AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Corona Update: દેશમાં 24 કલાકમાં નોંધાયા 1.79 લાખ કેસ, 65 ટકા નવા કેસ માત્ર 5 રાજ્યમાં, ઓમિક્રોન સંક્રમિતોની સંખ્યા 4 હજારને પાર

રવિવારે મહારાષ્ટ્રમાં સૌથી વધુ 44,388, પશ્ચિમ બંગાળમાં 24,287, દિલ્હીમાં 22,751, તમિલનાડુમાં 12,895 અને કર્ણાટકમાં 12,000 નવા કેસ નોંધાયા છે. નવા કેસોમાંથી 24.7 ટકા એકલા મહારાષ્ટ્રમાં છે.

Corona Update: દેશમાં 24 કલાકમાં નોંધાયા 1.79 લાખ કેસ, 65 ટકા નવા કેસ માત્ર 5 રાજ્યમાં, ઓમિક્રોન સંક્રમિતોની સંખ્યા 4 હજારને પાર
File photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 10, 2022 | 11:11 AM
Share

ભારતમાં (India) કોરોના (Corona) વાઈરસના 1,79,723 નવા કેસ નોંધાયા છે અને છેલ્લા 24 કલાકમાં 146 લોકોના મોત થયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના તાજેતરના ડેટા અનુસાર આ સમયગાળા દરમિયાન 46,569 લોકો કોરોનાને મ્હાત આપી છે. ચેપના નવા કેસ રવિવારની સરખામણીએ 12.6 ટકા વધુ છે.

નવા કેસ આવ્યા બાદ દેશમાં સંક્રમિત કેસોની કુલ સંખ્યા વધીને 3,57,07,727 થઈ ગઈ છે.  જેમાં લગભગ 3.45 કરોડ લોકો સાજા થઈ ગયા છે. દેશમાં રિકવરી રેટ હાલમાં 96.62 ટકા છે. તે જ સમયે, નવા કેસ પછી એક્ટિવ કેસોની સંખ્યા વધીને 7,23,619 થઈ ગઈ છે, જે કુલ કેસના 2.03 ટકા છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં કોરોનાને કારણે અત્યાર સુધીમાં 4,83,936 લોકોના મોત થયા છે, જે અત્યાર સુધીના કુલ કેસના 1.36 ટકા છે. દેશના માત્ર 5 રાજ્યોમાંથી 64.72 ટકા નવા કેસ નોંધાયા છે. તેમાંથી મહારાષ્ટ્રમાં સૌથી વધુ 44,388, પશ્ચિમ બંગાળમાં 24,287, દિલ્હીમાં 22,751, તમિલનાડુમાં 12,895 અને કર્ણાટકમાં 12,000 કેસ નોંધાયા છે. નવા કેસોમાંથી 24.7 ટકા એકલા મહારાષ્ટ્રમાં છે.

નવા કેસોમાં પોઝિટિવિટી દર 13.29 ટકા નોંધાયો હતો. તે જ સમયે સાપ્તાહિક પોઝિટિવિટી દર હાલમાં 7.92 ટકા છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) અનુસાર રવિવારે દેશભરમાં 13.52 લાખ સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. દેશમાં મહામારીની શરૂઆત થઈ ત્યારથી અત્યાર સુધીમાં 69.16 કરોડથી વધુ નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું છે.

ઓમિક્રોનથી સંક્રમિતોની સંખ્યા 4 હજારને વટાવી

તે જ સમયે, દેશમાં કોરોના નવા વેરિઅન્ટ ઓમિક્રોનથી સંક્રમિત લોકોની સંખ્યા પણ ઝડપથી ફેલાઈ રહી છે. સ્વાસ્થ્ય મંત્રાલયના ડેટા અનુસાર આ પ્રકારના 4,033 કેસ નોંધાયા છે, જેમાં 1,552 લોકો સાજા પણ થયા છે. ઓમિક્રોનથી સંક્રમિતોની સૌથી વધુ સંખ્યા મહારાષ્ટ્રમાં 1,216, રાજસ્થાનમાં 529, દિલ્હીમાં 513, કર્ણાટકમાં 441, કેરળમાં 333, ગુજરાતમાં 236 છે. અત્યાર સુધીમાં દેશના 27 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ઓમિક્રોન વેરિઅન્ટના કેસ નોંધાયા છે. રવિવારે, ઓમિક્રોનના 410 નવા કેસની પુષ્ટિ થઈ છે.

રસીકરણનો આંકડો લગભગ 152 કરોડ

દેશમાં કોરોના વાયરસ સામે ચાલી રહેલા રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં રસીના 151 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, રવિવારે દેશભરમાં 66.09 લાખ ડોઝ આપવામાં આવ્યા હતા. દેશમાં અત્યાર સુધીમાં 86.18 કરોડ લોકોને ઓછામાં ઓછો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 63.37 કરોડ લોકોને બંને ડોઝ આપવામાં આવ્યા છે.

દેશમાં સૌથી વધુ રસીકરણ ધરાવતું રાજ્ય ઉત્તર પ્રદેશ છે, ત્યારબાદ મહારાષ્ટ્ર છે. તે જ સમયે, 3 જાન્યુઆરીથી શરૂ કરીને 15-18 વર્ષની વય જૂથમાં અત્યાર સુધીમાં 2.38 કરોડ બાળકોને રસી આપવામાં આવી છે. આજથી, 60 વર્ષથી વધુ ઉંમરના લોકો, હેલ્થકેર વર્કર્સ અને ફ્રન્ટલાઈન વર્કરને પણ પ્રિકોશન ડોઝ આપવામાં આવશે.

આ પણ વાંચો : Booster Dose: દેશમાં આજથી કોરોનાનો બૂસ્ટર ડોઝ થશે શરૂ, આરોગ્ય કર્મચારીઓ સહિત આ લોકોનો છે સમાવેશ

આ પણ વાંચો : Jammu Kashmir: કુલગામમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, બે આતંકવાદીઓ ઠાર, હથિયારો અને દારૂગોળો જપ્ત

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં થયો જુતાકાંડ, ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે
Breaking News: જામનગરમાં થયો જુતાકાંડ, ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">