Bus Accident: MPમાં મોટી દુર્ઘટના! મુસાફરોથી ભરેલી બસ ખીણમાં પડી, 2ના મોત, 25 ઘાયલ

મળતી માહિતી મુજબ એક પેસેન્જર બસ નંબર MP-49 P-0431 નરસિંહપુરથી નેશનલ હાઈવે પર ગદરવાડા તરફ જઈ રહી હતી. દરમિયાન નરસિંહપુરના ખૈરી નાકા પાસે બસની સામે એક બાઇક સવાર આવી ગયો હતો. બસે મુસાફરોને બચાવવા માટે વળાંક લીધો કે તરત જ તે કાબૂ બહાર ગઈ અને રોડની બાજુમાં ખીણમાં પડી.

Bus Accident: MPમાં મોટી દુર્ઘટના! મુસાફરોથી ભરેલી બસ ખીણમાં પડી, 2ના મોત, 25 ઘાયલ
Bus Accident in MP
Follow Us:
| Updated on: Sep 03, 2023 | 7:35 AM

Bus Accident: મધ્યપ્રદેશના (Madhya Pradesh) નરસિંહપુરમાં એક ભયાનક અકસ્માતમાં બે લોકોના મોત થયા છે, જ્યારે લગભગ બે ડઝન લોકો ઘાયલ થયા છે. જિલ્લાની આરટીઓ કચેરી પાસે નેશનલ હાઈવે પર મુસાફરોથી ભરેલી બસ પલટી ખાઈ ગઈ હતી. બસ પલટી જતા જ તે ખીણમાં પડી હતી. બસમાં ઘણા મુસાફરો બેઠા હતા. અકસ્માતના સમાચાર મળતા જ પોલીસ અને બચાવ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ઘાયલોને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

મળતી માહિતી મુજબ એક પેસેન્જર બસ નંબર MP-49 P-0431 નરસિંહપુરથી નેશનલ હાઈવે પર ગદરવાડા તરફ જઈ રહી હતી. દરમિયાન નરસિંહપુરના ખૈરી નાકા પાસે બસની સામે એક બાઇક સવાર આવી ગયો હતો. બસે મુસાફરોને બચાવવા માટે વળાંક લીધો કે તરત જ તે કાબૂ બહાર ગઈ અને રોડની બાજુમાં ખીણમાં પડી. જણાવવામાં આવી રહ્યું છે કે બસમાં લગભગ 26 લોકો બેઠા હતા.

આ પણ વાંચો: Chandrayaan 3 Update: પ્રજ્ઞાન રોવરને સ્લીપ મોડ પર મોકલવામાં આવ્યું, લેન્ડિંગના 11 દિવસ બાદ તમામ કામ કર્યું પૂર્ણ

એક મેચમાં કોમેન્ટ્રી કરી લાખો કમાય છે આ પૂર્વ ક્રિકેટરો અને કોમેન્ટેટરો
ભારતમાં આ રાજ્યની છોકરીઓ હોય છે સૌથી વધુ સુંદર
ગુજરાતી મ્યુઝિક ડાયરેક્ટર મેહુલ સુરતી વિશે જાણો
આ લોકોએ ભૂલથી પણ ના ખાવી જોઈએ અળસી, જાણો કેમ?
Sargva : ક્યા લોકોએ સરગવાનું શાક ન ખાવું જોઈએ?
નવરાત્રિમાં ગુજરાતી સિંગર ઓસમાણ મીરના ગીતોની રમઝટ બોલે છે

બે લોકોના મોત, ઘણા ઘાયલ

બસ ખાઈમાં પડી ગયા બાદ સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી હતી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને સ્થાનિક લોકોની મદદથી મુસાફરોને બસમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. બસ પલટી જવાની ઘટનામાં બે લોકોના મોત થયા હતા. આ ઘટનામાં લગભગ બે ડઝન લોકો ઘાયલ થયા છે, જેમાંથી એક ડઝન ગંભીર રીતે ઘાયલ થયા છે. પોલીસે ઘાયલોને તાત્કાલિક જિલ્લા હોસ્પિટલમાં દાખલ કર્યા. જ્યાં ડોક્ટરોની ટીમે બે લોકોના મોતની પુષ્ટિ કરી છે. ઘાયલોને ત્યાં સારવાર આપવામાં આવી રહી છે.

કાચ તોડી લોકોને બચાવ્યા

બસ ખાઈમાં પડી જતાં સ્થળ પર હોબાળો મચી ગયો હતો, તમામ લોકો પોતાને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. કેટલાક લોકો બેભાન થઈ ગયા હતા. સ્થાનિક લોકોએ બસના કાચ તોડી અંદર ફસાયેલા લોકોને બચાવ્યા હતા. આ પછી હાઈડ્રાની મદદથી બસને સીધી કરવામાં આવી. આ અકસ્માતમાં 25 વર્ષીય પુષ્પેન્દ્ર અને 8 વર્ષીય દેવાંશનું મોત થયું છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

રાજુલાની જનરલ હોસ્પિટલમા છેલ્લા ઘણા સમયથી ડૉક્ટર્સની ઘટ, દર્દીઓ પરેશાન
રાજુલાની જનરલ હોસ્પિટલમા છેલ્લા ઘણા સમયથી ડૉક્ટર્સની ઘટ, દર્દીઓ પરેશાન
ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર પડેલ તિરાડો પૂરવાની કામગીરી હાથ ધરાઈ
ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર પડેલ તિરાડો પૂરવાની કામગીરી હાથ ધરાઈ
અંબાજીમાં જામ્યો જપ, તપ અને ઉત્સવનો માહોલ, ભાવિકોનું ઘોડાપૂર
અંબાજીમાં જામ્યો જપ, તપ અને ઉત્સવનો માહોલ, ભાવિકોનું ઘોડાપૂર
દાહોદ : હાઈટેક ટેક્નોલોજીથી પોલીસે ગાઢ જંગલમાં છુપાયેલા ચોરને ઝડપ્યો
દાહોદ : હાઈટેક ટેક્નોલોજીથી પોલીસે ગાઢ જંગલમાં છુપાયેલા ચોરને ઝડપ્યો
નરેન્દ્ર મોદીના સુશાસનમાં ગુજરાતની વિકાસ વર્ષા ક્યારેય પણ અટકવાની નથી
નરેન્દ્ર મોદીના સુશાસનમાં ગુજરાતની વિકાસ વર્ષા ક્યારેય પણ અટકવાની નથી
દોઢ વર્ષની બાળકી ગળી ગઇ મેગ્નેટિક માળા, જુઓ Video
દોઢ વર્ષની બાળકી ગળી ગઇ મેગ્નેટિક માળા, જુઓ Video
હવે અમદાવાદથી ગાંધીનગર મેટ્રોમાં જવાશે માત્ર ₹35 માં- Video
હવે અમદાવાદથી ગાંધીનગર મેટ્રોમાં જવાશે માત્ર ₹35 માં- Video
મુંદ્રા પોર્ટ પરથી 40 કરોડ રુપિયાથી વધુનો પ્રતિબંધિત દવાનો જથ્થો જપ્ત
મુંદ્રા પોર્ટ પરથી 40 કરોડ રુપિયાથી વધુનો પ્રતિબંધિત દવાનો જથ્થો જપ્ત
PM મોદીએ કહ્યું 17 શહેરોને સોલાર સિટી બનાવીશું-Video
PM મોદીએ કહ્યું 17 શહેરોને સોલાર સિટી બનાવીશું-Video
ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવી પહોંચ્યા PM મોદી
ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવી પહોંચ્યા PM મોદી
g clip-path="url(#clip0_868_265)">