AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Corona: પહેલા સંક્રમિત થઈ ચૂકેલા લોકોનો કોરોના રિપોર્ટ ફરી પોઝિટિવ આવી રહ્યો છે, જાણો શું છે કારણ

કોરોના વાયરસની ત્રીજી લહેર દરમિયાન સંક્રમિત થયેલા કેટલાક લોકોમાં ફરીથી કોરોના સંક્રમણના કેસ નોંધાયા છે. આવા ઘણા દર્દીઓ સારવાર માટે હોસ્પિટલોમાં પહોંચી રહ્યા છે.

Corona: પહેલા સંક્રમિત થઈ ચૂકેલા લોકોનો કોરોના રિપોર્ટ ફરી પોઝિટિવ આવી રહ્યો છે, જાણો શું છે કારણ
Covid Test Kit
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 08, 2022 | 5:00 PM
Share

કોરોના વાયરસની (Coronavirus) ત્રીજી લહેર દરમિયાન સંક્રમિત થયેલા કેટલાક લોકોમાં ફરીથી કોરોના સંક્રમણના કેસ નોંધાયા છે. આવા ઘણા દર્દીઓ સારવાર માટે દિલ્હી NCRની હોસ્પિટલોમાં પહોંચી રહ્યા છે. ડોક્ટર્સનું કહેવું છે કે, કોરોનામાંથી સાજા થયા પછી પણ ઘણા લોકોમાં ડેથ વાયરસ હાજર (Dead virus) રહે છે. કોવિડ ટેસ્ટ કરાવવા પર આ લોકો ફરી પોઝિટિવ આવે છે. તેથી ગભરાવાની જરૂર નથી.

દિલ્હીની રાજીવ ગાંધી હોસ્પિટલના અજીત કુમાર કહે છે કે, ફરીથી સંક્રમણના કેટલાક કેસ આવી રહ્યા છે, પરંતુ લક્ષણો ખૂબ જ હળવા છે. લોકો ગળામાં દુખાવો અને ઉધરસની ફરિયાદ કરે છે. ટેસ્ટ કરાવવા પર તે પોઝિટિવ આવી રહ્યો છે. જો કે તે કોવિડ રીઇન્ફેક્શન નથી. કારણ કે જે દર્દીઓ આવ્યા છે તે 10 થી 12 દિવસ પહેલા જ કોરોનામાંથી સાજા થયા છે.

આ કિસ્સામાં, ફરીથી ચેપ ન હોઈ શકે. રિપોર્ટ પોઝિટિવ આવવાનું કારણ શરીરમાં હાજર ડેડ વાયરસ હોઈ શકે છે. આ સિવાય ઘણા કેસમાં ફોલ્સ પોઝિટિવનો કેસ પણ હોઈ શકે છે. ફોલ્સ પોઝિટિવ એટલે કે કોઈ વ્યક્તિએ ફ્લૂના લક્ષણો દર્શાવ્યા બાદ કોરોના ટેસ્ટ કરાવ્યો અને તેનો રિપોર્ટ ભૂલથી પોઝિટિવ આવ્યો. આવું ત્યારે થાય છે જ્યારે લેબમાં કોઈ ભૂલ હોય અથવા ટેસ્ટ દરમિયાન સેમ્પલે એવી કોઈ વસ્તુ સાથે ક્રોસ-પ્રતિક્રિયા કરી હોય જે કોરોના વાયરસ નથી.

બેક્ટેરિયલ ઈન્ફેક્શન પણ તેનું કારણ છે

વરિષ્ઠ ચિકિત્સક ડૉ. કમલજીત સિંહ કૈંથ કહે છે કે કોરોનાના તમામ લહેરમાં આવા કેસ જોવા મળ્યા છે, પરંતુ આ વખતે જે દર્દીઓ ફરીથી સંક્રમિત થઈ રહ્યા છે. તેમનામાં પહેલા જેવા જ લક્ષણો છે. ડોક્ટરના ના જણાવ્યા અનુસાર, કોરોના ટેસ્ટ બાદ જ્યારે દર્દીઓનું સીટી સ્કેન કે અન્ય કોઈ તપાસ કરવામાં આવી તો તેમાં બેક્ટેરિયલ ઈન્ફેક્શન જોવા મળ્યું.

આ ચેપને કારણે જ તેમનામાં કોવિડના લક્ષણો ફરીથી દેખાય છે અને ડેથ વાયરસની હાજરીને કારણે તેઓ ચેપગ્રસ્ત થાય છે. પણ એમાં ગભરાવાનું કંઈ નથી. જો ચેપગ્રસ્ત દર્દીને ત્રણ દિવસથી તાવ ન આવ્યો હોય અથવા ચાર-પાંચ દિવસથી કોરોનાના કોઈ લક્ષણો દેખાતા ન હોય તો ચિંતા કરવાની કોઈ વાત નથી. આ પ્રકારના દર્દીને બિન-ચેપી ગણવામાં આવે છે. એટલે કે આવા લોકોથી કોઈને ચેપ લાગશે નહીં. આ લોકો પોતાનું કામ સરળતાથી કરી શકે છે.

જાતે દવાઓ ન લો

ડૉ. કમલજીત કહે છે કે, હાલમાં ઘણા લોકો કોવિડ ટેસ્ટ ઘરે બેઠા કરે છે. આવી સ્થિતિમાં, જો કોઈ વ્યક્તિ ટેસ્ટમાં સંક્રમિત સામે આવે છે, તો તેણે ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. જો તમે ફરીથી પોઝિટિવ આવ્યા છો તો તમારે તમારી જાતે દવા લેવાનું ટાળવું જોઈએ. જો હળવો તાવ કે ઉધરસ હોય તો સીરપ અને પેરાસીટામોલ કામ કરી શકે છે. આ સિવાય અન્ય કોઈપણ દવા લેતા પહેલા તબીબી સલાહ લેવી જરૂરી છે.

102 દિવસ પછી જ ફરીથી ચેપ થઈ શકે છે

ICMRના વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, જે લોકોમાં 7 થી 14 દિવસ પછી ફરીથી લક્ષણો જોવા મળે છે. તેને રિઇન્ફેક્શન કહી શકાય નહીં. ICMR અભ્યાસ કહે છે કે જો કોરોનામાંથી સાજા થયાના 102 દિવસ પછી ચેપના લક્ષણો ફરી દેખાય છે અને રિપોર્ટ પોઝિટિવ આવે છે, તો તેને ફરીથી સંક્રમણ કહી શકાય.

આ પણ વાંચો: Maharashtra: હુમલા બાદ બીજેપી નેતા કિરીટ સોમૈયાએ કહ્યું- શિવસેનાના કાર્યકરોએ મારી હત્યાનો પ્રયાસ કર્યો, કડક કાર્યવાહી થવી જોઈએ

આ પણ વાંચો: BJP Vs Congress : ‘કોંગ્રેસે મુંબઈના કાર્યકરોને યુપી મોકલીને કોરોના ફેલાવવાનું પાપ કર્યું’, પીએમ મોદીના આ આરોપનો મહારાષ્ટ્રના નેતાઓએ આપ્યો જવાબ

રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
g clip-path="url(#clip0_868_265)">