આજથી શરૂ થશે આર્મી કમાન્ડરોની કોન્ફરન્સ, સરહદ સુરક્ષા અને રશિયા-યુક્રેન યુદ્ધની સંભવિત અસરોની થશે સમીક્ષા

અધિકારીઓએ રવિવારે આ જાણકારી આપી. તેમણે કહ્યું કે આ સમય દરમિયાન સેનાના ટોચના કમાન્ડરો સેનાની ક્ષમતા વિકાસ અને 1.3 મિલિયન મજબૂત દળની ઓપરેશનલ તૈયારીઓને વેગ આપવા માટે ચોક્કસ યોજનાઓ પર પણ ધ્યાન કેન્દ્રિત કરશે.

આજથી શરૂ થશે આર્મી કમાન્ડરોની કોન્ફરન્સ, સરહદ સુરક્ષા અને રશિયા-યુક્રેન યુદ્ધની સંભવિત અસરોની થશે સમીક્ષા
File Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 18, 2022 | 10:12 AM

સોમવારથી એટલે કે આજથી દિલ્હીમાં સેનાની પાંચ દિવસીય કોન્ફરન્સ શરૂ થશે. આમાં સેનાના ટોચના કમાન્ડર ચીન અને પાકિસ્તાન (Pakistan) સાથેની સરહદો પર ભારતના રાષ્ટ્રીય સુરક્ષા પડકારોની વ્યાપક સમીક્ષા કરશે. આ સાથે ભારતીય ક્ષેત્રમાં રશિયન-યુક્રેન યુદ્ધની (Russia Ukraine Crisis) કોઈપણ સંભવિત અસરોનું પણ મૂલ્યાંકન કરવામાં આવશે. દિલ્હીમાં યોજાનારી આ કોન્ફરન્સ 18થી 22 એપ્રિલ દરમિયાન યોજાશે. આ કોન્ફરન્સની અધ્યક્ષતા આર્મી ચીફ જનરલ એમએમ નરવણે (Army chief General Manoj Mukund Naravane) કરશે. આર્મી કમાન્ડર્સ કોન્ફરન્સ એ સર્વોચ્ચ સ્તરની ઈવેન્ટ છે, જે દર વર્ષે એપ્રિલ અને ઓક્ટોબરમાં બે વાર યોજાય છે. આ કોન્ફરન્સમાં ભારતીય સેના માટે મહત્વના નીતિ વિષયક નિર્ણયો પર ચર્ચા કરવામાં આવે છે અને તેનો અમલ કરવામાં આવે છે.

અધિકારીઓએ રવિવારે આ જાણકારી આપી. તેમણે કહ્યું કે આ સમય દરમિયાન સેનાના ટોચના કમાન્ડરો સેનાની ક્ષમતા વિકાસ અને 1.3 મિલિયન મજબૂત દળની ઓપરેશનલ તૈયારીઓને વેગ આપવા માટે ચોક્કસ યોજનાઓ પર પણ ધ્યાન કેન્દ્રિત કરશે. તેની સાથે જ સંભવિત અસરોનું મૂલ્યાંકન કરવા માટે વિગતવાર પરામર્શનું આયોજન કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે આર્મીના કમાન્ડરો પૂર્વ લદ્દાખમાં ચીન સાથેના સૈન્ય અવરોધને ધ્યાનમાં રાખીને 3,400 કિલોમીટર લાંબી વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર ભારતની સૈન્ય તૈયારીઓની વ્યાપક સમીક્ષા પણ કરશે.

ઈન્સ્યોરન્સ ફંડના બોર્ડ ઓફ ગવર્નર્સની બેઠક યોજાઈ

અધિકારીઓએ જણાવ્યું હતું કે પાંચ દિવસીય સંમેલનમાં જમ્મુ અને કાશ્મીરમાં આંતકવાદ વિરોધી અભિયાન સાથે કેન્દ્રશાસિત પ્રદેશની એકંદર પરિસ્થિતિ પર વ્યાપકપણે ચર્ચા કરવામાં આવશે. ઉપરાંત, એવી અપેક્ષા છે કે 21 એપ્રિલે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ સોમવારથી યોજાનારી આ કોન્ફરન્સમાં વરિષ્ઠ સૈન્ય કમાન્ડરો સાથે વાતચીત કરી શકે છે. તેઓ પરિષદને સંબોધશે તેવી પણ અપેક્ષા છે. આર્મીએ તેના નિવેદનમાં જણાવ્યું હતું કે આ પરિષદમાં પ્રાદેશિક કમાન્ડો દ્વારા સૂચવવામાં આવેલા વિવિધ એજન્ડાઓમાં વરિષ્ઠ કમાન્ડરોની કાર્યવાહીમાં સુધારો, નાણાકીય વ્યવસ્થાપન, ઈ-વાહનોની રજૂઆત અને દરખાસ્તોનો સમાવેશ થશે. ભારતીય સેનામાં ડિજીટલાઈઝેશન પર પણ ચર્ચા થશે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

આ દરમિયાન આર્મી વેલ્ફેર એજ્યુકેશન સોસાયટી અને આર્મી ગ્રુપ ઈન્સ્યોરન્સ ફંડના બોર્ડ ઓફ ગવર્નર્સની બેઠકો યોજાશે. આ કોન્ફરન્સ ભારતીય સેનાના વરિષ્ઠ નેતૃત્વ માટે લશ્કરી બાબતોના વિભાગ અને સંરક્ષણ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ સાથે વાતચીત કરવા માટેનું એક ઔપચારિક મંચ પણ છે. આર્મી કમાન્ડરોની આ છેલ્લી કોન્ફરન્સ છે જે જનરલ નરવણેની અધ્યક્ષતામાં છે કારણ કે આર્મી ચીફ તરીકેનો તેમનો કાર્યકાળ આ મહિનાના અંત સુધીમાં સમાપ્ત થવાનો છે.

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

આ પણ વાંચો: લેખક-ગીતકાર પ્રફુલકરે 83 વર્ષની વયે દુનિયાને કહ્યું અલવિદા, PM મોદીએ શોક વ્યક્ત કર્યો

આ પણ વાંચો: શું ફરીથી નાગા ચૈતન્ય ઘોડે ચડવાની તૈયારીમાં ? અભિનેત્રી સામંથા સાથે 6 મહિના પહેલા થયા હતા છૂટાછેડા

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">