AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દિલ્હીમાં થશે ભાજપની ‘મહાબેઠક’, PM મોદી સહિત અનેક કેબિનેટ મંત્રીઓ સામેલ થશે, 300 નેતાઓ રહેશે હાજર, આ છે બેઠકનો એજન્ડા

આ બેઠકમાં આગામી વિધાનસભા (Vidhansabha)ની ચૂંટણીમાં ભાજપ (Bjp Election Campaign)ની રણનીતિ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે તેવી ચર્ચા રાજકીય વર્તુળોમાં થઈ રહી છે

દિલ્હીમાં થશે ભાજપની 'મહાબેઠક', PM મોદી સહિત અનેક કેબિનેટ મંત્રીઓ સામેલ થશે, 300 નેતાઓ રહેશે હાજર, આ છે બેઠકનો એજન્ડા
BJP's 'grand meeting' to be held in Delhi
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 03, 2021 | 1:58 PM
Share

BJP Meeting: ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રીય કાર્ય સમિતિની બેઠક દિલ્હીના NDMC કન્વેન્શન સેન્ટરમાં યોજાવા જઈ રહી છે. આગામી ચૂંટણી પહેલા યોજાઈ રહેલી આ બેઠકને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. આ બેઠકમાં આગામી વિધાનસભા (Vidhansabha)ની ચૂંટણીમાં ભાજપ (Bjp Election Campaign)ની રણનીતિ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે તેવી ચર્ચા રાજકીય વર્તુળોમાં થઈ રહી છે.

માહિતી અનુસાર, આ બેઠક 7 નવેમ્બરના રોજ સવારે 9.30 વાગ્યાથી શરૂ થઈને સાંજે 4.30 વાગ્યા સુધી ચાલશે. ભાજપની આ એક દિવસીય રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠક (National Working Committee)પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડાના ભાષણથી શરૂ થશે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંબોધન સાથે સમાપ્ત થશે. 

બેઠકમાં કોણ હાજરી આપશે?

આ બેઠકમાં ભારતીય જનતા પાર્ટીના 300 જેટલા નેતાઓ હાજર રહેશે, જ્યારે તમામ રાજ્યોમાંથી પ્રદેશ અધ્યક્ષ, સંગઠન મંત્રીઓ અને રાષ્ટ્રીય કાર્યકારિણીના સભ્યો વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા પાર્ટીના પ્રદેશ કાર્યાલય સાથે સામૂહિક રીતે જોડાશે. એકંદરે મીટીંગનું ફોર્મેટ ઓનલાઈન અને ઓફલાઈન બંને પ્રકારનું હશે. દિલ્હીમાં NDMC કન્વેન્શન સેન્ટરમાં રાષ્ટ્રીય પદાધિકારીઓ, રાષ્ટ્રીય કાર્યકારિણીના સભ્યો, કેન્દ્રીય મંત્રીઓ ભાગ લેશે.

આ સાથે દિલ્હી રાજ્યની રાષ્ટ્રીય કાર્યકારિણીના સભ્યો પણ બેઠકમાં હાજરી આપશે.શું છે બેઠકનો એજન્ડા? બેઠકનો મુખ્ય એજન્ડા ચૂંટણી તૈયારી પર ચર્ચા છે. આ બેઠકમાં પાર્ટી અધ્યક્ષનું ભાષણ થશે, ત્યારબાદ આગામી વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ પર ચર્ચા કરવામાં આવશે. આ સાથે એક પ્રસ્તાવ પણ લાવવામાં આવશે જેમાં તમામ રાજકીય મુદ્દાઓ, આર્થિક અને વિદેશ નીતિના મુદ્દાઓને સામેલ કરવામાં આવશે. આ દરખાસ્તમાં તમામ તાત્કાલિક વિષયોનો સમાવેશ કરવામાં આવશે. 

વિષયના નિષ્ણાતોનું માનવું છે કે ખેડૂતોના પ્રશ્નો, કોરોના સામે પક્ષ અને સરકારની લડાઈ અને વર્તમાન આર્થિક મુદ્દાઓ જેવા તમામ મુદ્દાઓને એક પ્રસ્તાવમાં સામેલ કરવામાં આવશે. આ ઉપરાંત પાર્ટીના વિસ્તરણના આગામી કાર્યક્રમો અંગે પણ ચર્ચા કરવામાં આવશે. 

તમને જણાવી દઈએ કે ભારતીય જનતા પાર્ટીએ ઉત્તર પ્રદેશ, ગોવા, પંજાબ, મણિપુર અને ઉત્તરાખંડમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ કરી લીધી છે. પાર્ટી હાઈકમાન્ડ આ રાજ્યોમાં સતત રેલીઓ કરી રહી છે. કાર્યકરો બૂથ લેવલ સુધી તૈયારીમાં વ્યસ્ત છે. સરકારના કામોને લોકો સુધી પહોંચાડવા ભાજપ સતત કાર્યકર્તા સંમેલનો પણ કરી રહી છે. આવી સ્થિતિમાં 7 નવેમ્બરે યોજાનારી આ બેઠકને ચૂંટણીની તૈયારીની દૃષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

Follow Us
સાંજના સમયે થશે અચાનક આર્થિક લાભ, બાળકોની સિદ્ધિથી પરિવારમાં ખુશી
સાંજના સમયે થશે અચાનક આર્થિક લાભ, બાળકોની સિદ્ધિથી પરિવારમાં ખુશી
મહુવા હોસ્પિટલની બેદરકારી, દિવાલની ટાઈલ્સ તૂટીને બેડ પર પડી
મહુવા હોસ્પિટલની બેદરકારી, દિવાલની ટાઈલ્સ તૂટીને બેડ પર પડી
રાજકોટ સિવિક સેન્ટરમાં જન્મ મરણના દાખલા માટે થયો હોબાળો
રાજકોટ સિવિક સેન્ટરમાં જન્મ મરણના દાખલા માટે થયો હોબાળો
બે મહિલા પોલીસકર્મી લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ
બે મહિલા પોલીસકર્મી લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ
ટેકાના ભાવે 3500 કિલો બાજરી, 2500 કિલો મકાઈ, 1700 કિલો જુવાર ખરીદશે
ટેકાના ભાવે 3500 કિલો બાજરી, 2500 કિલો મકાઈ, 1700 કિલો જુવાર ખરીદશે
ભાજપ નેતાની 7 કરોડની જમીન ખાલસા કરવાનો કલેકટરનો આદેશ
ભાજપ નેતાની 7 કરોડની જમીન ખાલસા કરવાનો કલેકટરનો આદેશ
28 વર્ષ બાદ મમતા બેનર્જીની કોંગ્રેસમાં વાપસીની શક્યતા
28 વર્ષ બાદ મમતા બેનર્જીની કોંગ્રેસમાં વાપસીની શક્યતા
હિંમતનગરના પોશ વિસ્તારમાં ટ્યુશન ક્લાસિસની નીચેથી ઝડપાયો દારૂનો જથ્થો
હિંમતનગરના પોશ વિસ્તારમાં ટ્યુશન ક્લાસિસની નીચેથી ઝડપાયો દારૂનો જથ્થો
સુરતના ડીમોલેશન પહેલાના CCTV સામે આવ્યા
સુરતના ડીમોલેશન પહેલાના CCTV સામે આવ્યા
જામા મસ્જિદના ભોંયરામાં મૂર્તિઓ હોવાનો સ્વામી મુક્તાનંદનો દાવો
જામા મસ્જિદના ભોંયરામાં મૂર્તિઓ હોવાનો સ્વામી મુક્તાનંદનો દાવો
g clip-path="url(#clip0_868_265)">