AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : બિહારના ભાગલપુરમાં ગંગા નદી પર બનેલો પુલ તૂટી પડ્યો, 1700 કરોડના ખર્ચે તૈયાર થઈ રહ્યો હતો, જુઓ Video

Aguwani-Sultanganj bridge in Bihar’s Bhagalpur collapses : આ દુર્ઘટના સમયે ઘણા લોકો નજીકથી આ બ્રિજના દ્રશ્યો કેમેરામાં કેદ કરી રહ્યા હતા. આ બ્રિજનો શિલાન્યાસ બિહારના મુખ્યંત્રી નીતીશ કુમારે કર્યું હતું. હાલમાં જ ભાગલપુરના વિધાયકે આ બ્રિજની ગુણવત્તા પર સવાલ ઉઠાવ્યા હતા. આ પહેલા એપ્રિલ મહિનામાં આ બ્રિજનો એક ભાગ નદીમાં ધરાશાઈ થયો હતો.

Breaking News : બિહારના ભાગલપુરમાં ગંગા નદી પર બનેલો પુલ તૂટી પડ્યો, 1700 કરોડના ખર્ચે તૈયાર થઈ રહ્યો હતો, જુઓ Video
Aguwani-Sultanganj bridge in Bihar’s Bhagalpur collapses
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 04, 2023 | 8:52 PM
Share

Bhagalpur : બિહાર રાજ્યમાંથી એક ચોંકવાનારા સમાચારા સામે આવ્યા છે. બિહારના ભાગલપુર જિલ્લામાં આજે રવિવારે સાંજે એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. ભાગલપુરમાં નિર્માણાધીન બ્રિજ ગંગા નદીમાં ધરાશાઈ થયો છે. આ નિર્માણાધીન બ્રિજ ખગડિયાના અગુવાની-સુલ્તાનગંજ વચ્ચે બની રહ્યો હતો. આ બ્રિજનો 200 મીટરનો ભાગ ગંગા નદીમાં પડ્યો છે. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નથી.

આ દુર્ઘટના સમયે ઘણા લોકો બ્રિજની નજીકથી આ બ્રિજના દ્રશ્યો કેમેરામાં કેદ કરી રહ્યા હતા. આ બ્રિજનો શિલાન્યાસ બિહારના મુખ્યંત્રી નીતીશ કુમારે (Nitish Kumar) કર્યો હતો. હાલમાં જ ભાગલપુરના વિધાયકે આ બ્રિજની ગુણવત્તા પર સવાલ ઉઠાવ્યા હતા. આ પહેલા વર્ષ 2022ના એપ્રિલ મહિનામાં આ બ્રિજનો એક ભાગ નદીમાં ધરાશાઈ થયો હતો.

આ પણ વાંચો : Train Accident : બાલાસોર ટ્રેન દુર્ઘટનાને ‘કોમી રંગ’ આપનારાઓ સામે થશે કડક કાર્યવાહી, ઓડિશા પોલીસે આપી ચેતવણી

1700 કરોડોથી વધુના ખર્ચે બનેલો બ્રિજ ધરાશાઈ

નવેમ્બર-ડિસેમ્બરમાં થવાનું હતું ઉદ્દઘાટન

 

આ બ્રિજનું નિર્માણ એસપી સિંગલા કંપની કરી રહી હતી. મુખ્યમંત્રી નીતીશ કુમારે વર્ષ 2014માં આ બ્રિજની આધારશિલા રાખી હતી. વર્ષ 2015માં આ બ્રિજનું નિર્માણ કાર્ય શરુ થયું હતું. મળતી માહિતી અનુસાર આ બ્રિજ પાછળ 1710.77 કરોડનો ખર્ચ થયો હતો.અગુવાની તરફથી બ્રિજનો પાયા નંબર 10,11,12 ઉપરનો પૂરેપૂરો સુપર સ્ટ્રક્ચર ધરાશાઈ થયો છે. જે લગભગ 200 મીટરનો ભાગ હતો. જોકે, બ્રિજનું આ સ્ટ્રક્ચર ધરાશાઈ થવાનું કારણ હમણા સુધી સ્પષ્ટ થયું નથી.

આ પણ વાંચો : પૂજારીઓને દર મહિને મળશે 5000 રૂપિયા, પરશુરામ જયંતિએ રહેશે સરકારી રજા, આ રાજ્યના CMની મોટી જાહેરાત

વર્ષ 2022માં પણ પડયો હતો બ્રિજનો એક ભાગ

27 એપ્રિલ, 2022ના દિવસે પણ આ નિર્માણાધીન બ્રિજનો સુપર સ્ટ્રક્ચર નદી પર પડયો હતો. ઝડપી પવન અને વરસાદને કારણે તે સમયે 100 ફીટ લાંબો ભાગ ધરાશાઈ થયો હતો. તે સમયે પણ કોઈ જાનહાનિ થઈ ન હતી. આજ સુધીમાં બ્રિજનું 80 ટકા કામ પૂર્ણ થયું હતું.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ગોંડલના ગુનેગારોમાં ફફડાટ, અસામાજિકોને ડામવા ગાંધીનગરનુ ગ્રીન સિગ્નલ!
ગોંડલના ગુનેગારોમાં ફફડાટ, અસામાજિકોને ડામવા ગાંધીનગરનુ ગ્રીન સિગ્નલ!
મહેસાણામાં બટાટાના ભાવ ન મળતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો
મહેસાણામાં બટાટાના ભાવ ન મળતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો
Breaking News : ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
Breaking News : ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
ઉનાળાની શરૂઆતમાં જ પાણી ન મળતા માળિયામિયાણા ગામના લોકોએ કર્યો ચક્કાજામ
ઉનાળાની શરૂઆતમાં જ પાણી ન મળતા માળિયામિયાણા ગામના લોકોએ કર્યો ચક્કાજામ
મનપાના પાપે ભાવેણાવાસીઓ તૂટેલા સ્લેબની જર્જરીત ટાંકીનુ પાણી પીવા લાચાર
મનપાના પાપે ભાવેણાવાસીઓ તૂટેલા સ્લેબની જર્જરીત ટાંકીનુ પાણી પીવા લાચાર
સુરતમાં બે બેનપણીએ Chat GPTની મદદ લઈ કર્યો આપઘાત
સુરતમાં બે બેનપણીએ Chat GPTની મદદ લઈ કર્યો આપઘાત
ગૌશાળાના કૌંભાડમાં ભાજપના નેતાનું નામ આવતા રાજકારણ ગરમાયું
ગૌશાળાના કૌંભાડમાં ભાજપના નેતાનું નામ આવતા રાજકારણ ગરમાયું
રાજકુમાર જાટ કેસમાં ગોંડલના ગણેશ ગોંડલને મળી ક્લિન ચીટ-સૂત્ર
રાજકુમાર જાટ કેસમાં ગોંડલના ગણેશ ગોંડલને મળી ક્લિન ચીટ-સૂત્ર
શિક્ષણ અને આરોગ્યના વેપારીકરણ સામે પાટીદાર સમાજનો હુંકાર
શિક્ષણ અને આરોગ્યના વેપારીકરણ સામે પાટીદાર સમાજનો હુંકાર
અંજલિ રૂપાણીને ભાજપના સંગઠનમાં રાજકોટ કારોબારીમાં અપાયું સ્થાન
અંજલિ રૂપાણીને ભાજપના સંગઠનમાં રાજકોટ કારોબારીમાં અપાયું સ્થાન
g clip-path="url(#clip0_868_265)">