે કોરોનાના સક્રિય કેસો 5 લાખથી વધુ છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનએ ગયા વર્ષે મેમાં સલાહ આપી હતી કે સરકારોએ એવા સમયે કન્ટેનમેન્ટ ઝોનમાં લોકડાઉનમાં છૂટછાટ આપવાનું વિચારવું જોઈએ જ્યારે પોઝિટિવિટી રેટ ઓછામાં ઓછો 14 દિવસ માટે માત્ર 5 ટકા કે તેથી ઓછો હોય.
રવિવારે સૌથી વધુ 68,266 Corona કેસ નોંધાયા હતા.
પંજાબ, મધ્યપ્રદેશ, કેરળ અને પુડુચેરી ચાર રાજ્યોમાં પોઝિટિવિટી દર 5 ટકાથી ઉપર છે. હિમાચલ પ્રદેશ, ગુજરાત, રાજસ્થાન, કર્ણાટક, પશ્ચિમ બંગાળ, તામિલનાડુ અને આંધ્રપ્રદેશમાં પણ કોરોનાના કેસો ઝડપથી વધી રહ્યા છે. શનિવાર સુધીમાં, ભારતમાં કોરોનારસીના 60 લાખથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે.
દેશમાં Corona ના દરરોજ નવા રેકોર્ડ્સ સ્થાપિત થઈ રહ્યા છે. આ રેકોર્ડમાં મહારાષ્ટ્ર અને પંજાબ સૌથી વધુ અસર ગ્રસ્ત રાજ્ય છે. આ રાજ્યોમાં કોરોનાના વધતા નવા કેસોએ કેન્દ્રની ચિંતામાં વધારો કર્યો છે. જેના પછી કેટલાક કારણો પણ બહાર આવ્યા છે. શનિવારે 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સાથેની ઉચ્ચ-સ્તરની બેઠક દરમિયાન કેન્દ્રએ કેટલાક મોટા કારણો આપ્યા છે.
મહારાષ્ટ્રના કુલ 36 જિલ્લામાંથી 26 સૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લા
આ પછી, કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે શનિવારે રાજ્યના આરોગ્ય સચિવો, મ્યુનિસિપલ કમિશનર અને 46 સૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લાઓના કલેક્ટરો સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. આ સમય દરમિયાન, કેન્દ્રએ એમ પણ કહ્યું હતું કે કોરોનાને કારણે થતાં 90 ટકા મૃત્યુ એવા દર્દીઓ હતા જેમની ઉંમર 45 વર્ષ કે તેથી વધુ છે.નોંધનીય છે કે મહારાષ્ટ્રના કુલ 36 જિલ્લામાંથી 26 સૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લાઓમાં કોરોનામાં છેલ્લા અઠવાડિયે આવેલા નવા કેસોમાં 59.8 ટકા હિસ્સો હતો.
આ બેઠક દરમિયાન, કેન્દ્રએ મહારાષ્ટ્ર અને પંજાબમાં સૌથી વધુ મોતની નોંધ લીધી છે. એટલું જ નહીં, સમાચારો અનુસાર, પુણા, ઓરંગાબાદ, નાગપુર અથવા યાવતમાલના જિલ્લા મેજિસ્ટ્રેટ્સ સાથે લાંબા સમયથી અલગ બેઠક પણ યોજવામાં આવી હતી.