AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : રાજધાની એક્સપ્રેસના AC કોચમાં આગ લાગતા, મુસાફરોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો

Fire In Rajdhani Express Train: રતલામ જિલ્લાના અલોટમાંથી પસાર થતી ત્રિવેન્દ્રમ-હઝરત નિઝામુદ્દીન રાજધાની એક્સપ્રેસમાં આગ લાગી હતી. આ ઘટના સવારે 5:30 વાગ્યે લુની રિચા અને વિક્રમગઢ સ્ટેશનો વચ્ચે બની હતી. ટ્રેનમાં સવાર તમામ મુસાફરો સુરક્ષિત છે.

Breaking News : રાજધાની એક્સપ્રેસના AC કોચમાં આગ લાગતા, મુસાફરોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો
| Updated on: May 17, 2026 | 8:26 AM
Share

રવિવારે સવારે મધ્યપ્રદેશના રતલામ જિલ્લાના અલોટ નજીક ત્રિવેન્દ્રમ-હઝરત નિઝામુદ્દીન રાજધાની એક્સપ્રેસમાં ભીષણ આગ લાગી હતી. આ અકસ્માત સવારે 5:30 વાગ્યે કોટા રેલ્વે ડિવિઝનના લુની રિચા અને વિક્રમગઢ અલોટ સ્ટેશનો વચ્ચે થયો હતો જ્યારે ટ્રેન દિલ્હી તરફ જઈ રહી હતી.ટ્રેનના એસી કોચ B-1 માં આગ લાગી અને ઝડપથી બે કોચને પોતાની ઝપેટમાં લઈ લીધા. જેના કારણે ટ્રેનના હૂટર વાગવા લાગ્યા, જેના કારણે મુસાફરોમાં ગભરાટ ફેલાયો.

જોકે, રેલવે સ્ટાફ અને મુસાફરો બંનેની સમજદારીને કારણે, ટ્રેનમાં સવાર તમામ 68 મુસાફરોને સમયસર સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા. કોઈને પણ ઈજા થઈ હોવાના કોઈ અહેવાલ નથી.ઘટનાની માહિતી મળતાં જ, રેલ્વે વહીવટીતંત્રને એલર્ટ કરવામાં આવ્યું હતું. રતલામ રેલ્વે ડિવિઝનના ડીઆરએમ અશ્વની કુમાર તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા. બચાવ અને રાહત કામગીરીમાં મદદ કરવા માટે રતલામથી એક અકસ્માત રાહત ટ્રેન (ART/ARME) અને એક ટાવર વેગન મોકલવામાં આવી હતી.

શરૂઆતની તપાસમાં જાણવા મળ્યું છે કે, આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હતી. જોકે, ચોક્કસ કારણ જાણવા માટે હજુ પણ પ્રયાસો ચાલુ છે. આ અકસ્માતને કારણે દિલ્હી-મુંબઈ રેલ માર્ગ પર કેટલીક ટ્રેનોનું સંચાલન અસ્થાયી રૂપે ખોરવાઈ ગયું છે.

મુસાફરો ઊંઘી રહ્યા હતા, અચાનક ધુમાડાથી ગભરાટ ફેલાયો

એવું કહેવામાં આવી રહ્યું છે કે,અકસ્માત થયો ત્યારે મોટાભાગના મુસાફરો તેમના કેબિનમાં સૂતા હતા. અચાનક કોચમાંથી ધુમાડો નીકળ્યો, જેના કારણે મુસાફરોમાં ગભરાટ ફેલાયો. ટ્રેન રોકાતાની સાથે જ મુસાફરો પોતાનો સામાન લઈને નીચે ઉતરવા લાગ્યા હતા.આના કારણે, કોટા રેલ્વે ડિવિઝનના આ વિભાગ પર ટ્રેન વ્યવહાર સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયો હતો. રેલ્વે ટીમોએ તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી.

ભારતીય રેલવે એ મોટી રેલવે લાઈન છે. આ દૂનિયાની ચોથા ક્રમ પર આવતી રેલવે સેવા છે. ભારતમાં રેલવેની કુલ લંબાઈ 1,15,000 કિલોમીટર સુધીની છે.અહી ક્લિક કરો

 

Follow Us
નવસારીમાં બિલીમોરા નજીક પૂરથી હાઈ ટેન્શન ટાવર નમ્યો, વીજ પુરવઠા પર અસર
નવસારીમાં બિલીમોરા નજીક પૂરથી હાઈ ટેન્શન ટાવર નમ્યો, વીજ પુરવઠા પર અસર
ગુજરાત માટે રાહતના સમાચાર, સરદાર સરોવર ડેમની જળસપાટી 131 મીટરને પાર
ગુજરાત માટે રાહતના સમાચાર, સરદાર સરોવર ડેમની જળસપાટી 131 મીટરને પાર
વડોદરામાં ચાર મહિનામાં જ તૂટી નવી કેનાલ, ખેડૂતોના પાકને ભારે નુકસાન...
વડોદરામાં ચાર મહિનામાં જ તૂટી નવી કેનાલ, ખેડૂતોના પાકને ભારે નુકસાન...
ટ્રેનમાં મહિલાની બેગમાંથી ચોરે નજર સામે જ મોબાઈલ ઉપાડ્યો ! Video
ટ્રેનમાં મહિલાની બેગમાંથી ચોરે નજર સામે જ મોબાઈલ ઉપાડ્યો ! Video
મોરબીમાં ભારે વરસાદનો કહેર! NDRF-SDRFએ 50થી વધુ લોકોનું કર્યુ રેસ્ક્યુ
મોરબીમાં ભારે વરસાદનો કહેર! NDRF-SDRFએ 50થી વધુ લોકોનું કર્યુ રેસ્ક્યુ
રાજકોટના જળબંબાકાર; વોકળા પર દબાણના કારણે મકાનોમાં ઘૂસ્યા પાણી! Video
રાજકોટના જળબંબાકાર; વોકળા પર દબાણના કારણે મકાનોમાં ઘૂસ્યા પાણી! Video
મેગા રેસ્ક્યૂ ઓપરેશન! સ્થાનિકોએ દોરડાની મદદથી 50 લોકોને કર્યા રેસ્ક્યુ
મેગા રેસ્ક્યૂ ઓપરેશન! સ્થાનિકોએ દોરડાની મદદથી 50 લોકોને કર્યા રેસ્ક્યુ
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
નવસારીમાં નદીઓ ગાંડીતૂર, રાહત અને બચાવ કાર્ય પુરજોશમાં, જુઓ Video
નવસારીમાં નદીઓ ગાંડીતૂર, રાહત અને બચાવ કાર્ય પુરજોશમાં, જુઓ Video
શું શેરબજારમાં આવશે 'બમ્પર તેજી'? આ ખાસ વિશ્લેષણ સમજો
શું શેરબજારમાં આવશે 'બમ્પર તેજી'? આ ખાસ વિશ્લેષણ સમજો
g clip-path="url(#clip0_868_265)">