ખેડૂત આંદોલન પર સુપ્રીમ કોર્ટે બનાવી કમિટી, જાણો કોણ હશે સામેલ અને શું કરશે કામ?
કેન્દ્ર સરકારે પાસ કરેલા ત્રણ કૃષિ કાયદાઓ લાગૂ થવા પર સુપ્રીમ કોર્ટે રોક લગાવી દીધી છે. કોર્ટે મંગળવારે આ ફેંસલો સંભળાવ્યો હતો. સાથે જ હવે આ મામલાને ઉકેલવા માટે કમિટીનું ગઠન કરી દેવામાં આવ્યું છે.
કેન્દ્ર સરકારે પાસ કરેલા ત્રણ કૃષિ કાયદાઓ લાગૂ થવા પર સુપ્રીમ કોર્ટે રોક લગાવી દીધી છે. કોર્ટે મંગળવારે આ ફેંસલો સંભળાવ્યો હતો. સાથે જ હવે આ મામલાને ઉકેલવા માટે કમિટીનું ગઠન કરી દેવામાં આવ્યું છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર દ્વારા પસાર કરાયેલા ત્રણ કૃષિ કાયદાના અમલીકરણ પર સ્ટે મુક્યો છે. કોર્ટે આ નિર્ણય મંગળવારે આપ્યો હતો, આ મુદ્દાને હલ કરવા માટે સમિતિની પણ રચના કરવામાં આવી છે. આ સમિતિમાં કુલ ચાર લોકોનો સમાવેશ કરવામાં આવશે. આ સમિતિ આ મામલે મધ્યસ્થી કરવાનો પ્રયાસ કરશે નહીં, પરંતુ કોઈ નિરાકરણ શોધવાનો પ્રયત્ન કરશે.
સુપ્રીમ કોર્ટ દ્વારા રચાયેલી સમિતિમાં ભારતીય ખેડૂત સંઘના ભૂપેન્દ્રસિંહ માન, ખેડૂત સંગઠનના અનિલ ઘનવંત, કૃષિ અર્થશાસ્ત્રી અશોક ગુલાટી અને આંતરરાષ્ટ્રીય ખાદ્ય નીતિ સંશોધન સંસ્થાના પ્રમોદ કે. જોશી સામેલ છે. આ સમિતિ પોતાનો અહેવાલ સીધો સુપ્રીમ કોર્ટ સમક્ષ રજૂ કરશે, જ્યાં સુધી સમિતિનો અહેવાલ ન આવે ત્યાં સુધી કૃષિ કાયદાઓનો અમલ ચાલુ રહેશે.
સુપ્રિમ કોર્ટે કહ્યું – ખેડૂતોને સમિતિ સમક્ષ હાજર થવું પડશે
તમને જણાવી દઈએ કે મંગળવારની સુનાવણીમાં કમિટીનો ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને સમિતિ સમક્ષ હાજર ન થવા જણાવ્યું હતું. જો કે સુપ્રીમ કોર્ટે કડક વલણ અપનાવતાં કહ્યું હતું કે, જો આ મામલાનો ઉકેલ લાવવો હોય તો તેને સમિતિ સમક્ષ હાજર થવું પડશે. હવે દરેક મુદ્દા સમિતિ સમક્ષ ઉઠાવવામાં આવશે.
આ પણ વાંચો: STOCK UPDATE: આજના કારોબારમાં ક્યા શેર વધ્યા અને ક્યા ઘટ્યા? કરો એક નજર