AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

2 ફેબ્રુઆરીથી ‘સ્ટેચ્યુ ઓફ ઇક્વાલિટી’નો ઉદ્ઘાટન સમારોહ, રાજનાથ સિંહ અને મોહન ભાગવતને ચિન્ના જીયાર સ્વામીએ આમંત્રણ આપ્યું

'સ્ટેચ્યુ ઓફ ઇક્વલિટી' હૈદરાબાદના મુચિન્ટલ, શમશાબાદમાં 200 એકરથી વધુ જમીન પર બનાવવામાં આવી છે. 1000 મી વાર્ષિક ઉજવણી પ્રતિમાના અભિષેકની સાથે શરૂ થશે. સ્વામીજીની 216 ફૂટ ઉંચી પ્રતિમા બનાવવામાં આવી છે, જે વિશ્વની બીજી સૌથી ઉંચી પ્રતિમા છે.

2 ફેબ્રુઆરીથી 'સ્ટેચ્યુ ઓફ ઇક્વાલિટી'નો ઉદ્ઘાટન સમારોહ, રાજનાથ સિંહ અને મોહન ભાગવતને ચિન્ના જીયાર સ્વામીએ આમંત્રણ આપ્યું
chinna jeeyar swamy invites Rajnath Singh and RSS chief Mohan Bhagwat in inauguration ceremony of statue of equality February 2, 2022
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 16, 2021 | 4:00 PM
Share

Chinna Jeeyar Swami :શ્રી રામાનુજાચાર્ય સ્વામીની 1000 મી જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના પ્રમુખ મોહન ભાગવત અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહને ‘શ્રી રામાનુજ સહસ્ત્રબદી’ (Sri Ramanuja Sahasrabdi)ઉજવણી માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. ચિન્ના જીયાર સ્વામી અને માય હોમ ગ્રુપના ચેરમેન ડો.રામેશ્વર રાવ મોહન ભાગવત ( (Mohna Bhagwat))અને સંરક્ષણ મંત્રીને મળ્યા અને તેમને કાર્યક્રમ માટે આમંત્રણ આપ્યું હતું.

ચિન્ના જીયાર સ્વામી (Chinna Jeeyar Swamy)એ મોહન ભાગવત ( (Mohna Bhagwat))ને 13 દિવસની ઉજવણી માટે આમંત્રણ આપ્યું છે. શ્રી રામાનુજાચાર્ય સ્વામી (Sri Ramanujacharya Swami)ની સ્મૃતિ અને સન્માનમાં એક મોટું આયોજન થવા જઈ રહ્યું છે. 1000 મી વાર્ષિક ઉજવણી હૈદરાબાદ નજીક શમશાબાદ (Shamshabad )માં એક વિશાળ નવા આશ્રમમાં તેમની પ્રતિમાના અભિષેકથી શરૂ થશે. સ્વામીજીની 216 ફૂટ ઉંચી પ્રતિમા બનાવવામાં આવી છે, જે વિશ્વની બીજી સૌથી ઉંચી પ્રતિમા છે.

 આરએસએસના વડા મોહન ભાગવત સાથેની મુલાકાત દરમિયાન ચિન્ના જીયાર સ્વામી

આરએસએસના વડા મોહન ભાગવત સાથેની મુલાકાત દરમિયાન ચિન્ના જીયાર સ્વામી

રામાનુજાચાર્યે તમામ દેવી -દેવતાઓની પૂજા કરવાના અધિકારોની રક્ષા માટે અથાક પ્રયત્નો કર્યા છે. તેમની પ્રતિમાને “સમાનતાની પ્રતિમા” નામ આપવામાં આવ્યું છે. રામાનુજ સંપ્રદાયના વર્તમાન આધ્યાત્મિક વડા ત્રિદંડી ચિન્ના જીયાર સ્વામી (Chinna Jeeyar Swamy)એ રાજનાથ સિંહ (Rajnath Singh)અને મોહન ભાગવત(Mohna Bhagwat) ને 2 ફેબ્રુઆરીથી 14 ફેબ્રુઆરી, 2022 સુધી યોજાનારી ઉજવણીઓ વિશે માહિતી આપી હતી. આ બેઠક દરમિયાન શ્રીનિવાસ રામાનુજમ અને માય હોમના ચેરમેન ડો.રામેશ્વર રાવ પણ હાજર હતા.

ચિન્ના જીયાર સ્વામી અને માય હોમ ગ્રુપના ચેરમેન ડો. રામેશ્વર રાવ રાજનાથ સિંહને આમંત્રણ આપી રહ્યા છે.

ચિન્ના જીયાર સ્વામી અને માય હોમ ગ્રુપના ચેરમેન ડો. રામેશ્વર રાવ રાજનાથ સિંહને આમંત્રણ આપી રહ્યા છે.

આ પહેલા ચિન્ના જીયાર સ્વામી (Chinna Jeeyar Swamy) અને માય હોમ ગ્રુપના ચેરમેન (Chairman of My Home Group)ડો રામેશ્વર રાવે 13 દિવસના કાર્યક્રમ માટે કેન્દ્રીય માર્ગ અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી,કેન્દ્રીય પ્રવાસન અને સંસ્કૃતિ મંત્રી, જી. કિશન રેડ્ડીને આમંત્રણ આપવામાં આવ્યું હતું.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના વડા મોહન ભાગવતને પણ ચિન્ના જીયાર સ્વામીએ આમંત્રણ આપ્યું છે

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના વડા મોહન ભાગવતને પણ ચિન્ના જીયાર સ્વામીએ આમંત્રણ આપ્યું છે

કોણ હતા રામાનુજાચાર્ય? 

રામાનુજાચાર્યનો જન્મ તામિલનાડુ (Tamil Nadu)ના શ્રીપેરમ્બુદુરમાં 1017માં થયો હતો. તેમની માતાનું નામ કાંતિમતી અને પિતાનું નામ કેશવચાર્યુલુમાં હતુ. ભક્તો માને છે કે તેઓ ભગવાન આદિશેષનો અવતાર લીધો હતો. તેમણે કાંચી અદ્વૈત પંડિતો પાસેથી વેદાંતમાં શિક્ષણ મેળવ્યું હતું. તેમણે વિશિષ્ઠદ્વૈત વિચારધારા સમજાવી અને મંદિરોને ધર્મનું કેન્દ્ર બનાવ્યું. રામાનુજને યમુનાચાર્યએ વૈષ્ણવ દીક્ષા આપી હતી. તેમના પરદાદા અલવંદારુ શ્રીરંગમ વૈષ્ણવ મઠના પૂજારી હતા.’

નામ્બી’ નારાયણે રામાનુજને મંત્ર દીક્ષાનો ઉપદેશ આપ્યો. તિરુકોષ્ટિયારુએ ‘દ્વાયા મંત્ર’નું મહત્વ સમજાવ્યું અને રામાનુજમને મંત્રની ગુપ્તતા જાળવવા કહ્યું. પરંતુ રામાનુજને લાગ્યું કે ‘મોક્ષ’ થોડા લોકો સુધી મર્યાદિત ન હોવો જોઈએ, તેથી તે પુરુષો અને સ્ત્રીઓને સમાન રીતે પવિત્ર મંત્રની વહેંચણી કરવા માટે શ્રીરંગમ મંદિર ગોપુરમ પર પહોંચી ગયા.

રામાનુજાચાર્ય સ્વામી (Ramanujacharya Swami)પ્રથમ આચાર્ય હતા. જેણે સાબિત કર્યું કે સર્વશક્તિમાન સમક્ષ બધા સમાન છે. તેમણે દલિતો સાથે સમદ્રષ્ટી રાખી. તેમણે સમાજમાં અસ્પૃશ્યતા અને અન્ય દુર્ગુણોને દૂર કર્યા. તેમણે દરેકને ઈશ્વરની ઉપાસનાનો સમાન અધિકાર આપ્યો. તેમણે અસ્પૃશ્યો તરીકે ઓળખાતા બ્રાન્ડેડ લોકોને “તિરુકુલથાર” તરીકે ઓળખાવ્યા.

જેનો અર્થ છે “જન્મજાત દેવ” તેમને મંદિરની અંદર લઈ ગયા. તેમણે ભક્તિ આંદોલનની પહેલ કરી, તેમણે 120 વર્ષ સુધી અથાક પરિશ્રમ કરીને સાબિત કર્યું કે ભગવાન શ્રીમન્નારાયણ તમામ આત્માઓના કર્મ બંધનમાંથી મુક્ત કરનારા પરમ ઉદ્ધારક છે.

1800 ટનથી વધુ પંચ લોખંડનો ઉપયોગ

‘સ્ટેચ્યુ ઓફ ઇક્વલિટી’ હૈદરાબાદના મુચિન્ટલ, શમશાબાદમાં 200 એકરથી વધુ જમીન પર બનાવવામાં આવી છે. સહસ્રાહુન્દાત્મક લક્ષ્મી નારાયણ યજ્ઞ લોકોના કલ્યાણ માટે કરવામાં આવશે. મેગા ઇવેન્ટ માટે બનાવવામાં આવેલા 1035 હવન કુંડમાં લગભગ બે લાખ કિલો ગાયના ઘીનો ઉપયોગ કરવામાં આવશે. તે ચિન્ના જીયારનું સપનું છે કે “દિવ્ય સાકેતમ”, મુચિંતલની વિશાળ આધ્યાત્મિક સુવિધા ટૂંક સમયમાં વિશ્વ વિખ્યાત આધ્યાત્મિક સ્થળ તરીકે ઉભરી આવશે.

મેગા પ્રોજેક્ટ પર 1000 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. પ્રતિમા બનાવવા માટે 1800 ટનથી વધુ પંચ લોખંડનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પાર્કની આસપાસ 108 દિવ્યદેશમ અથવા મંદિરો બનાવવામાં આવ્યા છે. રાજસ્થાનમાં પથ્થરના સ્તંભો ખાસ કોતરવામાં આવ્યા છે.

આ પણ વાંચો : ચિન્ના જીયાર સ્વામીએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને ‘સ્ટેચ્યુ ઓફ ઈક્વાલિટી’ના ઉદ્ઘાટન માટે આપ્યું આમંત્રણ, 1000 કરોડના ખર્ચે બની પ્રતિમા

Follow Us
રોડ પર ડામર ગાયબ ને મસમોટા ખાડા! તંત્રના પેટનું પાણી કયારે હલશે?
રોડ પર ડામર ગાયબ ને મસમોટા ખાડા! તંત્રના પેટનું પાણી કયારે હલશે?
અમદાવાદના વસ્ત્રાલમાં વરુણદેવને રિઝવવા કરાયો પર્જન્ય યજ્ઞ
અમદાવાદના વસ્ત્રાલમાં વરુણદેવને રિઝવવા કરાયો પર્જન્ય યજ્ઞ
અમદાવાદમાં કાલે જગન્નાથજીની જળયાત્રા, 108 કળશથી થશે મહાભિષેક
અમદાવાદમાં કાલે જગન્નાથજીની જળયાત્રા, 108 કળશથી થશે મહાભિષેક
અમદાવાદ એરપોર્ટ પર 11 કરોડનું ડ્રગ્સ જપ્ત, એક મુસાફર ઝડપાયો
અમદાવાદ એરપોર્ટ પર 11 કરોડનું ડ્રગ્સ જપ્ત, એક મુસાફર ઝડપાયો
અસહ્ય ભેજ અને ગરમી વચ્ચે 2 થી 3 જુલાઈએ તૂટી પડશે 'વરસાદ'
અસહ્ય ભેજ અને ગરમી વચ્ચે 2 થી 3 જુલાઈએ તૂટી પડશે 'વરસાદ'
પાટણમાં વરઘોડા પર હુમલાનો આરોપ, પરિવારના સભ્યો ઈજાગ્રસ્ત
પાટણમાં વરઘોડા પર હુમલાનો આરોપ, પરિવારના સભ્યો ઈજાગ્રસ્ત
સુરેન્દ્રનગર ખાતે 36 દિવસમાં પુલના પોપડા ઉખડી પડતા ગ્રામજનોમાં રોષ
સુરેન્દ્રનગર ખાતે 36 દિવસમાં પુલના પોપડા ઉખડી પડતા ગ્રામજનોમાં રોષ
વરસાદ ખેંચાતા વડોદરાનો જીવાદોરી સમાન આજવા ડેમ તળિયા ઝાટક
વરસાદ ખેંચાતા વડોદરાનો જીવાદોરી સમાન આજવા ડેમ તળિયા ઝાટક
ઉચ્ચ સરકારી અધિકારીઓના બાંધકામ પર દાદાનુ બૂલડોઝર ચાલ્યું, જુઓ વીડિયો
ઉચ્ચ સરકારી અધિકારીઓના બાંધકામ પર દાદાનુ બૂલડોઝર ચાલ્યું, જુઓ વીડિયો
અફઘાનિસ્તાનમાં આવ્યો ભૂંકપ, ભારતના શહેરો ધ્રુજ્યા
અફઘાનિસ્તાનમાં આવ્યો ભૂંકપ, ભારતના શહેરો ધ્રુજ્યા
g clip-path="url(#clip0_868_265)">