AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jammu Kashmir: કુલગામમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, બે આતંકવાદીઓ ઠાર, હથિયારો અને દારૂગોળો જપ્ત

2022ની શરૂઆતથી જમ્મુ-કાશ્મીરમાં (Jammu Kashmir) કુલ 7 એન્કાઉન્ટર (Encounter) જોવા મળ્યા છે, જેમાં 13 આતંકવાદીઓ માર્યા ગયા છે.

Jammu Kashmir: કુલગામમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, બે આતંકવાદીઓ ઠાર, હથિયારો અને દારૂગોળો જપ્ત
File photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 10, 2022 | 7:44 AM
Share

જમ્મુ-કાશ્મીરના (Jammu Kashmir) કુલગામ જિલ્લામાં (Kulgam District) રવિવારે આતંકવાદીઓ (terrorists) અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઈ હતી. આ અથડામણમાં સુરક્ષાદળોએ બે આતંકીઓને ઠાર કર્યા હતા.

પોલીસ પ્રવક્તાએ જણાવ્યું હતું કે જિલ્લાના હસનપુરા  (Hasanpora) ગામમાં આતંકવાદીઓની હાજરીની માહિતી મળ્યા બાદ સુરક્ષા દળોએ સર્ચ અને કોર્ડન ઓપરેશન શરૂ કર્યું હતું. આ વર્ષની શરૂઆતથી અત્યાર સુધીમાં એટલે કે 9 દિવસમાં ખીણમાં કુલ 7 એન્કાઉન્ટર જોવા મળ્યા છે, જેમાં 13 આતંકવાદીઓ માર્યા ગયા છે.

પોલીસ મહાનિરીક્ષક વિજય કુમારે કહ્યું કે બંને આતંકવાદીઓ સ્થાનિક હતા અને લશ્કર-એ-તૈયબા (Lashkar-e-Taiba) સાથે જોડાયેલા ‘ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ’ સાથે સંકળાયેલા હતા. એટલું જ નહીં તે ઘણા આતંકવાદી ગુનાઓમાં પણ સામેલ હતો. જમ્મુ અને કાશ્મીર પોલીસે બંને આતંકીઓની ઓળખ શોપિયાંના આલમગંજના અમીર અહેમદ વાની (Amir Ahmad Wani) અને પુલવામાના ટિકેનના સમીર અહેમદ ખાન (Sameer Ahmad Khan) તરીકે કરી છે.

આતંકવાદી ગુનાના ઘણા કેસમાં સંડોવાયેલો હતો

પોલીસે જણાવ્યું હતું કે વાની એક વર્ગીકૃત આતંકવાદી હતો. જોકે, માર્યો ગયેલો બીજો આતંકવાદી તાજેતરમાં જ આતંકવાદી જૂથમાં જોડાયો હતો. બંને ઘણા આતંકવાદી ગુનાઓમાં સંડોવાયેલા જૂથનો ભાગ હતા. તેમની પાસેથી હથિયારો અને દારૂગોળો સહિત ઘણી વાંધાજનક સામગ્રી મળી આવી છે. તેમણે કહ્યું કે આતંકીઓ પાસેથી એક AK-47 અને એક પિસ્તોલ મળી આવી છે.

પોલીસે કહ્યું કે તેમને આત્મસમર્પણ કરવાનો સંપૂર્ણ વિકલ્પ આપવામાં આવ્યો હતો. પરંતુ તેઓએ સુરક્ષા દળો પર ગોળીબાર શરૂ કરી દીધો હતો. જે બાદ એન્કાઉન્ટર શરૂ થયું હતું. પોલીસ ઉપરાંત સેનાની 9 રાષ્ટ્રીય રાઈફલ્સ અને CRPF પણ આ ઓપરેશનનો ભાગ હતા. શ્રીનગરના શાલીમાર અને હરવાન વિસ્તારોમાં બે એન્કાઉન્ટરમાં એક ‘કમાન્ડર’ સહિત લશ્કર-એ-તૈયબાના બે આતંકવાદીઓને માર્યા ગયાના 24 કલાકની અંદર નવું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

બડગામ એન્કાઉન્ટરમાં ત્રણ આતંકીઓ માર્યા ગયા

આ પહેલા ગુરુવારે જમ્મુ અને કાશ્મીરના બડગામ જિલ્લામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણમાં જૈશ-એ-મોહમ્મદના ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા હતા. એક પોલીસ અધિકારીએ શુક્રવારે કહ્યું હતું કે બડગામ જિલ્લાના જોલવા ગામમાં ગુરુવારે મોડી રાત્રે એન્કાઉન્ટર શરૂ થયું હતું, જેમાં ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા હતા.

આ પણ વાંચો : Booster Dose: દેશમાં આજથી કોરોનાનો બૂસ્ટર ડોઝ થશે શરૂ, આરોગ્ય કર્મચારીઓ સહિત આ લોકોનો છે સમાવેશ

આ પણ વાંચો : જૈકલીન ફર્નાન્ડિઝે પ્રાઈવેટ ફોટા લીક થવા પર કહી મોટી વાત, કહ્યું કે ખરાબ સમયમાંથી પસાર થઈ રહી છું, આવું ન કરો

Follow Us
સાબરકાંઠા જિલ્લાના વાતાવરણમાં પલટો
સાબરકાંઠા જિલ્લાના વાતાવરણમાં પલટો
તાલાલા ગીરમાં અનેક ખેડૂતોએ સંતાનોની જેમ ઉછેરેલા આંબા કાપી નાખવા બન્યા
તાલાલા ગીરમાં અનેક ખેડૂતોએ સંતાનોની જેમ ઉછેરેલા આંબા કાપી નાખવા બન્યા
ભાવનગર શહેરમાં માવઠાનો માર, કેરીના પાકને ભારે નુકસાન- જુઓ Video
ભાવનગર શહેરમાં માવઠાનો માર, કેરીના પાકને ભારે નુકસાન- જુઓ Video
ખેડામાં કુદરતનો પ્રકોપ: ભર ઉનાળે 'અષાઢી' માહોલ
ખેડામાં કુદરતનો પ્રકોપ: ભર ઉનાળે 'અષાઢી' માહોલ
અમદાવાદની આ રેસ્ટોરન્ટની ગુજરાતી થાળીમાંથી મળી આવી ઈયળ
અમદાવાદની આ રેસ્ટોરન્ટની ગુજરાતી થાળીમાંથી મળી આવી ઈયળ
રાજકોટમાં સ્ટેમ્પ ડ્યુટી વિભાગના કર્મચારીએ રૂ. 5000 માંગ્યાનો આક્ષેપ
રાજકોટમાં સ્ટેમ્પ ડ્યુટી વિભાગના કર્મચારીએ રૂ. 5000 માંગ્યાનો આક્ષેપ
Skymetની આગાહી, કેવું રહેશે ચોમાસુ 2026 ? કયાં, કેવો વરસશે વરસાદ ?
Skymetની આગાહી, કેવું રહેશે ચોમાસુ 2026 ? કયાં, કેવો વરસશે વરસાદ ?
GPSCની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્ન અંગે સ્પષ્ટ જવાબ ન મળતા HC નારાજ
GPSCની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્ન અંગે સ્પષ્ટ જવાબ ન મળતા HC નારાજ
60 વર્ષથી વધુ અને 3 ટર્મ વાળાને નહીં મળે ટિકિટ, જુઓ Video
60 વર્ષથી વધુ અને 3 ટર્મ વાળાને નહીં મળે ટિકિટ, જુઓ Video
બાળકીના શંકાસ્પદ મોત મામલે હવે મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે બહાર કઢાયો
બાળકીના શંકાસ્પદ મોત મામલે હવે મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે બહાર કઢાયો
g clip-path="url(#clip0_868_265)">