Bus Accident: MPમાં મોટી દુર્ઘટના! મુસાફરોથી ભરેલી બસ ખીણમાં પડી, 2ના મોત, 25 ઘાયલ

મળતી માહિતી મુજબ એક પેસેન્જર બસ નંબર MP-49 P-0431 નરસિંહપુરથી નેશનલ હાઈવે પર ગદરવાડા તરફ જઈ રહી હતી. દરમિયાન નરસિંહપુરના ખૈરી નાકા પાસે બસની સામે એક બાઇક સવાર આવી ગયો હતો. બસે મુસાફરોને બચાવવા માટે વળાંક લીધો કે તરત જ તે કાબૂ બહાર ગઈ અને રોડની બાજુમાં ખીણમાં પડી.

Bus Accident: MPમાં મોટી દુર્ઘટના! મુસાફરોથી ભરેલી બસ ખીણમાં પડી, 2ના મોત, 25 ઘાયલ
Bus Accident in MP
Follow Us:
| Updated on: Sep 03, 2023 | 7:35 AM

Bus Accident: મધ્યપ્રદેશના (Madhya Pradesh) નરસિંહપુરમાં એક ભયાનક અકસ્માતમાં બે લોકોના મોત થયા છે, જ્યારે લગભગ બે ડઝન લોકો ઘાયલ થયા છે. જિલ્લાની આરટીઓ કચેરી પાસે નેશનલ હાઈવે પર મુસાફરોથી ભરેલી બસ પલટી ખાઈ ગઈ હતી. બસ પલટી જતા જ તે ખીણમાં પડી હતી. બસમાં ઘણા મુસાફરો બેઠા હતા. અકસ્માતના સમાચાર મળતા જ પોલીસ અને બચાવ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ઘાયલોને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

મળતી માહિતી મુજબ એક પેસેન્જર બસ નંબર MP-49 P-0431 નરસિંહપુરથી નેશનલ હાઈવે પર ગદરવાડા તરફ જઈ રહી હતી. દરમિયાન નરસિંહપુરના ખૈરી નાકા પાસે બસની સામે એક બાઇક સવાર આવી ગયો હતો. બસે મુસાફરોને બચાવવા માટે વળાંક લીધો કે તરત જ તે કાબૂ બહાર ગઈ અને રોડની બાજુમાં ખીણમાં પડી. જણાવવામાં આવી રહ્યું છે કે બસમાં લગભગ 26 લોકો બેઠા હતા.

આ પણ વાંચો: Chandrayaan 3 Update: પ્રજ્ઞાન રોવરને સ્લીપ મોડ પર મોકલવામાં આવ્યું, લેન્ડિંગના 11 દિવસ બાદ તમામ કામ કર્યું પૂર્ણ

મૌની રોયે ડીપ નેક મિની ડ્રેસમાં આપ્યા કિલર પોઝ, જુઓ ફોટો
અમદાવાદના રિવરફ્રન્ટ પર જોવા મળ્યા કબડ્ડીના ધુરંધરો, જુઓ વીડિયો
બિગ બોસ 17 ધમાલ મચાવનારી ખાનઝાદી છે કોણ, જુઓ ફોટો
હળદર વાળું દૂધ ફાયદાકારક છે કે હળદર વાળું પાણી? શું છે બેસ્ટ
ટીમ ઈન્ડિયાના આ 3 ખેલાડીઓ T20 વર્લ્ડ કપ નહીં રમે, 7 મહિના પહેલા જ થઈ ગયો નિર્ણય?
આજનું રાશિફળ તારીખ : 01-12-2023

બે લોકોના મોત, ઘણા ઘાયલ

બસ ખાઈમાં પડી ગયા બાદ સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી હતી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને સ્થાનિક લોકોની મદદથી મુસાફરોને બસમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. બસ પલટી જવાની ઘટનામાં બે લોકોના મોત થયા હતા. આ ઘટનામાં લગભગ બે ડઝન લોકો ઘાયલ થયા છે, જેમાંથી એક ડઝન ગંભીર રીતે ઘાયલ થયા છે. પોલીસે ઘાયલોને તાત્કાલિક જિલ્લા હોસ્પિટલમાં દાખલ કર્યા. જ્યાં ડોક્ટરોની ટીમે બે લોકોના મોતની પુષ્ટિ કરી છે. ઘાયલોને ત્યાં સારવાર આપવામાં આવી રહી છે.

કાચ તોડી લોકોને બચાવ્યા

બસ ખાઈમાં પડી જતાં સ્થળ પર હોબાળો મચી ગયો હતો, તમામ લોકો પોતાને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. કેટલાક લોકો બેભાન થઈ ગયા હતા. સ્થાનિક લોકોએ બસના કાચ તોડી અંદર ફસાયેલા લોકોને બચાવ્યા હતા. આ પછી હાઈડ્રાની મદદથી બસને સીધી કરવામાં આવી. આ અકસ્માતમાં 25 વર્ષીય પુષ્પેન્દ્ર અને 8 વર્ષીય દેવાંશનું મોત થયું છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">