Corona India : જો કોરોના સંકટને નિયંત્રિત કરવામાં નહીં આવે તો સ્થિતિ ભયાનક બનશે : વડાપ્રધાન મોદી

દેશમાં જ્યારે કોરોનાની ત્રીજી લહેરના ખતરાને લઈ લોકોમાં ભયનો માહોલ હજુ પણ બનેલો છે, ત્યારે આ વચ્ચે વડાપ્રધાન મોદીએ તમિલનાડુ, આંધ્રપ્રદેશ, કર્ણાટક, ઓડિશા, મહારાષ્ટ્ર અને કેરળનાં મુખ્યપ્રધાન સાથે વાત કરી.

Corona India : જો કોરોના સંકટને નિયંત્રિત કરવામાં નહીં આવે તો સ્થિતિ ભયાનક બનશે : વડાપ્રધાન મોદી
Prime Minister Narendra Modi
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 16, 2021 | 1:22 PM

દેશમાં જ્યારે કોરોનાની ત્રીજી લહેરના ખતરાને લઈ લોકોમાં ભયનો માહોલ હજુ પણ બનેલો છે, ત્યારે આ વચ્ચે વડાપ્રધાન મોદી (Prime Minister Narendra Modi) તમિલનાડુ, આંધ્રપ્રદેશ, કર્ણાટક, ઓડિશા, મહારાષ્ટ્ર અને કેરળનાં મુખ્યપ્રધાન સાથે વાત કરી.

આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું હતું કે, કયો ઉપાય તમારા રાજ્યમાં, શહેરમાં સારી રીતે કામ કરી શકે છે તેના પર ધ્યાન આપવાની અને અપનાવવાની જરૂર છે. દરેક જગ્યાની સ્થતિ અને જરૂરિયાતો અલગ અલગ છે. તેમણે ઉત્તર-પૂર્વનાં રાજ્યમાં કોરોનાને લઈ વેપારમાં થયેલા નુક્શાનને લઈ ચિંતા વ્યક્ત કરી હતી.

વડાપ્રધાન મોદીએ કહયું કે સ્થિતિને કાબુમા લાવવા માટે સહયોગની સાથે કામ કરવામાં આવે. બીજી લહેર પહેલાની સ્થિતિ આવી જ હતી. તેમણે માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન પર વધારે ભાર મુક્યો હતો. 6 રાજ્યમાં મુખ્યપ્રધાન સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે, મહારાષ્ટ્ર અને કેરળમાં વધતા કેસ ચિંતાજનક છે, આવા સમયમાં ત્રીજી લહેરને આવતી રોકવા માટે તમામ પ્રકારનાં પ્રયાસો શરૂ કરી દેવાયા છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

વડાપ્રધાનએ જણાવ્યું કે કોરોના ગાઈડલાઈન અનલોક થયા બાદ જે તસવીરો સામે આવી રહી છે તે ચિંતાજનક છે. તેમણે સજાગ, સતર્ક અને સખ્ત થવા માટે રાજ્યસરકારને સૂચના આપી હતી. મોદીએ ટેસ્ટ, ટ્રેક, ટ્રીટ અને ટીકાનો મંત્ર આપતા જણાવ્યું કે, રાજ્ય સરકારોએ સજાગ, સતર્ક અને સખ્ત થવાની જરૂર છે. અનલોક બાદની ભીડની સામે આવેલી તસવીરો ચિંતાજનક છે અને તે ત્રીજી લહેરની આશંકા બતાવે છે.

આ પહેલા મંગળવારે પી.એમ. મોદીએ કોરોનાની સ્થિતિને લઈ પૂર્વોત્તરનાં રાજ્યનાં મુખ્યમંત્રિયો સાથે વિડિયો કોન્ફરન્સિંગનાં માધ્યમથી સમીક્ષા બેઠક કરી હતી. આ દરમિયાન પી.એમ. મોદીએ જણાવ્યું હતું કે, બરાબર છે કે કોરોનાને લઈને પ્રવાસન, વેપાર-ધંધા ઘણા પ્રભાવિત થયા, પરંતુ હિલ સ્ટેશન, માર્કેટમાં વગર માસ્કે ફરવું, મોટી સંખ્યામાં ભીડ એકત્ર કરવી યોગ્ય નથી.

દુનિયાભરમાં અનેક દેશોમાં કોરોના વાયરસ (Coronavirus) ની ત્રીજી લહેરે (Third Wave) દસ્તક દીધી છે. ભારત પણ હવે ધીરે ધીરે તે તરફ આગળ વધી રહ્યું છે. તેને લઈને સરકાર સતત ચેતવણી આપી રહી છે. રાજ્ય સરકાર પણ દરેક રીતે તૈયારીમાં જોડાયેલી છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">