Congress Chintan Shivir: તમામ 6 સમિતિઓએ સોનિયા ગાંધીને રિપોર્ટ સોંપ્યો, બપોરે રાહુલ ગાંધી કરશે સંબોધન

કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC) 2024ની લોકસભા ચૂંટણી માટે રોડમેપ સહિત અન્ય જાહેરાતો કરવા માટે છ સમિતિઓ દ્વારા કરવામાં આવેલી ભલામણો પર વિચાર કરશે.

Congress Chintan Shivir: તમામ 6 સમિતિઓએ સોનિયા ગાંધીને રિપોર્ટ સોંપ્યો, બપોરે રાહુલ ગાંધી કરશે સંબોધન
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 15, 2022 | 1:03 PM

રાજસ્થાનના ઉદયપુરમાં કોંગ્રેસ દ્વારા આયોજિત કોંગ્રેસ ચિંતન શિબિરનો (Congress Chintan Shivir) આજે ત્રીજો અને છેલ્લો દિવસ છે. કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC) 2024ની લોકસભા ચૂંટણી માટે રોડમેપ સહિત અન્ય જાહેરાતો કરવા માટે છ સમિતિઓ દ્વારા કરવામાં આવેલી ભલામણો પર વિચાર કરશે. ચિંતન શિબિર માટે રચાયેલી તમામ 6 સમિતિઓએ પાર્ટીના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીને રિપોર્ટ સોંપ્યો છે. કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક ચાલી રહી છે, જેમાં આ સમિતિઓની દરખાસ્તોને મંજૂરી આપવામાં આવશે અને ત્યારબાદ પાર્ટીમાં ફેરફારની જાહેરાત કરવામાં આવશે.

સૂત્રોના હવાલાથી કહેવામાં આવી રહ્યું છે કે બપોરે 3 વાગ્યાની આસપાસ રાહુલ ગાંધીનું ભાષણ થશે. રાહુલ ગાંધીના ભાષણ દરમિયાન તેમને અધ્યક્ષ બનાવવાની માગ જોરશોરથી ઉઠશે. એવી પણ શક્યતા છે કે નેતાઓ રાહુલ ગાંધીને પાર્ટી અધ્યક્ષ પદ પર પાછા ફરવાની હિમાયત કરે. તેમજ આ વર્ષે સપ્ટેમ્બર મહિનામાં પાર્ટી અધ્યક્ષ માટે ચૂંટણીમાં ભાગ લેવો જોઈએ. આ પછી સોનિયા ગાંધીનું ભાષણ અને ત્યારબાદ આભારવિધિ કરવામાં આવશે. ત્રણ દિવસીય ઉદયપુર ચિંતન શિબિર આજે સાંજે જન ગણ સાથે સમાપ્ત થશે.

કોંગ્રેસે સોશિયલ એન્જિનિયરિંગનો માર્ગ અપનાવવાની તૈયારી કરી

સતત ચૂંટણી પરાજયના કારણે સૌથી કપરા તબક્કામાંથી પસાર થઈ રહેલી કોંગ્રેસ ફરી એકવાર નબળા વર્ગને પોતાની સાથે જોડવા માટે સોશિયલ એન્જિનિયરિંગનો માર્ગ અપનાવવાની તૈયારી કરી રહી છે. તે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, અન્ય પછાત વર્ગો અને લઘુમતી સમુદાયો માટે સંગઠનમાં દરેક સ્તરે 50 ટકા પ્રતિનિધિત્વની ખાતરી કરી શકે છે. પક્ષના ચિંતન શિબિરના બીજા દિવસે, આ વિષય પર સહમત થવાની સાથે, કોંગ્રેસે મહિલા અનામત માટેના ક્વોટાની જોગવાઈ પરના તેના વલણમાં ફેરફાર તરફ આગળ વધ્યું અને ખાનગી ક્ષેત્રમાં અનામતની હિમાયત કરવાનું મન બનાવ્યું.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

કોંગ્રેસે ખેડૂતોની લોન માફી કરીને દેવા મુક્તિનો સંકલ્પ લીધો

અર્થવ્યવસ્થાની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરતાં, તેમણે સરકારને વિશ્વ અને દેશની સ્થિતિને ધ્યાનમાં રાખીને આર્થિક નીતિઓ ફરીથી નક્કી કરવા માટે વિચારણા કરવા પણ આહ્વાન કર્યું હતું. ચિંતન શિબિરના બીજા દિવસે કોંગ્રેસે પણ ખેડૂતોને દેવામાંથી મુક્તિ અપાવવાનો સંકલ્પ લીધો હતો અને કહ્યું હતું કે હવે દેશમાં લઘુત્તમ ટેકાના ભાવ (MSP)ને કાયદાકીય અધિકાર મળવો જોઈએ અને ખેડૂત કલ્યાણ નિધિની પણ સ્થાપના થવી જોઈએ.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">