AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: ઈઝરાયેલમાં આતંકવાદી હુમલાના સમાચારથી આઘાત લાગ્યો, અમે ઈઝરાયેલની સાથે છીએ – PM નરેન્દ્ર મોદી

ઈઝરાયેલ પર કરવામાં આવેલા આતંકી હુમલા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, ઈઝરાયેલમાં આતંકવાદી હુમલાના સમાચારથી આઘાત લાગ્યો છે. અમારા વિચારો અને પ્રાર્થના નિર્દોષ પીડિતો અને તેમના પરિવારો સાથે છે. અમે આ મુશ્કેલ સમયમાં ઈઝરાયેલ સાથે ઊભા છીએ.

Breaking News: ઈઝરાયેલમાં આતંકવાદી હુમલાના સમાચારથી આઘાત લાગ્યો, અમે ઈઝરાયેલની સાથે છીએ - PM નરેન્દ્ર મોદી
Narendra Modi - Benjamin Netanyahu
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 07, 2023 | 5:22 PM
Share

હમાસ દ્વારા ઈઝરાયેલ પર કરવામાં આવેલા આતંકી હુમલા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Narendra Modi) પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, ઈઝરાયેલમાં (Israel) આતંકવાદી હુમલાના સમાચારથી આઘાત લાગ્યો છે. અમારા વિચારો અને પ્રાર્થના નિર્દોષ પીડિતો અને તેમના પરિવારો સાથે છે. અમે આ મુશ્કેલ સમયમાં ઈઝરાયેલ સાથે ઊભા છીએ.

પેલેસ્ટાઈન આતંકવાદી જૂથ હમાસે શનિવારે ઈઝરાયેલ વિરુદ્ધ નવા સૈન્ય અભિયાનની જાહેરાત કરી હતી. ગયા વર્ષે મે મહિના બાદ પહેલીવાર ગાઝા પટ્ટીમાંથી મિસાઈલ છોડવામાં આવી હતી. આ હુમલામાં ઘણા ઇઝરાયલી લોકોનો મોત થયા છે.

ભારતમાં ઇઝરાયેલના રાજદૂત નાઓર ગિલોને વડાપ્રધાન મોદીનો આભાર વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે અમે ભારતના સમર્થનની પ્રશંસા કરીએ છીએ.

ઈઝરાયેલમાં વધી રહેલા માનવતાવાદી સંકટ અંગે ઘણા દેશોએ ચિંતા વ્યક્ત કરી છે. ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને ઈઝરાયેલ પરના આતંકવાદી હુમલાની નિંદા કરતા પોસ્ટ કરી કે, “હું હાલમાં ઈઝરાયેલ પર થઈ રહેલા આતંકવાદી હુમલાઓની સખત નિંદા કરું છું.” ઇઝરાયેલના સમર્થનની ખાતરી આપતા રાષ્ટ્રપતિ મેક્રોને કહ્યું, “હું પીડિતો, તેમના પરિવારો અને પ્રિયજનો સાથે મારી સંપૂર્ણ એકતા વ્યક્ત કરું છું.”

હમાસના હુમલામાં 22 લોકોના મોત

હમાસના રોકેટ હુમલામાં ઇઝરાયેલમાં 22 લોકોના મોત થયા છે અને 500થી વધુ લોકો ઘાયલ થયા છે. ન્યૂઝ એજન્સી રોઈટર્સને ટાંકીને મીડિયા અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, ઈઝરાયેલના અલગ-અલગ શહેરોમાં રોકેટ હુમલામાં મોટી સંખ્યામાં નાગરિકોના મોતની આશંકા છે. રોકેટ હુમલા બાદ મૃતકો અને ઘાયલોની સંખ્યા સતત વધી રહી છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ધુમ્મસને કારણે પંજાબમાં ગુજરાતીઓની કારને નડ્યો અકસ્માત
ધુમ્મસને કારણે પંજાબમાં ગુજરાતીઓની કારને નડ્યો અકસ્માત
નોર્થ ઈસ્ટની હસ્તકલાથી સજ્જ પ્રજાસત્તાક દિવસની આમંત્રણ પત્રિકા
નોર્થ ઈસ્ટની હસ્તકલાથી સજ્જ પ્રજાસત્તાક દિવસની આમંત્રણ પત્રિકા
આટકોટ દુષ્કર્મ કેસમાં આરોપીને ફાંસીની સજા, 39 દિવસમાં મળ્યો ન્યાય
આટકોટ દુષ્કર્મ કેસમાં આરોપીને ફાંસીની સજા, 39 દિવસમાં મળ્યો ન્યાય
કોણ છે પ્રાચી પોદ્દાર,જેણે સિમેન્ટ વેસ્ટમાંથી નવો વ્યવસાય શરૂ કર્યો ?
કોણ છે પ્રાચી પોદ્દાર,જેણે સિમેન્ટ વેસ્ટમાંથી નવો વ્યવસાય શરૂ કર્યો ?
આવી રીતે ઇન્ટિરીયર ડિઝાઇનના ક્ષેત્રમાં દીપા દેવરાજને બનાવી પોતાની ઓળખ
આવી રીતે ઇન્ટિરીયર ડિઝાઇનના ક્ષેત્રમાં દીપા દેવરાજને બનાવી પોતાની ઓળખ
રિમઝીમ સૈકિયા: મહિલા સશક્તિકરણ અને રાષ્ટ્રીય ઓળખના પ્રણેતા
રિમઝીમ સૈકિયા: મહિલા સશક્તિકરણ અને રાષ્ટ્રીય ઓળખના પ્રણેતા
ઘર ખર્ચમાંથી મહિલાઓ માટે ફિટનેસ સેન્ટર બનાવનાર કોણ છે પ્રતિભા શર્મા?
ઘર ખર્ચમાંથી મહિલાઓ માટે ફિટનેસ સેન્ટર બનાવનાર કોણ છે પ્રતિભા શર્મા?
આજે તમે ચિંતિત રહેશો, કામના મોરચે અડચણો આવશે
આજે તમે ચિંતિત રહેશો, કામના મોરચે અડચણો આવશે
ગુજરાત પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા
ગુજરાત પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
g clip-path="url(#clip0_868_265)">