આત્મનિર્ભર ભારત અભિયાન: મનરેગાના બજેટમાં 40 ટકાનો વધારો, જાણો આજે કઈ કઈ મોટી જાહેરાત સરકારે કરી?
આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત 20 લાખ કરોડ રુપિયાની ફાળવણી ભારતને ગતિ આપવા માટે કરવામાં આવી છે. આ અંગે સતત 4 દિવસથી નાણામંત્રી પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી આપી રહ્યાં છે. આજે નિર્મલા સિતારમણ આત્મનિર્ભર ભારત અભિયાનનો રોડમેપ લોકોને જાણકારી આપી રહ્યાં છે. ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર ટેક્નોલોજીના માધ્યમથી 8.19 કરોડ ખેડૂતોના ખાતામાં સીધા જ 2-2 હજાર રુપિયા […]
આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત 20 લાખ કરોડ રુપિયાની ફાળવણી ભારતને ગતિ આપવા માટે કરવામાં આવી છે. આ અંગે સતત 4 દિવસથી નાણામંત્રી પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી આપી રહ્યાં છે. આજે નિર્મલા સિતારમણ આત્મનિર્ભર ભારત અભિયાનનો રોડમેપ લોકોને જાણકારી આપી રહ્યાં છે. ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર ટેક્નોલોજીના માધ્યમથી 8.19 કરોડ ખેડૂતોના ખાતામાં સીધા જ 2-2 હજાર રુપિયા મોકલવામાં આવ્યા. દેશના 20 કરોડ જનધન ખાતામાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરની મદદથી 500-500 રુપિયા મોકલવામાં આવ્યા. ઉજ્જવલા યોજના અંતગર્ત 6.81 કરોડ લાખ રસોઈ ગેસધારકોને મફત સિલિન્ડર આપવામાં આવ્યો. આજે લેન્ડ, લિક્વિડીટી, લેબર અને લો પર ફોકસ કરવામાં આવશે. 2.20 કરોડ બાંધકામ મજૂરોના ખાતામાં સીધા જ પૈસા મોકલવામાં આવ્યા.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
જાણો કઈ કઈ મોટી જાહેરાત આજે સરકારે કરી?
- સ્વાસ્થ્ય વિભાગને 15 હજાર કરોડ રુપિયાની મદદ કરવામાં આવી.
- ટેસ્ટ કિટ માટે 550 કરોડ રુપિયાની ફાળવણી કરવામાં આવી.
- કોરોના યોદ્ધાઓ માટે 50 લાખ રુપિયાના વીમા કવચની જાહેરાત કરવામાં આવી.
- વિધવા પેન્શન અંતર્ગત 2800 કરોડ ફાળવવામાં આવ્યા છે.
Technology-driven education to be the focus- PM eVIDYa programme for multi-mode access to digital/online education to be launched immediately. Top 100 universities will be permitted to automatically start online courses by 30th May 2020: FM @nsitharaman #TV9News pic.twitter.com/F0PzjLvsz9
— tv9gujarati (@tv9gujarati) May 17, 2020
- કોર્પોરેટ સહિતની મોટી કંપનીઓને નિયમ પાલનમાં લોકડાઉનના લીધે વિશેષ છૂટ આપવામાં આવી.
- ઓનલાઈન એજ્યુકેશનને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. પહેલાં જે 3 ચેનલ હતી અને હવે નવી 12 ચેનલ શરૂ કરવામાં આવી છે. લાઈવ ઈન્ટરેક્ટિવ ચેનલ લાવવામાં આવી રહ્યું છે અને તેના પર કામ થઈ રહ્યું છે. રાજ્યોથી વિનંતીથી કરવામાં આવી રહી છે તેઓ 4 કલાકનું કન્ટેન્ટ આપે છે ચેનલ પર બતાવી શકાય.
- કેન્દ્ર સરકારે ગ્રામીણ ક્ષેત્રોમાં લોકોને રોજગાર મળી રહે તે મનરેગાના બજેટમાં વધારો કર્યો છે. બજેટમાં 40 હજાર કરોડ રુપિયાનો વધારો કરવામાં આવ્યો છે. પહેલાં આ બજેટ 61 હજાર કરોડ રુપિયાનું હતું.
The government will now allocate an additional Rs 40,000 crores to MGNREGS to provide employment boost: Finance Minister Nirmala Sitharaman@nsitharaman#TV9News pic.twitter.com/i0XRoAVl3z
— tv9gujarati (@tv9gujarati) May 17, 2020
- સરકાર ઓનલાઈન શિક્ષણ પર ભાર મુકી રહી છે અને તેના લીધે દરેક ધોરણ માટે એક ચેનલ હશે. ધો.12 માટે એક નવી ચેનલ ચાલુ કરવામાં આવશે.
- હેલ્થ સેક્ટરમાં તમામ જિલ્લામાં સંક્રમણના રોગોની સારવાર થઈ શકે તે માટે હોસ્પિટલ ઉભી કરાશે અને ટેસ્ટની ફેસિલીટી પણ હશે.
- જ્યારે કંપનીઓ દેવુ ના ચૂકવી શકે ત્યારે તેને નાદાર જાહેર કરવામાં આવે છે. સરકારે આ પ્રક્રિયામાંથી સરકારે રાહત આપી છે. એકવર્ષ સુધી કોઈ જ કંપની પર કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે નહીં.
- જાહેર સાહસોની નીતિમાં સરકારે બદલાવ કર્યો છે. સરકારની એવો પ્રયત્ન રહેશે કે તમામ રણનીતિક સેક્ટરમાં ઓછામાં ઓછી એક પબ્લિક સેક્ટરની કંપની રહે. સરકાર પ્રાઈવેટ સેક્ટરની કંપનીઓને પણ મંજૂરી આપશે. અન્ય સેક્ટરમાં પીએસયુ કંપનીઓનો વિલય કરાશે.
- રિઝર્વ બેંક દ્વારા રાજ્યોની પૈસા આપવાની લિમિટમાં વધારો કરવામાં આવ્યો છે. લિમિટ 60 સુધી વધારવામાં આવી છે જ્યારે રાજ્યોએ 14 ટકા સુધી જ પૈસા રિઝર્વ બેંક પાસેથી લીધા છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]