AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Corona Update: દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 2,58,089 કેસ નોંધાયા, રિક્વરી રેટમાં પણ વધારો

સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે છેલ્લા 24 કલાકમાં 1,51,740 લોકોએ આ ખતરનાક બીમારીને માત આપી છે. ત્યારે 385 લોકોના કોરોનાના કારણે મોત થયા છે.

Corona Update: દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 2,58,089 કેસ નોંધાયા, રિક્વરી રેટમાં પણ વધારો
File Image
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 17, 2022 | 10:33 AM
Share

દેશમાં છેલ્લા કેટલાક દિવસથી સતત વધી રહેલા કોરોના (Covid 19)ના કેસો મામલે આજે થોડો ઘટાડો જોવા મળ્યો છે. ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઈરસ (Corona virus)ના 2,58,089 નવા કેસ સામે આવ્યા છે. આ આંકડો રવિવારના મુકાબલે ઓછો છે. ગઈકાલે કોરોના વાઈરસના 2,71,202 કેસ સામે આવ્યા હતા. સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે છેલ્લા 24 કલાકમાં 1,51,740 લોકોએ આ ખતરનાક બીમારીને માત આપી છે. ત્યારે 385 લોકોના કોરોનાના કારણે મોત થયા છે. તેની સાથે દેશમાં કોરોનાના કારણે જીવ ગુમાવનારાની સંખ્યા 4,86,451 થઈ ગઈ છે. કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોન (Omicron)ના કેસ ભારતમાં હવે 8,209 થઈ ગયા છે.

વેક્સિનેશનનો આંકડો 157 કરોડને પાર

કોરોનાનો નવો વેરિએન્ટ ઓમિક્રોન ઝડપથી ફેલાઈ રહ્યો છે. ઓમિક્રોનના કુલ કેસની સંખ્યા હવે 8,209 થઈ ગઈ છે. રવિવારની તુલનામાં તેમાં 6.02 ટકાનો વધારો નોંધાયો છે. કોરોના મહામારીથી અત્યાર સુધી કુલ 3,52,37,461 લોકો સાજા થઈ ચૂક્યા છે. કોરોનાની વિરૂદ્ધ ચલાવવામાં આવી રહેલા રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધી કુલ વેક્સિનેશનનો આંકડો 1,57,20,41,825 થઈ ગયો છે. ICMR મુજબ ભારતમાં રવિવારે કોરોના વાઈરસ માટે 13,13,444 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા. અત્યાર સુધી કુલ 70,37,62,282 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવી ચૂક્યા છે.

મહારાષ્ટ્રમાં કોરોનાના 41,327 નવા કેસ, 29 દર્દીઓના મોત

મહારાષ્ટ્રમાં રવિવારે કોરોનાના 41,327 નવા કેસ સામે આવ્યા, જ્યારે 29 દર્દીઓના મોત થયા છે. રાજ્યમાં સક્રિય કેસોની સંખ્યા વધીને 2,65,346 થઈ ગઈ છે. રવિવારે ઓમિક્રોનના 8 નવા કેસ રાજ્યમાં સામે આવ્યા છે. તેની સાથે જ રાજ્યમાં ઓમિક્રોનના કેસોની કુલ સંખ્યા 1,738 થઈ ગઈ.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 10,150 કેસ નોંધાયા

ગુજરાતમાં 16 જાન્યુઆરીના રોજ કોરોનાના(Corona)  નવા 10,150 કેસ નોંધાયા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં કોરોનાના લીધે આઠ લોકોએ જીવ ગુમાવ્યો છે. જેમાં અમદાવાદમાં સૌથી વધુ 3,264 નવા કેસ, જ્યારે સુરતમાં 2,464 નવા કોરોના કેસ નોંધાયા છે. રાજ્યમાં એક્ટિવ કેસનો આંકડો 63,610 પર પહોંચ્યો છે. જ્યારે 63, 610 દર્દીમાંથી 83 દર્દી વેન્ટિલેટર પર છે.

આ પણ વાંચો: અમેરિકામાં આતંકી ઘટનાને અંજામ આપનારો હતો બ્રિટિશ નાગરિક, પાકિસ્તાનની લેડી-અલ કાયદાને કહી દીધી બેન

આ પણ વાંચો: Uttarakhand Election 2022: ઉત્તરાખંડ કોંગ્રેસમાં ટિકિટ વિવાદ યથાવત, હરીશ અને પ્રીતમ સહમત નહી થાય તો રાહુલ ગાંધી નક્કી કરશે

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં થયો જુતાકાંડ, ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે
Breaking News: જામનગરમાં થયો જુતાકાંડ, ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">