DELHI: કેન્દ્રીય મંત્રી બન્યા બાદ Jyotiraditya Scindia નો પહેલો મોટો નિર્ણય, UDAN અંતર્ગત 8 નવી ફ્લાઇટ્સને આપી મંજુરી

UDAN અંતર્ગત નવી 8 ફ્લાઇટ્સને મંજૂરી આપવાનો આ નિર્ણય જ્યોતિરાદિત્ય સિંધિયા (Jyotiraditya Scindia) એ લીધેલા પ્રારંભિક નિર્ણયમાંનો એક છે, કેમ કે તેમણે ગયા અઠવાડિયે જ નાગરિક ઉડ્ડયન મંત્રાલય (Ministry of Civil Aviation) નો હવાલો સંભાળ્યો હતો.

DELHI: કેન્દ્રીય મંત્રી બન્યા બાદ  Jyotiraditya Scindia નો પહેલો મોટો નિર્ણય, UDAN અંતર્ગત 8 નવી ફ્લાઇટ્સને આપી મંજુરી
Civil Aviation Minister Jyotiraditya Scindia
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 11, 2021 | 7:45 PM

DELHI: કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયા(Jyotiraditya Scindia ) એ ગત રવિવારે ઉડ્ડયન મંત્રાલય (Ministry of Civil Aviation) નો હવાલો સંભાળ્યા બાદ એક અઠવાડિયામાં જ મધ્યપ્રદેશ (Madhya Pradesh) ના લોકોને એક મોટી ભેટ આપી છે.જ્યોતિરાદિત્ય સિંધિયાએ નાના શહેરોને મેટ્રો સાથે જોડવા માટે ઉડાન (UDAN) યોજના હેઠળ નવી ફ્લાઇટની જાહેરાત કરી છે. જ્યોતિરાદિત્ય સિંધિયાએ તેમના ગૃહરાજ્ય મધ્યપ્રદેશ માટે 8 નવી ફ્લાઇટ્સને મંજૂરી આપી છે. આ ફ્લાઇટ્સનું સંચાલન 16 જુલાઇથી શરૂ કરવામાં આવશે. તેમણે ગયા અઠવાડિયે જ નાગરિક ઉડ્ડયન મંત્રાલય (Ministry of Civil Aviation) નો હવાલો સંભાળ્યો હતો.

આ 8 નવી ફ્લાઇટ્સને મંજૂરી અપાઈ આ ફ્લાઇટ્સમાં ગ્વાલિયર-અમદાવાદ, સુરત-જબલપુર, ગ્વાલિયર-પુણે, ગ્વાલિયર-મુંબઇ ફ્લાઇટનો સમાવેશ થાય છે. પ્રાદેશિક કનેક્ટિવિટી યોજના UDAN અંતર્ગત કેન્દ્ર સરકાર એ યોજના પર કામ કરી રહી છે કે જેમાં રીઝર્વેશન વગરના અને ઓછા ટ્રાફિક વાળા 100 એરપોર્ટ્સનું સંચાલન થશે. UDAN યોજના હેઠળ ઓછામાં ઓછા 1000 હવાઈ માર્ગો શરૂ કરવાની યોજના છે. આ યોજનાનો ઉદ્દેશ દેશના દૂરના અને પ્રાદેશિક વિસ્તારોમાં કનેક્ટિવિટી વધારવાનો અને દેશના નાગરિકોને પોસાય તેવા વિમાનભાડામાં હવાઈ મુસાફરી આપવાનો છે.

IPL વચ્ચે ક્રિકેટર મલિંગાએ પત્ની સાથે શેર કર્યો રોમેન્ટિક વીડિયો, જુઓ
પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે

પ્રવાસન ઉદ્યોગને વેગ અને પ્રોત્સાહન મળશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) ના નેતૃત્વમાં શરૂ કરવામાં આવેલી આ UDAN યોજના કેન્દ્રની રાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન નીતિ (National Civil Aviation Policy) નો મોટો ભાગ છે. આ યોજના જૂન 2016 માં શરૂ કરવામાં આવી હતી. UDAN યોજના અંતર્ગત સામાન્ય લોકો માટે પોસાય તેવા વિમાનભાડામાં વિમાન મુસાફરી લાવવામાં આવી છે.

UDAN અંતર્ગત નવી 8 ફ્લાઇટ્સને મંજૂરી આપવાના જ્યોતિરાદિત્ય સિંધિયા (Jyotiraditya Scindia )ના આ નિર્ણયથી મધ્યપ્રદેશની સાથે અમદાવાદ, પુણે, મુંબઈ અને સુરતમાં પ્રવાસન ઉદ્યોગને વેગ અને પ્રોત્સાહન મળશે. આ નિર્ણય જ્યોતિરાદિત્ય સિંધિયા લીધેલા પ્રારંભિક નિર્ણયમાંનો એક છે, કેમ કે તેમણે ગયા અઠવાડિયે જ નાગરિક ઉડ્ડયન મંત્રાલય (Ministry of Civil Aviation) નો હવાલો સંભાળ્યો હતો.

આ પણ વાંચો : World Population Day 2021: આ છે દુનિયમાં સૌથી ઓછી વસ્તી ધરાવતા દેશો, એક દેશમાં તો માત્ર 800 લોકો જ રહે છે, તો પણ પોતાની સેના છે!

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">