AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: Atiq Ahmed Murder: અતીક-અશરફની સુરક્ષામાં તૈનાત તમામ 19 પોલીસ કર્મચારી ભૂર્ગભમાં

માફિયા ભાઈઓ અતીક અહેમદ અને અશરફ અહેમદને રવિવારે રાત્રે કડક પોલીસ સુરક્ષા વચ્ચે કસારી મસારી કબ્રસ્તાનમાં દફનાવવામાં આવ્યા હતા. આ દરમિયાન અતીકના બંને સગીર પુત્રો અહજમ અને અબાન હાજર રહ્યા હતા.

Breaking News: Atiq Ahmed Murder: અતીક-અશરફની સુરક્ષામાં તૈનાત તમામ 19 પોલીસ કર્મચારી ભૂર્ગભમાં
| Updated on: Apr 17, 2023 | 1:11 PM
Share

અતીક-અશરફની સુરક્ષામાં તૈનાત તમામ 19 પોલીસ કર્મચારી જ ભાગી ગયા છે. જાણકારી મુજબ 19 પોલીસ કર્મચારી અતીક-અશરફને મેડિકલ કરાવવા લઈને ગયા હતા. તેમને પોલીસ સ્ટેશનની ડ્યૂટી પરથી હટાવી દેવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે શનિવારે રાત્રે જ 3 હુમલાખોરોએ અતીક અહેમદ અને તેના ભાઈ અશરફ અહેમદની પોલીસની સામે જ હત્યા કરી નાખી હતી અને ત્યારબાદ ત્રણે હુમલાખોરોએ જય શ્રી રામના નારા લગાવ્યા હતા અને પોલીસ સામે આત્મસમર્પણ કર્યુ હતું.

અતીક-અશરફને દફનાવવામાં આવ્યા

માફિયા ભાઈઓ અતીક અહેમદ અને અશરફ અહેમદને રવિવારે રાત્રે કડક પોલીસ સુરક્ષા વચ્ચે કસારી મસારી કબ્રસ્તાનમાં દફનાવવામાં આવ્યા હતા. આ દરમિયાન અતીકના બંને સગીર પુત્રો અહજમ અને અબાન હાજર રહ્યા હતા. બીજી તરફ અશરફની પત્ની અને તેની બે પુત્રીઓ પણ હાજર હતી.

એસઆરએન હોસ્પિટલમાં અતીક અને અશરફ અહેમદનું પોસ્ટમોર્ટમ થતાં જ સાંજે જ બંનેના મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યા હતા. ત્યાંથી ભારે પોલીસ બંદોબસ્ત સાથે પરિવાર અતીક અને અશરફના મૃતદેહને લઈને કસારી મસારી કબ્રસ્તાન ખાતે સોંપણી માટે પહોંચ્યા હતા.

આ પણ વાંચો: ગુડ્ડુ મુસ્લિમ ક્યાં છે? હત્યા પહેલા અશરફે લીધું હતું નામ, UP ATF અલગ-અલગ રાજ્યમાં પાડી રહી છે દરોડા

ત્રણ સભ્યના ન્યાયિક તપાસ પંચની રચના

શનિવારે રાત્રે પ્રયાગરાજમાં માફિયા ભાઈઓ અતીક અહેમદ અને તેના ભાઈ અશરફની હત્યાનો કેસ નોંધવામાં આવ્યો છે. આ કેસ ધુમાનગંજ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો છે. બીજી તરફ આ ઘટનાની તપાસ માટે રાજ્ય સરકારે ન્યાયિક તપાસ પંચની રચના કરી છે. આ ત્રણ સભ્યોના ન્યાયિક તપાસ પંચે 60 દિવસમાં તેનો તપાસ રિપોર્ટ દાખલ કરવાનો રહેશે.

આ અંગેની માહિતી પ્રયાગરાજ કમિશનરેટ ઓફિસ દ્વારા રવિવારે બપોરે આપવામાં આવી હતી. મળતી માહિતી મુજબ ગૃહ વિભાગ દ્વારા કમિશન ઓફ ઈન્ક્વાયરી એક્ટ-1952 હેઠળ ન્યાયિક તપાસ પંચની રચના કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 2 મહિનામાં તપાસ પૂર્ણ કરીને રિપોર્ટ સબમિટ કરવાની જવાબદારી કમિશનની રહેશે.

આ રિપોર્ટ ઉત્તર પ્રદેશ રાજ્ય સરકારને સુપરત કરવામાં આવશે. તપાસ પંચે નક્કી કરવાનું રહેશે કે ઘટનામાં ક્યાં અને કયા તબક્કે ક્ષતિ રહી છે. શું આ ઘટનાને અટકાવી શકાઈ હોત? ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થવું જોઈએ. આ સંબંધમાં તપાસ પંચ પણ રિપોર્ટમાં પોતાની સલાહ આપી શકે છે.

દેશ અને દુનિયાના તાજા સમાચાર ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર 

 દેશ સાથે જોડાયેલા તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો…

Follow Us
આજના રાશિફળમાં જાણો કઈ રાશિના ઘરમાં આવશે નવા મહેમાન
આજના રાશિફળમાં જાણો કઈ રાશિના ઘરમાં આવશે નવા મહેમાન
અમદાવાદ: લારી જપ્ત થતા મહિલાનો AMC કચેરીએ હંગામો
અમદાવાદ: લારી જપ્ત થતા મહિલાનો AMC કચેરીએ હંગામો
અમદાવાદમાં પાણીપુરીની લારીઓ પર કોર્પોરેશન લગાવશે QR કોડ
અમદાવાદમાં પાણીપુરીની લારીઓ પર કોર્પોરેશન લગાવશે QR કોડ
ભલે ને હોય અલ નીનો, ગુજરાતમાં તો સારું જ રહેવાનું છે ચોમાસુ-જુઓ Video
ભલે ને હોય અલ નીનો, ગુજરાતમાં તો સારું જ રહેવાનું છે ચોમાસુ-જુઓ Video
BJPનો ઉમેદવાર હારતા સરકારી ગ્રાન્ટમાંથી નાખેલી સોલાર લાઈટો ઉતારી લેવાઈ
BJPનો ઉમેદવાર હારતા સરકારી ગ્રાન્ટમાંથી નાખેલી સોલાર લાઈટો ઉતારી લેવાઈ
એક નિર્ણય અને ભડક્યા વકીલો! ગુજરાતના આ જિલ્લામાં શું ચાલી રહ્યું છે?
એક નિર્ણય અને ભડક્યા વકીલો! ગુજરાતના આ જિલ્લામાં શું ચાલી રહ્યું છે?
ઝઘડિયાની મેટ્રોપોલિટન એક્ઝિકેમ દુર્ઘટનામાં માનવ અધિકાર આયોગનો સુઓમોટો
ઝઘડિયાની મેટ્રોપોલિટન એક્ઝિકેમ દુર્ઘટનામાં માનવ અધિકાર આયોગનો સુઓમોટો
અંબાલાલ પટેલની મોટી આગાહી! આ તારીખે પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરુ થશે
અંબાલાલ પટેલની મોટી આગાહી! આ તારીખે પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરુ થશે
AI અને ડીપફેકથી અમદાવાદમાં મોટું સાયબર કૌભાંડ, 4 આરોપી ઝડપાયા
AI અને ડીપફેકથી અમદાવાદમાં મોટું સાયબર કૌભાંડ, 4 આરોપી ઝડપાયા
મહીસાગરના બાલાસિનોર ST બસ ડેપોમાં બસની ફિલ્મી ઢબે ચોરી
મહીસાગરના બાલાસિનોર ST બસ ડેપોમાં બસની ફિલ્મી ઢબે ચોરી
g clip-path="url(#clip0_868_265)">