AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : બિહારના ભાગલપુરમાં ગંગા નદી પર બનેલો પુલ તૂટી પડ્યો, 1700 કરોડના ખર્ચે તૈયાર થઈ રહ્યો હતો, જુઓ Video

Aguwani-Sultanganj bridge in Bihar’s Bhagalpur collapses : આ દુર્ઘટના સમયે ઘણા લોકો નજીકથી આ બ્રિજના દ્રશ્યો કેમેરામાં કેદ કરી રહ્યા હતા. આ બ્રિજનો શિલાન્યાસ બિહારના મુખ્યંત્રી નીતીશ કુમારે કર્યું હતું. હાલમાં જ ભાગલપુરના વિધાયકે આ બ્રિજની ગુણવત્તા પર સવાલ ઉઠાવ્યા હતા. આ પહેલા એપ્રિલ મહિનામાં આ બ્રિજનો એક ભાગ નદીમાં ધરાશાઈ થયો હતો.

Breaking News : બિહારના ભાગલપુરમાં ગંગા નદી પર બનેલો પુલ તૂટી પડ્યો, 1700 કરોડના ખર્ચે તૈયાર થઈ રહ્યો હતો, જુઓ Video
Aguwani-Sultanganj bridge in Bihar’s Bhagalpur collapses
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 04, 2023 | 8:52 PM
Share

Bhagalpur : બિહાર રાજ્યમાંથી એક ચોંકવાનારા સમાચારા સામે આવ્યા છે. બિહારના ભાગલપુર જિલ્લામાં આજે રવિવારે સાંજે એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. ભાગલપુરમાં નિર્માણાધીન બ્રિજ ગંગા નદીમાં ધરાશાઈ થયો છે. આ નિર્માણાધીન બ્રિજ ખગડિયાના અગુવાની-સુલ્તાનગંજ વચ્ચે બની રહ્યો હતો. આ બ્રિજનો 200 મીટરનો ભાગ ગંગા નદીમાં પડ્યો છે. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નથી.

આ દુર્ઘટના સમયે ઘણા લોકો બ્રિજની નજીકથી આ બ્રિજના દ્રશ્યો કેમેરામાં કેદ કરી રહ્યા હતા. આ બ્રિજનો શિલાન્યાસ બિહારના મુખ્યંત્રી નીતીશ કુમારે (Nitish Kumar) કર્યો હતો. હાલમાં જ ભાગલપુરના વિધાયકે આ બ્રિજની ગુણવત્તા પર સવાલ ઉઠાવ્યા હતા. આ પહેલા વર્ષ 2022ના એપ્રિલ મહિનામાં આ બ્રિજનો એક ભાગ નદીમાં ધરાશાઈ થયો હતો.

આ પણ વાંચો : Train Accident : બાલાસોર ટ્રેન દુર્ઘટનાને ‘કોમી રંગ’ આપનારાઓ સામે થશે કડક કાર્યવાહી, ઓડિશા પોલીસે આપી ચેતવણી

1700 કરોડોથી વધુના ખર્ચે બનેલો બ્રિજ ધરાશાઈ

નવેમ્બર-ડિસેમ્બરમાં થવાનું હતું ઉદ્દઘાટન

 

આ બ્રિજનું નિર્માણ એસપી સિંગલા કંપની કરી રહી હતી. મુખ્યમંત્રી નીતીશ કુમારે વર્ષ 2014માં આ બ્રિજની આધારશિલા રાખી હતી. વર્ષ 2015માં આ બ્રિજનું નિર્માણ કાર્ય શરુ થયું હતું. મળતી માહિતી અનુસાર આ બ્રિજ પાછળ 1710.77 કરોડનો ખર્ચ થયો હતો.અગુવાની તરફથી બ્રિજનો પાયા નંબર 10,11,12 ઉપરનો પૂરેપૂરો સુપર સ્ટ્રક્ચર ધરાશાઈ થયો છે. જે લગભગ 200 મીટરનો ભાગ હતો. જોકે, બ્રિજનું આ સ્ટ્રક્ચર ધરાશાઈ થવાનું કારણ હમણા સુધી સ્પષ્ટ થયું નથી.

આ પણ વાંચો : પૂજારીઓને દર મહિને મળશે 5000 રૂપિયા, પરશુરામ જયંતિએ રહેશે સરકારી રજા, આ રાજ્યના CMની મોટી જાહેરાત

વર્ષ 2022માં પણ પડયો હતો બ્રિજનો એક ભાગ

27 એપ્રિલ, 2022ના દિવસે પણ આ નિર્માણાધીન બ્રિજનો સુપર સ્ટ્રક્ચર નદી પર પડયો હતો. ઝડપી પવન અને વરસાદને કારણે તે સમયે 100 ફીટ લાંબો ભાગ ધરાશાઈ થયો હતો. તે સમયે પણ કોઈ જાનહાનિ થઈ ન હતી. આજ સુધીમાં બ્રિજનું 80 ટકા કામ પૂર્ણ થયું હતું.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">