AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Corona Update: દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 2,58,089 કેસ નોંધાયા, રિક્વરી રેટમાં પણ વધારો

સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે છેલ્લા 24 કલાકમાં 1,51,740 લોકોએ આ ખતરનાક બીમારીને માત આપી છે. ત્યારે 385 લોકોના કોરોનાના કારણે મોત થયા છે.

Corona Update: દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 2,58,089 કેસ નોંધાયા, રિક્વરી રેટમાં પણ વધારો
File Image
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 17, 2022 | 10:33 AM
Share

દેશમાં છેલ્લા કેટલાક દિવસથી સતત વધી રહેલા કોરોના (Covid 19)ના કેસો મામલે આજે થોડો ઘટાડો જોવા મળ્યો છે. ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઈરસ (Corona virus)ના 2,58,089 નવા કેસ સામે આવ્યા છે. આ આંકડો રવિવારના મુકાબલે ઓછો છે. ગઈકાલે કોરોના વાઈરસના 2,71,202 કેસ સામે આવ્યા હતા. સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે છેલ્લા 24 કલાકમાં 1,51,740 લોકોએ આ ખતરનાક બીમારીને માત આપી છે. ત્યારે 385 લોકોના કોરોનાના કારણે મોત થયા છે. તેની સાથે દેશમાં કોરોનાના કારણે જીવ ગુમાવનારાની સંખ્યા 4,86,451 થઈ ગઈ છે. કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોન (Omicron)ના કેસ ભારતમાં હવે 8,209 થઈ ગયા છે.

વેક્સિનેશનનો આંકડો 157 કરોડને પાર

કોરોનાનો નવો વેરિએન્ટ ઓમિક્રોન ઝડપથી ફેલાઈ રહ્યો છે. ઓમિક્રોનના કુલ કેસની સંખ્યા હવે 8,209 થઈ ગઈ છે. રવિવારની તુલનામાં તેમાં 6.02 ટકાનો વધારો નોંધાયો છે. કોરોના મહામારીથી અત્યાર સુધી કુલ 3,52,37,461 લોકો સાજા થઈ ચૂક્યા છે. કોરોનાની વિરૂદ્ધ ચલાવવામાં આવી રહેલા રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધી કુલ વેક્સિનેશનનો આંકડો 1,57,20,41,825 થઈ ગયો છે. ICMR મુજબ ભારતમાં રવિવારે કોરોના વાઈરસ માટે 13,13,444 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા. અત્યાર સુધી કુલ 70,37,62,282 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવી ચૂક્યા છે.

મહારાષ્ટ્રમાં કોરોનાના 41,327 નવા કેસ, 29 દર્દીઓના મોત

મહારાષ્ટ્રમાં રવિવારે કોરોનાના 41,327 નવા કેસ સામે આવ્યા, જ્યારે 29 દર્દીઓના મોત થયા છે. રાજ્યમાં સક્રિય કેસોની સંખ્યા વધીને 2,65,346 થઈ ગઈ છે. રવિવારે ઓમિક્રોનના 8 નવા કેસ રાજ્યમાં સામે આવ્યા છે. તેની સાથે જ રાજ્યમાં ઓમિક્રોનના કેસોની કુલ સંખ્યા 1,738 થઈ ગઈ.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 10,150 કેસ નોંધાયા

ગુજરાતમાં 16 જાન્યુઆરીના રોજ કોરોનાના(Corona)  નવા 10,150 કેસ નોંધાયા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં કોરોનાના લીધે આઠ લોકોએ જીવ ગુમાવ્યો છે. જેમાં અમદાવાદમાં સૌથી વધુ 3,264 નવા કેસ, જ્યારે સુરતમાં 2,464 નવા કોરોના કેસ નોંધાયા છે. રાજ્યમાં એક્ટિવ કેસનો આંકડો 63,610 પર પહોંચ્યો છે. જ્યારે 63, 610 દર્દીમાંથી 83 દર્દી વેન્ટિલેટર પર છે.

આ પણ વાંચો: અમેરિકામાં આતંકી ઘટનાને અંજામ આપનારો હતો બ્રિટિશ નાગરિક, પાકિસ્તાનની લેડી-અલ કાયદાને કહી દીધી બેન

આ પણ વાંચો: Uttarakhand Election 2022: ઉત્તરાખંડ કોંગ્રેસમાં ટિકિટ વિવાદ યથાવત, હરીશ અને પ્રીતમ સહમત નહી થાય તો રાહુલ ગાંધી નક્કી કરશે

Follow Us
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video
આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video
ઠગ બંટી-બબલીએ 15 લોકો પાસેથી 20 કરોડથી વધુની છેતરપિંડી કરી
ઠગ બંટી-બબલીએ 15 લોકો પાસેથી 20 કરોડથી વધુની છેતરપિંડી કરી
પરિવારમાં બધાની વાતોને ધ્યાનથી સાંભળો, મિત્રોને સહયોગી બનતા જોશો
પરિવારમાં બધાની વાતોને ધ્યાનથી સાંભળો, મિત્રોને સહયોગી બનતા જોશો
જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત
જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત
રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ
રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ
g clip-path="url(#clip0_868_265)">