By-Election 2021 : 3 લોકસભા અને 29 વિધાનસભા બેઠકો માટે આજે મતગણતરી, અનેકના ભાવિનો ફેંસલો થશે

|

Nov 02, 2021 | 9:02 AM

કેન્દ્ર સરકારે પસાર કરેલા કૃષિ કાયદાના વિરોધમાં હરિયાણાના ધારાસભ્યપદેથી રાજીનામુ આપનાર ઇન્ડિયન નેશનલ લોકદળ (INLD)ના નેતા અભય ચૌટાલા સહીત, કોંગ્રેસના દિવંગત નેતા વીરભદ્ર સિંહના પત્ની પ્રતિભા સિંહ અને ભૂતપૂર્વ રાષ્ટ્રીય ફૂટબોલર ઇ. લિંગદોહ તેમજ તેલંગાણાના ભૂતપૂર્વ મંત્રી ઇ. રાજેન્દ્રના ભવિષ્યનો આજે ફેંસલો થશે.

By-Election 2021 : 3 લોકસભા અને 29 વિધાનસભા બેઠકો માટે આજે મતગણતરી, અનેકના ભાવિનો ફેંસલો થશે

Follow us on

કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી સહીત ત્રણ લોકસભા બેઠકો અને દેશના 13 રાજ્યોની 29 વિધાનસભા બેઠકો માટે ગત ઓક્ટોબરે યોજાયેલી પેટાચૂંટણી માટે આજે મંગળવાર 2 નવેમ્બરે મતગણતરી હાથ ધરવામાં આવશે. કેન્દ્ર સરકારે પસાર કરેલા કૃષિ કાયદાના વિરોધમાં હરિયાણાના ધારાસભ્યપદેથી રાજીનામુ આપનાર ઇન્ડિયન નેશનલ લોકદળ (INLD)ના નેતા અભય ચૌટાલા (Abhay Chautala) સહીત, કોંગ્રેસના દિવંગત નેતા વીરભદ્ર સિંહના(Virbhadra Singh) પત્ની પ્રતિભા સિંહ અને ભૂતપૂર્વ રાષ્ટ્રીય ફૂટબોલર ઇ. લિંગદોહ તેમજ તેલંગાણાના ભૂતપૂર્વ મંત્રી ઇ. રાજેન્દ્રના ભવિષ્યનો આજે ફેંસલો થશે.

ગત મહિને યોજાયેલી વિધાનસભાની 29 બેઠકો પૈકી, આસામની પાંચ, પશ્ચિમ બંગાળમાં ચાર, મધ્ય પ્રદેશ, હિમાચલ પ્રદેશ અને મેઘાલયમાં ત્રણ-ત્રણ, બિહાર, કર્ણાટક અને રાજસ્થાનમાં બે-બે અને આંધ્રપ્રદેશ, હરિયાણા, મહારાષ્ટ્ર, મિઝોરમ અને તેલંગાણામાં વિધાનસભાની ક-એક બેઠક માટે પેટાચૂંટણી યોજાઈ હતી.

29 વિધાનસભામાં હવે કોની પાસે કેટલી બેઠકો છે?
આ 29 વિધાનસભા બેઠકોમાંથી ભાજપ પાસે અગાઉ અડધો ડઝન જેટલી બેઠકો હતી, જ્યારે કોંગ્રેસ પાસે નવ બેઠકો હતી અને બાકીની બેઠકો જે તે રાજ્યોના પ્રાદેશિક પક્ષો પાસે હતી. જ્યાંરે લોકસભાની ત્રણ બેઠકો માટે પેટાચૂંટણી યોજાઈ હતી તેમાં દાદરા અને નગર હવેલી  (Dadra and Nagar Haveli), હિમાચલ પ્રદેશમાં મંડી ((Mandi )અને મધ્ય પ્રદેશના ખંડવાનો(Khandwa) સમાવેશ થાય છે. ત્રણેય લોકસભા બેઠકના સીટીંગ સસંદ સભ્યો મૃત્યુ પામ્યા હતા. જેના કારણે પેટાચૂંટણી યોજાઈ હતી.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

મંડી, ખંડવા, દાદરા અને નગર હવેલીમાં 3 બેઠકો ખાલી હતી
ગત માર્ચમાં રામસ્વરૂપ શર્મા (ભાજપ સાંસદ)ના અવસાન બાદ હિમાચલ પ્રદેશમાં મંડીની (Mandi Lok Sabha) બેઠક ખાલી પડી હતી. મધ્ય પ્રદેશના ખંડવા સંસદીય બેઠક (Khandwa parliamentary seat,) માટે ભાજપના સાંસદ નંદ કુમાર સિંહ ચૌહાણના મૃત્યુને કારણે પેટાચૂંટણી યોજવી પડી હતી, જ્યારે દાદરા અને નગર હવેલીમાં (Dadra and Nagar Haveli), અપક્ષ તરીકે ચૂંટાયેલા સભ્ય મોહન ડેલકરના મૃત્યુને કારણે દાદરા અને નગર હવેલીમાં પેટાચૂંટણી યોજવી પડી હતી.

આ પણ વાંચોઃ

Dhanteras 2021: ધનતેરસે સોનું ખરીદવું લાભદાયક નીવડશે કે નહિ? જાણો સોનાના રોકાણકારો માટે નિષ્ણાંતોની શું છે સલાહ

આ પણ વાંચોઃ

Mumbai News : ખંડણી અને મની લોન્ડરિંગ કેસમાં EDની મોટી કાર્યવાહી, પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખની ધરપકડ

 

Published On - 8:11 am, Tue, 2 November 21

Next Article