ક્યાંક કોરોના હોટસ્પોટ ન બને ગંગાસાગર મેળો ! આ રાજ્યમાં કોવિડના વધતા કેસ વચ્ચે મેળો યોજાતા વધી ચિંતા

દેશભરમાં કોરોનાના વધતા જતા કેસો વચ્ચે એવું લાગી રહ્યું હતું કે આ મેળો રદ થઈ જશે, પરંતુ કોલકત્તા હાઈકોર્ટે શુક્રવારે આ મેળાનું આયોજન કરવાની મંજૂરી આપતા તંત્રની ચિંતા વધી છે.

ક્યાંક કોરોના હોટસ્પોટ ન બને ગંગાસાગર મેળો ! આ રાજ્યમાં કોવિડના વધતા કેસ વચ્ચે મેળો યોજાતા વધી ચિંતા
Ganga Sagar Mela (File photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 09, 2022 | 4:14 PM

West Bengal : પશ્ચિમ બંગાળમાં કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે દર વર્ષે મકરસંક્રાંતિ પર યોજાતા ગંગા સાગર મેળાને (Gangasagar Mela) લઈને લોકોની ચિંતા વધી રહી છે. તમને જણાવી દઈએ કે, આ મેળો 12 જાન્યુઆરીથી 16 જાન્યુઆરી દરમિયાન યોજાશે. આ મેળામાં ભાગ લેવા માટે સંતો અને ભક્તો કોલકાતા (Kolkata) પહોંચવાનું શરૂ થઈ ગયુ છે. તેમના રોકાણ માટે કોલકાતાના આઉટરામ ઘાટ પર અસ્થાયી કેમ્પ પણ બનાવવામાં આવ્યો છે.

કોલકત્તા હાઈકોર્ટે ગંગા સાગર મેળાની આપી પરવાનગી

દેશભરમાં કોરોનાના વધતા જતા કેસો વચ્ચે એવું લાગી રહ્યું હતું કે આ મેળો રદ થઈ જશે, પરંતુ કોલકત્તા હાઈકોર્ટે(Kolkata Highcourt)  શુક્રવારે આ મેળાનું આયોજન કરવાની મંજૂરી આપતા તંત્રની ચિંતા વધી છે. જો કે, કોર્ટે શરતો મુકી છે કે મેળા દરમિયાન કોરોનાના નિયમોનું ચુસ્તપણે પાલન થવું જોઈએ,ત્યારે હાલ કોર્ટની પરવાનગી હોવા છતાં આ મેળામાં ભીડને લઈને કોરોના કેસ વધવાની આશંકા વર્તાઈ રહી છે.

તમને જણાવી દઈએ કે, મકરસંક્રાંતિ પર અહીં લાખો ભક્તો, મુનિઓ ગંગા અને સાગર નદીના સંગમમાં ડૂબકી લગાવે છે અને કપિલ મુનિ મંદિરમાં પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવે છે. કોર્ટે આશંકા વ્યક્ત કરી હતી કે આટલા બધા લોકો નદીના પાણીમાં નાહવાને કારણે કોરોના વાયરસ ફેલાશે અને અન્ય લોકોને પણ ચેપ લાગવાની શક્યતા છે. જો કે, રાજ્ય સરકારે દલીલ કરી હતી કે ખારા પાણીથી ચેપ ફેલાતો નથી.

માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !

ભીડભાડવાળી જગ્યાઓ પર પ્રતિબંધ હોવો જોઈએ

NMO પશ્ચિમ બંગાળના રાજ્ય પ્રમુખ ડો. પ્રભાત સિંહે (Dr. Prabhat Singh) કહ્યુ કે કોરોનાનું સંક્રમણ ઝડપથી વધી રહ્યુ છે. આવી સ્થિતિમાં, કોરોના પ્રોટોકોલનું પાલન કરવુ ખુબ જરૂરી છે. વધતા સંક્રમણને ધ્યાનમાં રાખીને લોકોએ સાવચેત રહેવુ જોઈએ, એક જગ્યાએ વધારે ભીડ એકઠી થાય તો તે જોખમી સાબિત થઈ શકે છે. પછી તે બજાર હોય કે ગંગાસાગરનો મેળો……! ઉલ્લેખનીય છે કે, ગંગાસાગર મેળામાં દર વર્ષ લાખોની જનમેદની ઉમટતી હોય છે.

ત્યારે હાલ કોરોનાના તાંડવ વચ્ચે આ ભીડને કારણે કોરોના સંક્રમણ વધારે ફેલાવવાની શક્યતા છે.વધુમાં ડો. પ્રભાત સિંહે જણાવ્યુ કે, મોટા ઉત્સવોની સાથે-સાથે થોડા સમય માટે મેળાવડા અને સરઘસ પર પણ રોક લગાવવાની જરૂર છે.

આ પણ વાંચો : Amit Shah Bengal Visit Postponed: કોરોના સંક્રમણના વધતા જતા કેસને જોતા અમિત શાહનો બંગાળ પ્રવાસ સ્થગિત

આ પણ વાંચો : શું મુંબઈ-દિલ્હીમાં આવી ગઈ ત્રીજી લહેર ? કોરોનાની ત્રીજી લહેરને લઈને વૈજ્ઞાનિકોનો ચિંતાજનક દાવો

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
g clip-path="url(#clip0_868_265)">