AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બિહારમાં ચાલુ રહેશે જાતિ આધારિત વસ્તી ગણતરી, પટના હાઈકોર્ટે હટાવ્યો પ્રતિબંધ, નીતિશ સરકારને મોટી રાહત

આ નિર્ણય બાદ બિહારમાં ફરી એકવાર જાતિ આધારિત વસ્તી ગણતરી શરૂ થશે. અગાઉ હાઈકોર્ટે જ જાતિ ગણતરી પર પ્રતિબંધ મૂક્યો હતો. આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો.

બિહારમાં ચાલુ રહેશે જાતિ આધારિત વસ્તી ગણતરી, પટના હાઈકોર્ટે હટાવ્યો પ્રતિબંધ, નીતિશ સરકારને મોટી રાહત
NITISH KUMAR - TEJASHWI YADAV
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 01, 2023 | 4:27 PM
Share

બિહાર (Bihar) સરકારને પટના હાઈકોર્ટમાંથી (Patna High Court) મોટી રાહત મળી છે. જાતિ ગણતરી પરનો પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો છે. તેની સામે દાખલ કરાયેલી અરજીઓ ફગાવી દેવામાં આવી છે. આ નિર્ણય બાદ બિહારમાં ફરી એકવાર જાતિ આધારિત વસ્તી ગણતરી શરૂ થશે. અગાઉ હાઈકોર્ટે જ જાતિ ગણતરી પર પ્રતિબંધ મૂક્યો હતો. આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો.

7 જુલાઈએ કોર્ટે નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો

સુપ્રીમ કોર્ટે આ મામલો ફરી પાછો પટના હાઈકોર્ટમાં મોકલી દીધો હતો. ત્યારબાદ હાઈકોર્ટમાં આ અંગેની સુનાવણી 5 દિવસ સુધી ચાલી હતી. 7 જુલાઈએ કોર્ટે આ અંગે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. પટના હાઈકોર્ટે આજે પોતાનો ચુકાદો આપતા જાતિ આધારિત વસ્તી ગણતરી પરનો પ્રતિબંધ હટાવ્યો છે.

આ સર્વે 2 તબક્કામાં થવાનો હતો

ચીફ જસ્ટિસ વિનોદ ચંદ્રન અને જસ્ટિસ પાર્થ સારથીની બેન્ચે આ નિર્ણય આપ્યો છે. એડવોકેટ દિનુ કુમારે કહ્યું કે, ન્યાયાધીશે માત્ર એક લીટીમાં કહ્યું કે અરજીઓ ફગાવી દેવામાં આવે છે. હવે અમે તેની સામે સુપ્રીમ કોર્ટમાં જઈશું. આ સર્વે 2 તબક્કામાં થવાનો હતો. પ્રથમ તબક્કો જાન્યુઆરીમાં યોજાયો હતો. જ્યારે બીજો તબક્કો 15 એપ્રિલથી શરૂ થયો હતો.

માગણીને સ્વીકારીને તેના પર પ્રતિબંધ મૂક્યો હતો

આ સમગ્ર પ્રક્રિયા આ વર્ષના મે મહિના સુધીમાં પૂર્ણ થવાની હતી. જોકે, 4 જુલાઈએ હાઈકોર્ટે તેના પર પ્રતિબંધ લગાવી દીધો હતો. જસ્ટિસ વિનોદ ચંદ્રન અને મધુરેશ પ્રસાદની ખંડપીઠે 3 અરજીઓની માગણીને સ્વીકારીને તેના પર પ્રતિબંધ મૂક્યો હતો. આ નિર્ણય સામે બિહાર સરકારે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. જો કે સુપ્રીમ કોર્ટે નિર્ણય પર સ્ટે આપવાનો ઇનકાર કર્યો હતો.

વસ્તી ગણતરીનું લગભગ 80% કામ થઈ ગયું

વસ્તી ગણતરી સામે 7 અરજીઓ દાખલ કરવામાં આવી હતી. પ્રથમ પ્રતિબંધ લગાવતી વખતે હાઈકોર્ટે કહ્યું હતું કે, રાજ્ય સરકારને વસ્તી ગણતરી કરવાનો અધિકાર નથી. મળતી માહિતી મુજબ, વસ્તી ગણતરીનું લગભગ 80% કામ થઈ ગયું છે. બિહારમાં 7 જાન્યુઆરીથી જાતિ વસ્તી ગણતરી શરૂ થઈ હતી. આ ગણતરીનો રાજકીય અર્થ પણ કાઢવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો : Bihar: બિહારના વૈશાલીમાં મોટી લૂંટ, બંદૂકધારી 5 બદમાશોએ બેંકમાંથી લૂંટ્યા 2 કરોડ રૂપિયા

એવું માનવામાં આવે છે કે 2024ની લોકસભા અને 2025ની વિધાનસભા ચૂંટણી પર તેની અસર પડશે. રાજ્યમાં OBC અને EBCની વસ્તી 52% થી વધુ છે. તેથી જ વસ્તીના હિસાબે અનામતનો દાવ રમવાની તૈયારીઓ થઈ રહી છે. નીતિશ કુમાર અને તેજસ્વી યાદવ તેનાથી લાભની અપેક્ષા રાખી રહ્યા છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
ઘરેણાં અને પ્રાચીન વસ્તુમાં રોકાણ કરો, નાણાકીય સમસ્યાનો ઉકેલ આવશે
ઘરેણાં અને પ્રાચીન વસ્તુમાં રોકાણ કરો, નાણાકીય સમસ્યાનો ઉકેલ આવશે
વાલીઓ પર મોંઘવારીનો ડામ! સ્કૂલ વાન-રિક્ષાના ભાડામાં 10% નો 'વધારો'
વાલીઓ પર મોંઘવારીનો ડામ! સ્કૂલ વાન-રિક્ષાના ભાડામાં 10% નો 'વધારો'
ચેકડેમ કૌભાંડની તપાસ કરવા ગાંધીનગરની ટીમ મેદાને, અધિકારીઓ ફફડ્યા
ચેકડેમ કૌભાંડની તપાસ કરવા ગાંધીનગરની ટીમ મેદાને, અધિકારીઓ ફફડ્યા
કસૌલીના જંગલમાં લાગી ભીષણ આગ, Mi-17 હેલિકોપ્ટર લઈ મેદાને ઉતરી વાયુસેના
કસૌલીના જંગલમાં લાગી ભીષણ આગ, Mi-17 હેલિકોપ્ટર લઈ મેદાને ઉતરી વાયુસેના
Ahmedabad Breaking News : અમદાવાદમાં રાતોરાત વધ્યુ રિક્ષાભાડું!
Ahmedabad Breaking News : અમદાવાદમાં રાતોરાત વધ્યુ રિક્ષાભાડું!
બેબીસીયા વાયરસના કારણે થયા બે સિંહના મોત-અર્જુન મોઢવાડિયા
બેબીસીયા વાયરસના કારણે થયા બે સિંહના મોત-અર્જુન મોઢવાડિયા
પોતાના ઘરમાં જ જુગારખાનું ચલાવતી હતી મહિલા, સુરતમાં 7 મહિલાઓ ઝડપાઈ
પોતાના ઘરમાં જ જુગારખાનું ચલાવતી હતી મહિલા, સુરતમાં 7 મહિલાઓ ઝડપાઈ
જુનાગઢના 18 કરોડના વાઘેશ્વરી તળાવની કામગીરી પર વિપક્ષે પ્રહાર કર્યા
જુનાગઢના 18 કરોડના વાઘેશ્વરી તળાવની કામગીરી પર વિપક્ષે પ્રહાર કર્યા
Breaking News : નકલી CBI અધિકારી ઝડપાયો
Breaking News : નકલી CBI અધિકારી ઝડપાયો
યોગ અને ધ્યાનથી ચમકશે ભાગ્ય, સ્વાસ્થ્યમાં થશે મોટો સુધારો
યોગ અને ધ્યાનથી ચમકશે ભાગ્ય, સ્વાસ્થ્યમાં થશે મોટો સુધારો
g clip-path="url(#clip0_868_265)">