AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Punjab: અમરિંદર સિંહે પંજાબ ચૂંટણીમાં ભાજપ સાથે ગઠબંધનની જાહેરાત કરી, સીટની વહેંચણી અંગે પછી નિર્ણય લેવાશે

કેન્દ્રીય મંત્રી અને પંજાબ ભાજપના પ્રભારી ગજેન્દ્ર સિંહ શેખાવતે કહ્યું કે એ નિશ્ચિત છે કે ભાજપ અમરિંદર સિંહ સાથે મળીને ચૂંટણી લડશે. ગજેન્દ્ર સિંહ શેખાવતે આજે પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ સાથે મુલાકાત કરી હતી.

Punjab: અમરિંદર સિંહે પંજાબ ચૂંટણીમાં ભાજપ સાથે ગઠબંધનની જાહેરાત કરી, સીટની વહેંચણી અંગે પછી નિર્ણય લેવાશે
Captain Amarinder Singh-Union Minister Gajendra Singh Shekhawat
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 17, 2021 | 6:24 PM
Share

પંજાબમાં વિધાનસભા ચૂંટણી (Punjab Assembly Election) પહેલા રાજકીય હલચલ મચી છે અને ભારતીય જનતા પાર્ટી (BJP) પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ સાથે રાજ્યમાં ચૂંટણી લડવાની તૈયારી કરી રહી છે. કેન્દ્રીય મંત્રી અને પંજાબ ભાજપના પ્રભારી ગજેન્દ્ર સિંહ શેખાવતે (Gajendra Singh Shekhawat) કહ્યું કે એ નિશ્ચિત છે કે ભાજપ અમરિંદર સિંહ (Captain Amrinder Singh) સાથે મળીને ચૂંટણી લડશે. કેન્દ્રીય મંત્રી અને પંજાબ ભાજપના પ્રભારી ગજેન્દ્ર સિંહ શેખાવતે આજે પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ સાથે મુલાકાત કરી હતી. બેઠક બાદ શેખાવતે કહ્યું, આજની વાતચીત પછી હું કહી શકું છું કે એ નિશ્ચિત છે કે અમે સાથે મળીને ચૂંટણી લડીશું. સીટ વહેંચણી અંગે યોગ્ય સમયે જાણ કરવામાં આવશે.

કેન્દ્રીય મંત્રી અને પંજાબ ભાજપના પ્રભારી ગજેન્દ્ર સિંહ શેખાવતે કહ્યું, 7 રાઉન્ડની વાતચીત પછી, આજે હું પુષ્ટિ કરું છું કે ભાજપ અને પંજાબ લોક કોંગ્રેસ આગામી પંજાબ વિધાનસભાની ચૂંટણી એકસાથે લડવા જઈ રહ્યા છે. સીટ વહેંચણી જેવા વિષયો પર પછીથી ચર્ચા કરવામાં આવશે.

શેખાવતને મળ્યા બાદ પંજાબના લોક કોંગ્રેસના નેતા કેપ્ટન અમરિંદર સિંહે ભાજપ સાથે ચૂંટણી લડવા અંગે કહ્યું, અમે તૈયાર છીએ અને અમે આ ચૂંટણી જીતવાના છીએ. સીટની વહેંચણી અંગેનો નિર્ણય સીટ ટુ સીટના આધારે લેવામાં આવશે, જેમાં જીતને પ્રાથમિકતા આપવામાં આવશે. અમને 101% ખાતરી છે કે અમે આ ચૂંટણી જીતી રહ્યા છીએ.

પંજાબ વિધાનસભા ચૂંટણીમાં ગઠબંધનની અટકળો વચ્ચે થોડા દિવસો પહેલા ગજેન્દ્ર સિંહ શેખાવતે પણ ચંદીગઢમાં અમરિંદર સિંહ સાથે મુલાકાત કરી હતી. પંજાબના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યા બાદ અમરિંદર સિંહે પંજાબ લોક કોંગ્રેસ પાર્ટીની રચના કરી. ઉત્તર પ્રદેશની જેમ પંજાબમાં પણ આવતા વર્ષની શરૂઆતમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે.

આ પણ વાંચો : UP Assembly Elections: અમિત શાહે રેલીમાં કહ્યું – SP અને BSP ના સુપડા સાફ કરશે, કોંગ્રેસને તો ખાતું જ નહીં ખોલવા દે

આ પણ વાંચો : West Bengal: ભાજપ અને મમતા બેનર્જીનું કોંગ્રેસ મુક્ત ભારતનું એક સરખું સપનું, RSS સાથે સંકળાયેલા એક સામયિકનો દાવો

અંબાલાલ પટેલે ખેડૂતોની ચિંતા વધારી ! ઠંડીના કહેર વચ્ચે માવઠાની આગાહી
અંબાલાલ પટેલે ખેડૂતોની ચિંતા વધારી ! ઠંડીના કહેર વચ્ચે માવઠાની આગાહી
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">