AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Punjab: અમરિંદર સિંહે પંજાબ ચૂંટણીમાં ભાજપ સાથે ગઠબંધનની જાહેરાત કરી, સીટની વહેંચણી અંગે પછી નિર્ણય લેવાશે

કેન્દ્રીય મંત્રી અને પંજાબ ભાજપના પ્રભારી ગજેન્દ્ર સિંહ શેખાવતે કહ્યું કે એ નિશ્ચિત છે કે ભાજપ અમરિંદર સિંહ સાથે મળીને ચૂંટણી લડશે. ગજેન્દ્ર સિંહ શેખાવતે આજે પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ સાથે મુલાકાત કરી હતી.

Punjab: અમરિંદર સિંહે પંજાબ ચૂંટણીમાં ભાજપ સાથે ગઠબંધનની જાહેરાત કરી, સીટની વહેંચણી અંગે પછી નિર્ણય લેવાશે
Captain Amarinder Singh-Union Minister Gajendra Singh Shekhawat
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 17, 2021 | 6:24 PM
Share

પંજાબમાં વિધાનસભા ચૂંટણી (Punjab Assembly Election) પહેલા રાજકીય હલચલ મચી છે અને ભારતીય જનતા પાર્ટી (BJP) પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ સાથે રાજ્યમાં ચૂંટણી લડવાની તૈયારી કરી રહી છે. કેન્દ્રીય મંત્રી અને પંજાબ ભાજપના પ્રભારી ગજેન્દ્ર સિંહ શેખાવતે (Gajendra Singh Shekhawat) કહ્યું કે એ નિશ્ચિત છે કે ભાજપ અમરિંદર સિંહ (Captain Amrinder Singh) સાથે મળીને ચૂંટણી લડશે. કેન્દ્રીય મંત્રી અને પંજાબ ભાજપના પ્રભારી ગજેન્દ્ર સિંહ શેખાવતે આજે પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ સાથે મુલાકાત કરી હતી. બેઠક બાદ શેખાવતે કહ્યું, આજની વાતચીત પછી હું કહી શકું છું કે એ નિશ્ચિત છે કે અમે સાથે મળીને ચૂંટણી લડીશું. સીટ વહેંચણી અંગે યોગ્ય સમયે જાણ કરવામાં આવશે.

કેન્દ્રીય મંત્રી અને પંજાબ ભાજપના પ્રભારી ગજેન્દ્ર સિંહ શેખાવતે કહ્યું, 7 રાઉન્ડની વાતચીત પછી, આજે હું પુષ્ટિ કરું છું કે ભાજપ અને પંજાબ લોક કોંગ્રેસ આગામી પંજાબ વિધાનસભાની ચૂંટણી એકસાથે લડવા જઈ રહ્યા છે. સીટ વહેંચણી જેવા વિષયો પર પછીથી ચર્ચા કરવામાં આવશે.

શેખાવતને મળ્યા બાદ પંજાબના લોક કોંગ્રેસના નેતા કેપ્ટન અમરિંદર સિંહે ભાજપ સાથે ચૂંટણી લડવા અંગે કહ્યું, અમે તૈયાર છીએ અને અમે આ ચૂંટણી જીતવાના છીએ. સીટની વહેંચણી અંગેનો નિર્ણય સીટ ટુ સીટના આધારે લેવામાં આવશે, જેમાં જીતને પ્રાથમિકતા આપવામાં આવશે. અમને 101% ખાતરી છે કે અમે આ ચૂંટણી જીતી રહ્યા છીએ.

પંજાબ વિધાનસભા ચૂંટણીમાં ગઠબંધનની અટકળો વચ્ચે થોડા દિવસો પહેલા ગજેન્દ્ર સિંહ શેખાવતે પણ ચંદીગઢમાં અમરિંદર સિંહ સાથે મુલાકાત કરી હતી. પંજાબના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યા બાદ અમરિંદર સિંહે પંજાબ લોક કોંગ્રેસ પાર્ટીની રચના કરી. ઉત્તર પ્રદેશની જેમ પંજાબમાં પણ આવતા વર્ષની શરૂઆતમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે.

આ પણ વાંચો : UP Assembly Elections: અમિત શાહે રેલીમાં કહ્યું – SP અને BSP ના સુપડા સાફ કરશે, કોંગ્રેસને તો ખાતું જ નહીં ખોલવા દે

આ પણ વાંચો : West Bengal: ભાજપ અને મમતા બેનર્જીનું કોંગ્રેસ મુક્ત ભારતનું એક સરખું સપનું, RSS સાથે સંકળાયેલા એક સામયિકનો દાવો

ગુજરાત પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા
ગુજરાત પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
g clip-path="url(#clip0_868_265)">