AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

લેખક-ગીતકાર પ્રફુલકરે 83 વર્ષની વયે દુનિયાને કહ્યું અલવિદા, PM મોદીએ શોક વ્યક્ત કર્યો

વડાપ્રધાન મોદીએ (PM Modi) લખ્યું કે, 'પ્રફુલ કરજીના નિધનથી દુઃખી, તેમને ઓડિસી સંસ્કૃતિ અને સંગીતમાં તેમના અગ્રેસર યોગદાન માટે હંમેશા યાદ કરવામાં આવશે.

લેખક-ગીતકાર પ્રફુલકરે 83 વર્ષની વયે દુનિયાને કહ્યું અલવિદા, PM મોદીએ શોક વ્યક્ત કર્યો
song writer prafulkar passed away
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 18, 2022 | 9:59 AM
Share

મહાન સંગીતકાર, ગાયક, લેખક અને ગીતકાર પ્રફુલકર (Prafulla Kar passed away) હવે આપણી વચ્ચે નથી રહ્યા. સુપ્રસિદ્ધ કલાકાર પ્રફુલ કરનું રવિવારે રાત્રે નિધન થયું છે.પરિવારના જણાવ્યા અનુસાર પ્રફુલકર (Prafulla Kar) તેની સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ સામે ઝઝૂમી રહ્યો હતા અને હૃદયરોગના હુમલાને કારણે તેનું મૃત્યુ થયું હતું. તમને જણાવી દઈએ કે, પ્રફુલકરને ઓડિસી સંસ્કૃતિના સંરક્ષક અને ગૃહસ્થ તરીકે ઓળખવામાં આવે છે. તેઓ ઓડિસી ઉદ્યોગમાં જાણીતા વ્યક્તિ હતા.

PM મોદીએ શોક વ્યક્ત કર્યો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra Modi) પણ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. આ સાથે ફિલ્મ જગતની (Film Industry) અનેક મોટી અને જાણીતી હસ્તીઓએ શોક વ્યક્ત કર્યો હતો. પોતાના ટ્વિટમાં શોક વ્યક્ત કરતા વડાપ્રધાન મોદીએ લખ્યું કે, ‘પ્રફુલ કરજીના નિધનથી દુઃખી, તેમને ઓડિયા સંસ્કૃતિ અને સંગીતમાં તેમના અગ્રેસર યોગદાન માટે હંમેશા યાદ કરવામાં આવશે. તેઓ બહુમુખી વ્યક્તિત્વથી સંપન્ન હતા અને તેમની રચનાત્મકતા તેમના કામમાં દેખાતી હતી. આ સાથે PM એ તેમના પરિવાર અને ચાહકો પ્રત્યે સંવેદના પણ વ્યક્ત કરી હતી.

સિકંદર આલમ મેમોરિયલ એવોર્ડથી પણ સન્માનિત

તેમના અંતિમ સંસ્કાર સોમવારના રોજ સ્વર્ગદ્વાર ખાતે કરવામાં આવશે તેવું જાણવા મળી રહ્યુ છે. કરના પરિવારમાં તેમની પત્ની મનોરમા કર અને તેમના ત્રણ બાળકો મહાપ્રસાદ કર, સંધ્યાદીપ કર અને મહાદીપ કર છે.તમને જણાવી દઈએ કે, પ્રફુલ કરનો જન્મ 16 ફેબ્રુઆરી, 1939ના રોજ થયો હતો. 2015 માં તેમને કલામાં તેમના યોગદાન માટે, પદ્મશ્રી, ચોથો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. તે બાદ જયદેવ એવોર્ડ વિજેતાને 2019 માં મુખ્યમંત્રી નવીન પટનાયક દ્વારા બીજા સિકંદર આલમ મેમોરિયલ એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.એટલું જ નહીં, પ્રફુલકરે 70 થી વધુ ફિલ્મોમાં પોતાનું સંગીત આપ્યું છે. આ ઉપરાંત તેણે સેંકડો ફિલ્મ, રેડિયો અને મ્યુઝિક આલ્બમ માટે ગીતોને પોતાનો અવાજ આપ્યો હતો.

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

આ પણ વાંચો : Iftar Party : બાબા સિદ્દીકીની ઈફ્તાર પાર્ટીમાં સલમાન, શાહરૂખ સહિત આ બોલિવૂડ સેલિબ્રિટીઓ થયા સામેલ, જુઓ PHOTOS

Follow Us
અમદાવાદમાં CG રોડ પર અકસ્માત અને મારપીટ, બુટલેગરનો પૌત્ર ઝડપાયો
અમદાવાદમાં CG રોડ પર અકસ્માત અને મારપીટ, બુટલેગરનો પૌત્ર ઝડપાયો
નેતાઓની હાજરીમાં ભાવનગરના લઠ્ઠકાંડ મામલે રાજભા ગઢવીએ કરી આ ટિપ્પણી
નેતાઓની હાજરીમાં ભાવનગરના લઠ્ઠકાંડ મામલે રાજભા ગઢવીએ કરી આ ટિપ્પણી
GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ
GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
મહેસાણામાં વિકાસ કામોની ગુણવત્તા પર રહેશે મનપાની સીધી નજર
મહેસાણામાં વિકાસ કામોની ગુણવત્તા પર રહેશે મનપાની સીધી નજર
રાજકોટ લોકમેળામાં રાઈડ્સ બંધ થતાં સંચાલકોમાં મૂંઝવણ, માત્ર 8ને મંજૂરી
રાજકોટ લોકમેળામાં રાઈડ્સ બંધ થતાં સંચાલકોમાં મૂંઝવણ, માત્ર 8ને મંજૂરી
g clip-path="url(#clip0_868_265)">