AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: ઈઝરાયેલમાં આતંકવાદી હુમલાના સમાચારથી આઘાત લાગ્યો, અમે ઈઝરાયેલની સાથે છીએ – PM નરેન્દ્ર મોદી

ઈઝરાયેલ પર કરવામાં આવેલા આતંકી હુમલા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, ઈઝરાયેલમાં આતંકવાદી હુમલાના સમાચારથી આઘાત લાગ્યો છે. અમારા વિચારો અને પ્રાર્થના નિર્દોષ પીડિતો અને તેમના પરિવારો સાથે છે. અમે આ મુશ્કેલ સમયમાં ઈઝરાયેલ સાથે ઊભા છીએ.

Breaking News: ઈઝરાયેલમાં આતંકવાદી હુમલાના સમાચારથી આઘાત લાગ્યો, અમે ઈઝરાયેલની સાથે છીએ - PM નરેન્દ્ર મોદી
Narendra Modi - Benjamin Netanyahu
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 07, 2023 | 5:22 PM
Share

હમાસ દ્વારા ઈઝરાયેલ પર કરવામાં આવેલા આતંકી હુમલા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Narendra Modi) પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, ઈઝરાયેલમાં (Israel) આતંકવાદી હુમલાના સમાચારથી આઘાત લાગ્યો છે. અમારા વિચારો અને પ્રાર્થના નિર્દોષ પીડિતો અને તેમના પરિવારો સાથે છે. અમે આ મુશ્કેલ સમયમાં ઈઝરાયેલ સાથે ઊભા છીએ.

પેલેસ્ટાઈન આતંકવાદી જૂથ હમાસે શનિવારે ઈઝરાયેલ વિરુદ્ધ નવા સૈન્ય અભિયાનની જાહેરાત કરી હતી. ગયા વર્ષે મે મહિના બાદ પહેલીવાર ગાઝા પટ્ટીમાંથી મિસાઈલ છોડવામાં આવી હતી. આ હુમલામાં ઘણા ઇઝરાયલી લોકોનો મોત થયા છે.

ભારતમાં ઇઝરાયેલના રાજદૂત નાઓર ગિલોને વડાપ્રધાન મોદીનો આભાર વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે અમે ભારતના સમર્થનની પ્રશંસા કરીએ છીએ.

ઈઝરાયેલમાં વધી રહેલા માનવતાવાદી સંકટ અંગે ઘણા દેશોએ ચિંતા વ્યક્ત કરી છે. ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને ઈઝરાયેલ પરના આતંકવાદી હુમલાની નિંદા કરતા પોસ્ટ કરી કે, “હું હાલમાં ઈઝરાયેલ પર થઈ રહેલા આતંકવાદી હુમલાઓની સખત નિંદા કરું છું.” ઇઝરાયેલના સમર્થનની ખાતરી આપતા રાષ્ટ્રપતિ મેક્રોને કહ્યું, “હું પીડિતો, તેમના પરિવારો અને પ્રિયજનો સાથે મારી સંપૂર્ણ એકતા વ્યક્ત કરું છું.”

હમાસના હુમલામાં 22 લોકોના મોત

હમાસના રોકેટ હુમલામાં ઇઝરાયેલમાં 22 લોકોના મોત થયા છે અને 500થી વધુ લોકો ઘાયલ થયા છે. ન્યૂઝ એજન્સી રોઈટર્સને ટાંકીને મીડિયા અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, ઈઝરાયેલના અલગ-અલગ શહેરોમાં રોકેટ હુમલામાં મોટી સંખ્યામાં નાગરિકોના મોતની આશંકા છે. રોકેટ હુમલા બાદ મૃતકો અને ઘાયલોની સંખ્યા સતત વધી રહી છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
g clip-path="url(#clip0_868_265)">