કોરોના સામે લડવા પૂર્વોત્તર રાજ્યોને કેન્દ્ર સરકાર આપશે 1,300 કરોડની આર્થિક સહાય, આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કરી જાહેરાત

સમીક્ષા બેઠક બાદ પત્રકાર પરિષદમાં મંત્રીએ કહ્યું, "આ નાણાંનો ઉપયોગ પ્રદેશના રાજ્યો દ્વારા રસીકરણ અભિયાનને વધુ તીવ્ર બનાવવા માટે પણ કરવામાં આવશે."

કોરોના સામે લડવા પૂર્વોત્તર રાજ્યોને કેન્દ્ર સરકાર આપશે 1,300 કરોડની આર્થિક સહાય, આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કરી જાહેરાત
Central government to provide Rs 1,300 crore financial assistance to northeastern states to fight Corona, announces Health Minister Mansukh Mandvia
Follow Us:
Smit Sojitra
| Edited By: | Updated on: Aug 18, 2021 | 9:10 PM

કોરોના(corona) મહામારી સામે હજુ પણ ગંભીર રીતે ઝઝુમી રહેલા ઉત્તર પૂર્વીય રાજ્યો(northeastern states)ની પરિસ્થિતિનુ મુલ્યાંકન કરવા કેન્દ્રીય આરોગ્ય મંત્રી(Health Minister) દ્વારા ઉત્તર પૂર્વીય રાજ્યોની મુલાકાત લેવામાં આવી હતી. અને રાજ્યોની વર્તમાન આરોગ્ય પરિસ્થિતિનુ પણ નિરિક્ષણ કર્યુ હતુ. અને ઉત્તર પૂર્વીય રાજ્યોને માટે 1,300 કરોડ રૂપિયાનું આર્થિક પેકેજ પણ જાહેર કર્યુ હતુ.

કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ મંગળવારે કહ્યું કે કેન્દ્ર સરકાર કોવિડ -19 મહામારીનો સામનો કરવા માટે પૂર્વોત્તરના રાજ્યોને 1,300 કરોડ રૂપિયાનું આર્થિક પેકેજ આપશે.ઉત્તર પૂર્વીય રાજ્યો(northeastern states )ના આરોગ્ય પ્રધાનો સાથે ગુવાહાટીમાં કોવિડ -19 ની પરિસ્થિતિની સમીક્ષા કરતી વખતે માંડવિયાએ જણાવ્યું હતું કે આ પેકેજ સ્થાનિક અને જિલ્લા કક્ષાની હોસ્પિટલોમાં દવાઓની પ્રાપ્તિ, ઓક્સિજન પુરવઠો સુધારવામાં અને બેડ (સામાન્ય, આઈસીયુ અને બાળકો માટે)ની સંખ્યા વધારવા માટે સહાય પૂરી પાડવામાં મદદ કરશે.

સમીક્ષા બેઠક બાદ પત્રકાર પરિષદમાં મંત્રીએ કહ્યું કે, આ નાણાંનો ઉપયોગ પ્રદેશના રાજ્યો દ્વારા રસીકરણ અભિયાનને વધુ તીવ્ર બનાવવા માટે પણ કરવામાં આવશે.ભારત સરકાર રાજ્યોને પૂરતી રસીઓ આપવા માટે પ્રતિબદ્ધ છે. ઉત્તરપૂર્વમાં રોગચાળાની બીજી લહેર લંબાવવાના સંદર્ભમાં, કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે બીજા ભાગની સરખામણીમાં આ પ્રદેશમાં બીજી લહેર મોડી ટોચ પર પહોંચી હતી. એ જ કારણે તેને ધીમી થવામાં પણ સમય લાગી રહ્યો છે.

પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?

રસીકરણ અંગે માંડવિયાનું નિવેદન

માંડવિયાએ તાજેતરમાં કહ્યું હતું કે, “છેલ્લા બે સપ્તાહમાં, ઉત્તરપૂર્વમાં પણ ચેપના કેસોમાં ઘટાડો થયો છે અને આ એક સારો સંકેત છે. તમામ રાજ્યોએ બીજી લહેરનો સામનો કરવા માટે વિવિધ પગલાં લીધા છે અને હવે તેનો અંત આવી રહ્યો છે.બીજી બાજુ, કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને સલાહ આપી કે, આરોગ્ય કર્મચારીઓના અથાક પ્રયત્નો પર ગર્વ લે, જેમણે જુલાઈમાં 13 કરોડથી વધુ રસીના ડોઝ આપ્યા છે. ટ્વીટમાં તેમણે એમ પણ કહ્યું હતું કે રસીકરણ અભિયાન ઓગસ્ટથી વધુ તીવ્ર બનશે અને આ સિદ્ધિ માટે આપણે આપણા આરોગ્ય કર્મચારીઓ પર ગર્વ અનુભવવો જોઈએ.

કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ સોમવારે કોરોના સામે લડી રહેલા કેરળ રાજ્યની મુલાકાત વાયરસની સમીક્ષા કરવા માટે લીધી.રાજ્યમાં કોરોના વાયરસના વધતા જતા પ્રકોપને જોઈને, માંડવિયાએ કેરળની મુલાકાત લેવાનું નક્કી કર્યું, આ પહેલા આરોગ્ય મંત્રીએ લગભગ બે અઠવાડિયા પહેલા મુખ્યમંત્રી પીનારાયી વિજયન સાથે રોગના વધતા જતા કેસો અંગે વાત કરી હતી.

આ પણ વાંચો : Junagadh : પ્રવાસીઓ માટે ખુશખબર, ગીરમાં સિંહ દર્શનની સાથે હવે સનસેટ પોઇન્ટ, સેલ્ફી પોઇન્ટ, વોચ ટાવર અને નેચરલ પાર્કની પણ મજા માણી શકશો !

આ પણ વાંચો :તાલિબાનના ડરથી ભાગી ગયેલા અફઘાન શરણાર્થીઓને જગ્યા નથી આપી રહ્યું ઉઝબેકિસ્તાન, વિઝા આપવાનો ઇનકાર

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">