AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

China on Amit Shah Visit: અમિત શાહની અરુણાચલ મુલાકાતથી ચીનાઓને લાગ્યા મરચા, જાણો શું કહ્યું?

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અરુણાચલ પ્રદેશની 2 દિવસની મુલાકાતે છે. જેના કારણે ચીનને મરચા લાગ્યા છે. ચીને પણ આ મુલાકાતનો વિશે પોતાનું નિવેદન આપ્યું છે.

China on Amit Shah Visit: અમિત શાહની અરુણાચલ મુલાકાતથી ચીનાઓને લાગ્યા મરચા, જાણો શું કહ્યું?
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 10, 2023 | 6:39 PM
Share

દેશના ગૃહમંત્રી અમિત શાહ અરુણાચલ પ્રદેશના પ્રવાસે છે. આનાથી ચીન ખરાબ રીતે પરેશાન છે. તેમણે અમિત શાહની અરુણાચલની મુલાકાત સામે વાંધો ઉઠાવ્યો છે અને આ મુલાકાતને સાર્વભૌમત્વનું ઉલ્લંઘન ગણાવ્યું છે. તાજેતરમાં ચીનના અરુણાચલ પ્રદેશમાં ઘણી જગ્યાઓના નામ બદલવામાં આવ્યા હતા. ભારતે તેનો સખત વિરોધ કર્યો હતો. ચીન અરુણાચલ પ્રદેશને પોતાનું હોવાનો દાવો કરે છે.

આ પણ વાંચો: US China Clash : અરુણાચલ પ્રદેશ ભારતનું અભિન્ન અંગ, ખોટી વાત ન કરો, ચીને બદલ્યું નામ તો ગુસ્સે થયું અમેરિકા

ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા વાંગ વેનબિને એક પ્રશ્નના જવાબમાં આ પ્રતિક્રિયા આપી છે. વાંગે આ સવાલના જવાબમાં કહ્યું છે કે ‘જાંગનાન ચીનનો હિસ્સો છે.’ વાંગે ચર્ચા દરમિયાન કહ્યું છે કે ભારતના ગૃહમંત્રીએ ચીનના ભાગ ઝાંગનાનની મુલાકાત લઈને ચીનની પ્રાદેશિક સંપ્રભુતાનું ઉલ્લંઘન કર્યું છે. વાંગે ચેતવણીના સૂરમાં કહ્યું કે આ સમયગાળો સરહદ પર શાંતિ માટે અનુકૂળ નથી.

અમિત શાહ આજે અરુણાચલ પ્રદેશમાં ‘વાઈબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ’નું ઉદ્ઘાટન કરશે. આ સાથે તે ITBPના કાર્યક્રમમાં પણ ભાગ લેશે. શાહ અરુણાચલ પ્રદેશના અંજાવ જિલ્લાના સરહદી ગામ કિબિતુ ખાતે ‘વાઈબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ’ લોન્ચ કરશે.

અહીંના લોકોને બહાર જવાની ફરજ ન પડે

વાઈબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ હેઠળ અરુણાચલ પ્રદેશ, સિક્કિમ, ઉત્તરાખંડ, હિમાચલ અને લદ્દાખના 19 જિલ્લાના 46 બ્લોકમાં 2967 સરહદી ગામડાઓમાં જીવનધોરણ સુધારવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આનો હેતુ એ છે કે અહીંના લોકોને બહાર જવાની ફરજ ન પડે.

ચીને અરૂણાચલ પ્રદેશના 11 જગ્યાઓના નામ બદલ્યા

તમને જણાવી દઈએ કે તાજેતરમાં અરુણાચલ પ્રદેશના તવાંગ સેક્ટરમાં ચીની અને ભારતીય સૈનિકો વચ્ચે સામસામે આવી ગયાની ઘટના બની હતી. જે બાદ બંને દેશો વચ્ચેના સંબંધો વધુ તંગ બની ગયા હતા. જ્યારે તાજેતરમાં ચીને અરુણાચલ પ્રદેશમાં 11 સ્થળોના નામ બદલી નાખ્યા હતા. આ પહેલા પણ ચીને આવું કૃત્ય કર્યું છે. 2017 અને 2021માં પણ ચીને 6 અને 15 જગ્યાઓના નામ બદલ્યા છે. ચીનના આ કૃત્ય બાદ જ ગૃહમંત્રીની મુલાકાત ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

અમેરિકાએ પહેલા પણ ચીનને ચેતવ્યું હતું

અરુણાચલ પ્રદેશ ભારતનો અભિન્ન અંગ છે. અમે તેના વિસ્તારોના નામ બદલીને પોતાનો દાવો કરવાના પ્રયાસનો સખત વિરોધ કરીએ છીએ, આ નિવેદન ભારતીય વિદેશ મંત્રાલય અથવા ભારતના કોઈ રાજકારણી અથવા અધિકારીનું નથી. વ્હાઈટ હાઉસ તરફથી આ કડક નિવેદન આવ્યું છે. હવે કદાચ ચીનને શરમ આવવી જોઈએ. પરંતુ આવું થશે નહીં કારણ કે આવું પહેલીવાર નથી થઈ રહ્યું. આ સમયે ચીન તેના નવા મિત્ર રશિયા વિશે બડાઈ કરી રહ્યું છે. પરંતુ તે નથી ઈચ્છતા કે ભારત સાથે તેની વફાદારી તેના(ચીન)થી પણ જૂની હોય.

Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
g clip-path="url(#clip0_868_265)">