AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Congress Chintan Shivir: સોનિયા ગાંધીએ પીએમ મોદીનું નામ લઈને સરકાર પર પ્રહાર કર્યા, મોંઘવારી અને બેરોજગારી સહિતના મુદ્દા પર કરી વાત

ભાજપ (BJP) દેશની એકતાના વિચારને તોડી રહી છે, રાજકીય વિરોધીઓની સામે સરકારી એજન્સીઓનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. આજે દેશમાં લઘુમતીઓને સતત નિશાન બનાવવામાં આવી રહ્યા છે અને ભયનું વાતાવરણ ઊભું કરવામાં આવી રહ્યું છે.

Congress Chintan Shivir: સોનિયા ગાંધીએ પીએમ મોદીનું નામ લઈને સરકાર પર પ્રહાર કર્યા, મોંઘવારી અને બેરોજગારી સહિતના મુદ્દા પર કરી વાત
Sonia Gandhi
TV9 Gujarati
| Edited By: | Updated on: May 13, 2022 | 3:32 PM
Share

સોનિયા ગાંધીએ રાજસ્થાનના (Rajasthan) ઉદયપુરમાં કોંગ્રેસની ચિંતન શિબિરમાં કહ્યું કે, ચિંતન શિબિર પોતાનામાં ઐતિહાસિક છે, આ તે સમય છે જ્યારે આપણે દેશની વર્તમાન પરિસ્થિતિ અને પડકારોની ચર્ચા કરીએ છીએ. દેશના વર્તમાન વિષયો અને પક્ષના સંગઠન સ્તર પર ચિંતન કરવાની તક છે. વડાપ્રધાન મોદી (Narendra Modi) અને તેમની સરકારની વાસ્તવિકતા સામે આવી ગઈ છે. હાલમાં ભાજપ સરકારમાં સતત ધ્રુવીકરણનું વાતાવરણ સર્જાઈ રહ્યું છે. આજે દેશમાં લઘુમતીઓને સતત નિશાન બનાવવામાં આવી રહ્યા છે અને ભયનું વાતાવરણ ઊભું કરવામાં આવી રહ્યું છે.

ભાજપ દેશની એકતાના વિચારને તોડી રહી છે, રાજકીય વિરોધીઓની સામે સરકારી એજન્સીઓનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. ભાજપ જવાહરલાલ નેહરુના વિચાર અને બલિદાનને નકારીને ગાંધીજીના દેશમાં બંધારણીય માળખાને તોડવાનું કામ કરી રહી છે. દેશમાં નબળા વર્ગો, દલિતો, આદિવાસીઓ અને મહિલાઓ પર સતત અત્યાચાર થઈ રહ્યા છે, નાગરિક સમાજ અને મીડિયામાં ભયનું વાતાવરણ સર્જાયું છે.

નફરતની આગ ભડકાવવામાં આવી રહી છે

સોનિયા ગાંધીએ કહ્યું, દેશના બંધારણીય મૂલ્યોને ઘટાડવાની સાથે જ નફરતની આગ ભડકાવવામાં આવી રહી છે જે દેશની સામે એક ગંભીર સમસ્યા છે. દેશની મોટાભાગની વસ્તી ભાઈચારો, શાંતિ ઈચ્છે છે પરંતુ ભાજપ સતત સાંપ્રદાયિકતાનો વાયરસ ફેલાવી રહ્યું છે. દેશની આર્થિક સ્થિતિને જોતા યુવાનોને રોજગાર આપવી એ સરકારની પ્રાથમિકતા હોય તે જરૂરી છે, પરંતુ એવું થઈ રહ્યું નથી. દેશને નોટબંધીના મારનો સામનો કરવો પડ્યો છે. દેશના ખેડૂતો સાથે કોંગ્રેસ રોડથી સંસદ સુધી લડી છે.

તેમણે વધુમાં કહ્યું કે, દેશમાં મોંઘવારી, પેટ્રોલ અને ડીઝલની કિંમતો સતત વધી રહી છે, જેના કારણે કરોડો લોકોની કમર તૂટી ગઈ છે. કોંગ્રેસ સંગઠને સમયાંતરે દેશની સ્થિતિનો જવાબ પોતાની સુગમતા સાથે આપ્યો છે. આજે અમારૂ સંગઠન જે સંજોગોનો સામનો કરી રહી છે તે અસાધારણ છે અને તે જ રીતે તેનો સામનો કરી શકાય છે. અમારા સંગઠનને સુધારા, વ્યૂહરચનામાં ફેરફાર, માળખાકીય સુધારા અને સંગઠનમાં કામ કરવાની રીતમાં ફેરફારની સખત જરૂર છે.

સોનિયા ગાંધીએ કહ્યું કે કોંગ્રેસનું પુનરુત્થાન આપણા સામૂહિક પ્રયાસોથી જ થઈ શકે છે. ચિંતન શિબિર આ દિશામાં એક પ્રભાવશાળી પગલું છે. આજે આપણે આપણા અંગત હિતો અને આકાંક્ષાઓને સંગઠનના હિત હેઠળ રાખવાની છે, પક્ષે આપણને ઘણું આપ્યું છે, હવે ઋણ ચૂકવવાનો સમય આવી ગયો છે. દરેક વ્યક્તિએ અહીં ખુલ્લેઆમ પોતાના વિચારો રાખવા જોઈએ, પરંતુ સંગઠનની તાકાત અને એકતાનો સંદેશ બહાર જવો જોઈએ. વ્યક્તિગત અને સામૂહિક રીતે દેશના રાજકારણમાં અમે કોંગ્રેસને એવી જ ભૂમિકામાં લાવીશું જે દેશની જનતા અમારી પાસેથી અપેક્ષા રાખે છે.

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">