AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: મણિપુર હિંસા પર સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, હવે SIT કરશે તપાસ

મણિપુર હિંસા કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે સોમવારે મોટો આદેશ આપ્યો છે. કોર્ટે કહ્યું કે તે હિંસાની તપાસ માટે એક SIT ની રચના કરશે, જેમાં એક મહિલા જજને પણ સામેલ કરવામાં આવશે.

Breaking News: મણિપુર હિંસા પર સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, હવે SIT કરશે તપાસ
Supreme Court
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 31, 2023 | 4:31 PM
Share

મણિપુર હિંસા (Manipur Violence) કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે (Supreme Court) સોમવારે મોટો આદેશ આપ્યો છે. કોર્ટે કહ્યું કે તે હિંસાની તપાસ માટે એક SIT ની રચના કરશે, જેમાં એક મહિલા જજને પણ સામેલ કરવામાં આવશે. હિંસા પીડિતોની અરજી પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસે કહ્યું છે કે, મણિપુર રાજ્યમાં હીલિંગ ટચની જરૂર છે. રાજ્યમાં હિંસા ચાલી રહી છે. આવી સ્થિતિમાં, કોર્ટ દ્વારા નિયુક્ત કમિટીને સંદેશ મોકલવામાં આવશે કે સુપ્રીમ કોર્ટે આ બાબતની નોંધ લીધી છે.

સમિતિની રચનાના બે રસ્તા છે

મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડે કહ્યું છે કે, સમિતિની રચનાના બે રસ્તા છે. અહીં અમે જાતે કમિટી બનાવી રહ્યા છીએ. જેમાં મહિલા જજ અને ડોમેન એક્સપર્ટને પણ સામેલ કરવામાં આવશે. એ વાત અલગ છે કે સ્ત્રી હોય કે પુરૂષ તેનાથી કોઈ ફરક પડતો નથી, પરંતુ મહિલાઓ હોવી જોઈએ, કારણ કે તેઓ પીડિતો સાથે વાતચીત કરશે. સીજેઆઈએ કહ્યું કે SIT ની રચના માત્ર રાજ્યમાં શું થયું છે તે શોધવાનો પ્રયાસ કરવાના સંદર્ભમાં નથી. પરંતુ આપણે ત્યાં પણ જીવનનું પુનઃનિર્માણ કરવાની જરૂર છે.

6000 FIRમાં કેટલી ઝીરો FIR

સરકારને સવાલ કરતા CJIએ કહ્યું કે અમારે એ જાણવાની જરૂર છે કે 6000 FIRમાં કેટલી ઝીરો FIR છે અને કેટલીને જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટને મોકલવામાં આવી છે, કેટલી યૌન હિંસા જોડાયેલી છે અને કેટલા લોકો ન્યાયિક કસ્ટડીમાં છે. 164 હેઠળ કેટલા લોકોના નિવેદન નોંધવામાં આવ્યા છે?

આ પણ વાંચો : Video: દિલ્હી મેટ્રોની સામે કૂદીને યુવકે કરી આત્મહત્યા, સામે આવ્યો ચોંકાવનારો વીડિયો

વીડિયો સામે આવ્યા બાદ 7 લોકોની ધરપકડ કરવામાં આવી

સુનાવણી દરમિયાન સરકારે કોર્ટને જણાવ્યું કે મહિલાઓનો વીડિયો સામે આવ્યા બાદ 7 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ CJIએ કહ્યું કે હિંસા સાથે જોડાયેલા તમામ તથ્યો મીડિયામાં છે. આ અંગે વ્યાપકપણે જાણ કરવામાં આવી છે, પરંતુ તે વિચિત્ર છે કે મણિપુર સરકાર પાસે તથ્યો નથી.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">