લ્યો બોલો ! કોંગ્રેસની યુટ્યુબ ચેનલ ડીલીટ, પાર્ટી રહી થઈ દંગ, કહ્યુ – અમે તપાસ કરીશું
Congress YouTube Channel: દેશની સૌથી જૂની પાર્ટી કોંગ્રેસની યુટયૂબ ચેનલ ડીલીટ થઈ ગઈ છે. જેના કારણે પાર્ટીના નેતાઓ પણ દંગ રહી ગયા છે. તેમણે કહ્યુ છે કે આ મામલે તપાસ કરવામાં આવશે.
દેશની સૌથી જૂની પાર્ટી કોંગ્રેસની યુટયૂબ ચેનલ (Congress YouTube Channel) ડીલીટ થઈ ગઈ છે. જેના કારણે પાર્ટીના નેતાઓ પણ દંગ રહી ગયા છે. તેમણે કહ્યુ છે કે આ મામલે તપાસ કરવામાં આવશે. કોંગ્રસ તરફથી એક નિવેદન આપવામાં આવ્યુ છે. જેમાં જણાવવામાં આવ્યુ છે કે, અમારી યૂટયુબ ચેનલ (YouTube) ‘ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ’ ડીલીટ થઈ ગઈ છે. પણ તેને બરાબર કરાવનો પ્રયત્ન કરી રહ્યા છે. આ મામલે અમે યૂટયુબ અને ગૂગલ સાથે વાતચીત કરી છે. તપાસ થઈ રહી છે કે અમારી યૂટયુબ ચેનલ અચાનક કઈ રીતે ડીલીટ થઈ ગઈ. અમે યૂટયુબ ચેનલને ફરી લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ કોઈ ટેકનિકલ ખામી કે રાજકીય ષંડયત્ર હોઈ શકે છે.
ભારતની 135 વર્ષ જૂની રાજકીય પાર્ટી કોંગ્રેસ પોતાના સૌથી ખરાબ સમયમાંથી પસાર થઈ રહી છે. પાર્ટીની અંદર પણ કઈ જ બરાબર કામ નથી થઈ રહ્યુ જેને કારણે પાર્ટીના નેતાઓ નારાજ છે. કોંગ્રસ દેશની સત્તા પરથી પણ દૂર છે. અનેક રાજ્યોમાં તેની સરકાર પડી રહી છે અને જનતા પણ તેને નકારી રહી છે. દેશની જનતા કોંગ્રસના ભૂતકાળના કૌભાંડોથી કંટાળીને તેનો વિકલ્પ શોધી રહી છે. જેને કારણે ચૂંટણીઓમાં તેના ઉમેદવારોની જામીન પણ જપ્ત થઈ રહી છે. ત્યારે કોંગ્રેસ હાલ દયનીય સ્થિતીમાં મુકાઈ છે.
કોંગ્રસે ટ્વિટ કરીને આપી માહિતી
Hi,
Our YouTube channel – ‘Indian National Congress’ has been deleted. We are fixing it and have been in touch with Google/YouTube teams.
We are investigating what caused this – a technical glitch or sabotage.
Hope to be back soon.
Team INC Social Media
— Congress (@INCIndia) August 24, 2022
કોંગ્રેસની ભારત જોડો યાત્રા પહેલા યૂટ્યુબ ચેનલ ડીલીટ
આ પહેલા પણ દેશમાં ઘણા મોટા નેતાઓના સોશિયલ મીડિયા એકાઉન્ટ હેક કે ડીલીટ થયા છે. કદાચ આ પહેલી ઘટના છે કે જ્યારે કોઈ રાજકીય પાર્ટીની યૂટયુબ ચેનલ ડિલીટ થઈ હોય. કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓમાં નારજગી છે. આ મામલે હેકિંગની શકયતા શેવાઈ રહી છે. આ મામલે તપાસ ચાલી રહી છે. કોંગ્રેસ પાર્ટી આખા દેશમાં ભારત જોડો યાત્રા શરુ કરવા જઈ રહી છે.આ યાત્રા 7 સપ્ટેમ્બરથી કન્યાકુમારીથી શરુ કરી દેશના 12 રાજયોમાંથી પસાર થઈ જમ્મુ-કશ્મીરમાં આ યાત્રા ખત્મ કરવાની છે.તેનું નેતૃત્વ રાહુલ ગાંધી કરવાના છે.