AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: મણિપુરમાં હિંસા બાદ તણાવની સ્થિતિ, ટ્રેન સેવા પણ ઠપ્પ, સેના એલર્ટ મોડ પર

મણિપુર હિંસા સંબંધિત ફેક ન્યૂઝને લઈને પણ ભારતીય સેના એલર્ટ મોડ પર જોવા મળી રહી છે. આ દરમિયાન મણિપુરમાં રેલવે સેવા બંધ કરવાના આદેશ પણ આપવામાં આવ્યા છે.

Breaking News: મણિપુરમાં હિંસા બાદ તણાવની સ્થિતિ, ટ્રેન સેવા પણ ઠપ્પ, સેના એલર્ટ મોડ પર
breaking news tension increased in manipur
| Updated on: May 05, 2023 | 9:45 AM
Share

બુધવારે ફાટી નીકળેલી હિંસા બાદ મણિપુરમાં સ્થિતિ તંગ બની છે. હિંસાની ઘણી તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યા છે. આ દરમિયાન મણિપુર હિંસા સંબંધિત ફેક ન્યૂઝને લઈને પણ ભારતીય સેના એલર્ટ મોડ પર જોવા મળી રહી છે. આ દરમિયાન મણિપુરમાં રેલવે સેવા બંધ કરવાના આદેશ પણ આપવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ નોર્થઈસ્ટ ફ્રન્ટિયર રેલ્વેએ મણિપુર જતી તમામ ટ્રેનોને રોકી દીધી છે.

 ઘટનાને લઈને ફેક ન્યૂઝ ચાલી રહ્યા હોવાની આશંકા

દરમિયાન સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહેલી તસવીરો અને વીડિયોમાં ઘણા વીડિયો ખોટા હોવાની આશંકા છે.આવામાં ભારતીય સેના મણિપુરની સ્થિતિને અસર ન કરે તે માટે સતર્ક દેખાઈ રહી છે.આ માહિતી પર જ વિશ્વાસ રાખવાની અપીલ કરી છે. જે સત્તાવાર સૂત્રોને ટાંકીને આપવામાં આવી રહી છે.

ભારતીય સેના દ્વારા માહિતી આપવામાં આવી છે કે મણિપુર હિંસા અંગે સોશિયલ મીડિયા પર ઘણા ફેક ન્યૂઝ ફેલાવવામાં આવી રહ્યા છે. જેમાં આસામ રાઈફલ્સ પોસ્ટ પર થયેલા હુમલાનો વીડિયો પણ સામેલ છે.

હિંસા ભડકાવનારાઓ પર ગોળીબારનો આદેશ

બીજી તરફ મણિપુરમાં હિંસા ભડકાવનારાઓ માટે દેખાતા જ ગોળીબારના આદેશ આપવામાં આવ્યા છે. બુધવારથી ફાટી નીકળેલી હિંસામાં ટોળાએ અનેક ઘરો, દુકાનો અને ધાર્મિક સ્થળોને આગ ચાંપી દીધી હતી. ઇમ્ફાલમાં પણ ધારાસભ્ય પર હુમલો થયો હતો. મળતી માહિતી મુજબ, આ હુમલો ફિરજાવલ જિલ્લાના થાનલોનથી ત્રણ વખત ધારાસભ્ય રહી ચૂકેલા વાલ્ટે પર થયો હતો. તેઓ ઈમ્ફાલમાં તેમના સત્તાવાર નિવાસસ્થાને જઈ રહ્યા હતા ત્યારે તેમના પર હુમલો થયો હતો. રાજ્યમાં વધી રહેલા તણાવને જોતા જવાનોને સતર્ક રહેવા માટે કહેવામાં આવ્યું છે.

મણિપુરના 8 જિલ્લામાં કર્ફ્યુ, ઈન્ટરનેટ સેવા 5 દિવસથી બંધ

અગાઉ મણિપુરના 8 જિલ્લામાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે અને ઈન્ટરનેટ પણ 5 દિવસ માટે ઠપ થઈ ગયું છે. ગુરુવારે, હજારો સેના અને અર્ધલશ્કરી દળના જવાનોએ શાંતિ પુનઃસ્થાપિત કરવા માટે હિંસાગ્રસ્ત શહેરોની નિર્જન શેરીઓમાંથી કૂચ કરી હતી. બીજી તરફ સંવેદનશીલ વિસ્તારોમાંથી લોકોને સતત સુરક્ષિત બહાર કાઢવામાં આવી રહ્યા છે. ભારતીય સેના અને આસામ રાઈફલ્સના જવાનોએ અત્યાર સુધીમાં આ વિસ્તારોમાંથી 7500થી વધુ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા છે. આ માટે કેટલાય કલાકો સુધી બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.

આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..

Follow Us
ખેડૂત આંદોલનને મળ્યો રાજકીય ટેકો, ગેનીબેને સરકાર પર કર્યા આકરા પ્રહાર
ખેડૂત આંદોલનને મળ્યો રાજકીય ટેકો, ગેનીબેને સરકાર પર કર્યા આકરા પ્રહાર
ભાજપમાં આંતરિક જૂથવાદ પર મનસુખ વસાવાનો મોટો વિસ્ફોટ
ભાજપમાં આંતરિક જૂથવાદ પર મનસુખ વસાવાનો મોટો વિસ્ફોટ
સુરતમાં ચોરીનો અનોખો કિસ્સો! સાયકલ ચોરી કરી, પછી માફી માંગી
સુરતમાં ચોરીનો અનોખો કિસ્સો! સાયકલ ચોરી કરી, પછી માફી માંગી
NEET પેપર લીક અને ઠગાઈ મામલે સાયબર ક્રાઈમ કુલ 3 આરોપીની ધરપકડ કરી
NEET પેપર લીક અને ઠગાઈ મામલે સાયબર ક્રાઈમ કુલ 3 આરોપીની ધરપકડ કરી
ખેડૂતોના અધિકાર માટે કોંગ્રેસની ટ્રેક્ટર યાત્રા
ખેડૂતોના અધિકાર માટે કોંગ્રેસની ટ્રેક્ટર યાત્રા
ગીર ગઢડાના થોરડી ગામે ચાર લોકો પર હુમલો કરનાર દીપડો ઝડપાયો
ગીર ગઢડાના થોરડી ગામે ચાર લોકો પર હુમલો કરનાર દીપડો ઝડપાયો
કાળિયા ઠાકોરની 'અલૌકિક લીલા'! ડાકોરમાં અધિક માસની 'ભવ્ય પૂર્ણાહુતિ'
કાળિયા ઠાકોરની 'અલૌકિક લીલા'! ડાકોરમાં અધિક માસની 'ભવ્ય પૂર્ણાહુતિ'
ગટરના ગંદા પાણીથી પ્રજા ત્રાહિમામ, તંત્ર હજી પણ ઘોર નિદ્રામાં
ગટરના ગંદા પાણીથી પ્રજા ત્રાહિમામ, તંત્ર હજી પણ ઘોર નિદ્રામાં
પાવરગ્રીડના નામે ખેડૂતોને કચડવાનું બંધ કરો, તંત્ર સામે ભારે આક્રોશ
પાવરગ્રીડના નામે ખેડૂતોને કચડવાનું બંધ કરો, તંત્ર સામે ભારે આક્રોશ
મોરબીથી ટ્રેક્ટરો લઈ ખેડૂતો ગાંધીનગર તરફ
મોરબીથી ટ્રેક્ટરો લઈ ખેડૂતો ગાંધીનગર તરફ
g clip-path="url(#clip0_868_265)">