Breaking News : રાહુલ ગાંધીની વધશે મુશ્કેલી ! બેવડી નાગરિકતા કેસમાં FIR નોંધવા હાઈકોર્ટનો આદેશ
કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અને લોકસભા વિપક્ષના નેતા રાહુલ ગાંધી પર બેવડી નાગરિકતા હોવાનો આરોપ લગાવવામાં આવ્યા હતા. આ મુદ્દા અંગે હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. સુનાવણી બાદ, કોર્ટે FIR નોંધવાનો નિર્દેશ આપ્યો હતો.

અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ બેન્ચે બેવડી નાગરિકતાના આરોપો બદલ કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અને લોકસભા વિપક્ષના નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ FIR નોંધવાનો આદેશ આપ્યો છે. આ કાર્યવાહી જસ્ટિસ સુભાષ વિદ્યાર્થીના નિર્દેશો અનુસાર કરવામાં આવશે. કોર્ટે આ મામલાની તપાસ બાદ આગળની કાનૂની કાર્યવાહી શરૂ કરવાનો પણ નિર્દેશ આપ્યો છે.
બેવડી નાગરિકતા સંબંધિત એક કેસમાં, અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ બેન્ચે કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અને લોકસભા વિપક્ષના નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ FIR નોંધવાનો આદેશ આપ્યો હતો. જસ્ટિસ સુભાષ વિદ્યાર્થીએ સુનાવણી દરમિયાન આ આદેશ આપ્યો છે. કોર્ટે જણાવ્યું હતું કે, કેસની તપાસ બાદ આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ આદેશ તેમની નાગરિકતા સ્થિતિ સંબંધિત આરોપો અંગે ચાલી રહેલી સુનાવણી દરમિયાન કરવામાં આવ્યો હતો.
એમપી એમએલએ કોર્ટના આદેશને પડકાર
આ આદેશ ભાજપ કાર્યકર એસ. વિગ્નેશ શિશિર દ્વારા દાખલ કરાયેલી અરજીના જવાબમાં ઈસ્યુ કરવામાં આવ્યો હતો, જેમાં તેમણે લખનૌની ખાસ એમપી એમએલએ કોર્ટ દ્વારા 28 જાન્યુઆરીના રોજ આપવામાં આવેલા આદેશને પડકાર્યો હતો. લખનૌ કોર્ટે અગાઉ કોંગ્રેસ નેતા સામે એફઆઈઆર નોંધવા અંગેની અરજી ફગાવી દીધી હતી. નીચલી કોર્ટે ઠરાવ્યું હતું કે નાગરિકતા સંબંધિત બાબતોનો નિર્ણય લેવાનો અધિકારક્ષેત્ર તેની પાસે નથી.
કર્ણાટકના રહેવાસી અરજદારે ભારતીય ન્યાય સંહિતા (BNS), સત્તાવાર ગુપ્તતા અધિનિયમ, વિદેશી અધિનિયમ અને પાસપોર્ટ અધિનિયમ હેઠળ આરોપો લગાવીને એફઆઈઆર નોંધવાની માંગ કરી છે અને આ મામલાની વિગતવાર તપાસની માંગ કરી છે.
ફરિયાદ શરૂઆતમાં રાયબરેલીની ખાસ એમપી એમએલએ કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. 17 ડિસેમ્બર, 2025 ના રોજ, હાઇકોર્ટે કેસ લખનૌ ટ્રાન્સફર કર્યો. લખનૌ કોર્ટ દ્વારા તેમની અરજી ફગાવી દેવામાં આવ્યા બાદ, અરજદારે હાઇકોર્ટનો સંપર્ક કર્યો.