AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: મણિપુર હિંસા પર સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, હવે SIT કરશે તપાસ

મણિપુર હિંસા કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે સોમવારે મોટો આદેશ આપ્યો છે. કોર્ટે કહ્યું કે તે હિંસાની તપાસ માટે એક SIT ની રચના કરશે, જેમાં એક મહિલા જજને પણ સામેલ કરવામાં આવશે.

Breaking News: મણિપુર હિંસા પર સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, હવે SIT કરશે તપાસ
Supreme Court
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 31, 2023 | 4:31 PM
Share

મણિપુર હિંસા (Manipur Violence) કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે (Supreme Court) સોમવારે મોટો આદેશ આપ્યો છે. કોર્ટે કહ્યું કે તે હિંસાની તપાસ માટે એક SIT ની રચના કરશે, જેમાં એક મહિલા જજને પણ સામેલ કરવામાં આવશે. હિંસા પીડિતોની અરજી પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસે કહ્યું છે કે, મણિપુર રાજ્યમાં હીલિંગ ટચની જરૂર છે. રાજ્યમાં હિંસા ચાલી રહી છે. આવી સ્થિતિમાં, કોર્ટ દ્વારા નિયુક્ત કમિટીને સંદેશ મોકલવામાં આવશે કે સુપ્રીમ કોર્ટે આ બાબતની નોંધ લીધી છે.

સમિતિની રચનાના બે રસ્તા છે

મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડે કહ્યું છે કે, સમિતિની રચનાના બે રસ્તા છે. અહીં અમે જાતે કમિટી બનાવી રહ્યા છીએ. જેમાં મહિલા જજ અને ડોમેન એક્સપર્ટને પણ સામેલ કરવામાં આવશે. એ વાત અલગ છે કે સ્ત્રી હોય કે પુરૂષ તેનાથી કોઈ ફરક પડતો નથી, પરંતુ મહિલાઓ હોવી જોઈએ, કારણ કે તેઓ પીડિતો સાથે વાતચીત કરશે. સીજેઆઈએ કહ્યું કે SIT ની રચના માત્ર રાજ્યમાં શું થયું છે તે શોધવાનો પ્રયાસ કરવાના સંદર્ભમાં નથી. પરંતુ આપણે ત્યાં પણ જીવનનું પુનઃનિર્માણ કરવાની જરૂર છે.

6000 FIRમાં કેટલી ઝીરો FIR

સરકારને સવાલ કરતા CJIએ કહ્યું કે અમારે એ જાણવાની જરૂર છે કે 6000 FIRમાં કેટલી ઝીરો FIR છે અને કેટલીને જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટને મોકલવામાં આવી છે, કેટલી યૌન હિંસા જોડાયેલી છે અને કેટલા લોકો ન્યાયિક કસ્ટડીમાં છે. 164 હેઠળ કેટલા લોકોના નિવેદન નોંધવામાં આવ્યા છે?

આ પણ વાંચો : Video: દિલ્હી મેટ્રોની સામે કૂદીને યુવકે કરી આત્મહત્યા, સામે આવ્યો ચોંકાવનારો વીડિયો

વીડિયો સામે આવ્યા બાદ 7 લોકોની ધરપકડ કરવામાં આવી

સુનાવણી દરમિયાન સરકારે કોર્ટને જણાવ્યું કે મહિલાઓનો વીડિયો સામે આવ્યા બાદ 7 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ CJIએ કહ્યું કે હિંસા સાથે જોડાયેલા તમામ તથ્યો મીડિયામાં છે. આ અંગે વ્યાપકપણે જાણ કરવામાં આવી છે, પરંતુ તે વિચિત્ર છે કે મણિપુર સરકાર પાસે તથ્યો નથી.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
વાલીઓ પર મોંઘવારીનો ડામ! સ્કૂલ વાન-રિક્ષાના ભાડામાં 10% નો 'વધારો'
વાલીઓ પર મોંઘવારીનો ડામ! સ્કૂલ વાન-રિક્ષાના ભાડામાં 10% નો 'વધારો'
ચેકડેમ કૌભાંડની તપાસ કરવા ગાંધીનગરની ટીમ મેદાને, અધિકારીઓ ફફડ્યા
ચેકડેમ કૌભાંડની તપાસ કરવા ગાંધીનગરની ટીમ મેદાને, અધિકારીઓ ફફડ્યા
કસૌલીના જંગલમાં લાગી ભીષણ આગ, Mi-17 હેલિકોપ્ટર લઈ મેદાને ઉતરી વાયુસેના
કસૌલીના જંગલમાં લાગી ભીષણ આગ, Mi-17 હેલિકોપ્ટર લઈ મેદાને ઉતરી વાયુસેના
Ahmedabad Breaking News : અમદાવાદમાં રાતોરાત વધ્યુ રિક્ષાભાડું!
Ahmedabad Breaking News : અમદાવાદમાં રાતોરાત વધ્યુ રિક્ષાભાડું!
બેબીસીયા વાયરસના કારણે થયા બે સિંહના મોત-અર્જુન મોઢવાડિયા
બેબીસીયા વાયરસના કારણે થયા બે સિંહના મોત-અર્જુન મોઢવાડિયા
પોતાના ઘરમાં જ જુગારખાનું ચલાવતી હતી મહિલા, સુરતમાં 7 મહિલાઓ ઝડપાઈ
પોતાના ઘરમાં જ જુગારખાનું ચલાવતી હતી મહિલા, સુરતમાં 7 મહિલાઓ ઝડપાઈ
જુનાગઢના 18 કરોડના વાઘેશ્વરી તળાવની કામગીરી પર વિપક્ષે પ્રહાર કર્યા
જુનાગઢના 18 કરોડના વાઘેશ્વરી તળાવની કામગીરી પર વિપક્ષે પ્રહાર કર્યા
Breaking News : નકલી CBI અધિકારી ઝડપાયો
Breaking News : નકલી CBI અધિકારી ઝડપાયો
યોગ અને ધ્યાનથી ચમકશે ભાગ્ય, સ્વાસ્થ્યમાં થશે મોટો સુધારો
યોગ અને ધ્યાનથી ચમકશે ભાગ્ય, સ્વાસ્થ્યમાં થશે મોટો સુધારો
કચ્છના મુંદ્રા નજીક ભંગારના ગોડાઉનમાં વિકરાળ આગ
કચ્છના મુંદ્રા નજીક ભંગારના ગોડાઉનમાં વિકરાળ આગ
g clip-path="url(#clip0_868_265)">