AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દિલ્હીમાં થશે ભાજપની ‘મહાબેઠક’, PM મોદી સહિત અનેક કેબિનેટ મંત્રીઓ સામેલ થશે, 300 નેતાઓ રહેશે હાજર, આ છે બેઠકનો એજન્ડા

આ બેઠકમાં આગામી વિધાનસભા (Vidhansabha)ની ચૂંટણીમાં ભાજપ (Bjp Election Campaign)ની રણનીતિ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે તેવી ચર્ચા રાજકીય વર્તુળોમાં થઈ રહી છે

દિલ્હીમાં થશે ભાજપની 'મહાબેઠક', PM મોદી સહિત અનેક કેબિનેટ મંત્રીઓ સામેલ થશે, 300 નેતાઓ રહેશે હાજર, આ છે બેઠકનો એજન્ડા
BJP's 'grand meeting' to be held in Delhi
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 03, 2021 | 1:58 PM
Share

BJP Meeting: ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રીય કાર્ય સમિતિની બેઠક દિલ્હીના NDMC કન્વેન્શન સેન્ટરમાં યોજાવા જઈ રહી છે. આગામી ચૂંટણી પહેલા યોજાઈ રહેલી આ બેઠકને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. આ બેઠકમાં આગામી વિધાનસભા (Vidhansabha)ની ચૂંટણીમાં ભાજપ (Bjp Election Campaign)ની રણનીતિ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે તેવી ચર્ચા રાજકીય વર્તુળોમાં થઈ રહી છે.

માહિતી અનુસાર, આ બેઠક 7 નવેમ્બરના રોજ સવારે 9.30 વાગ્યાથી શરૂ થઈને સાંજે 4.30 વાગ્યા સુધી ચાલશે. ભાજપની આ એક દિવસીય રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠક (National Working Committee)પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડાના ભાષણથી શરૂ થશે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંબોધન સાથે સમાપ્ત થશે. 

બેઠકમાં કોણ હાજરી આપશે?

આ બેઠકમાં ભારતીય જનતા પાર્ટીના 300 જેટલા નેતાઓ હાજર રહેશે, જ્યારે તમામ રાજ્યોમાંથી પ્રદેશ અધ્યક્ષ, સંગઠન મંત્રીઓ અને રાષ્ટ્રીય કાર્યકારિણીના સભ્યો વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા પાર્ટીના પ્રદેશ કાર્યાલય સાથે સામૂહિક રીતે જોડાશે. એકંદરે મીટીંગનું ફોર્મેટ ઓનલાઈન અને ઓફલાઈન બંને પ્રકારનું હશે. દિલ્હીમાં NDMC કન્વેન્શન સેન્ટરમાં રાષ્ટ્રીય પદાધિકારીઓ, રાષ્ટ્રીય કાર્યકારિણીના સભ્યો, કેન્દ્રીય મંત્રીઓ ભાગ લેશે.

આ સાથે દિલ્હી રાજ્યની રાષ્ટ્રીય કાર્યકારિણીના સભ્યો પણ બેઠકમાં હાજરી આપશે.શું છે બેઠકનો એજન્ડા? બેઠકનો મુખ્ય એજન્ડા ચૂંટણી તૈયારી પર ચર્ચા છે. આ બેઠકમાં પાર્ટી અધ્યક્ષનું ભાષણ થશે, ત્યારબાદ આગામી વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ પર ચર્ચા કરવામાં આવશે. આ સાથે એક પ્રસ્તાવ પણ લાવવામાં આવશે જેમાં તમામ રાજકીય મુદ્દાઓ, આર્થિક અને વિદેશ નીતિના મુદ્દાઓને સામેલ કરવામાં આવશે. આ દરખાસ્તમાં તમામ તાત્કાલિક વિષયોનો સમાવેશ કરવામાં આવશે. 

વિષયના નિષ્ણાતોનું માનવું છે કે ખેડૂતોના પ્રશ્નો, કોરોના સામે પક્ષ અને સરકારની લડાઈ અને વર્તમાન આર્થિક મુદ્દાઓ જેવા તમામ મુદ્દાઓને એક પ્રસ્તાવમાં સામેલ કરવામાં આવશે. આ ઉપરાંત પાર્ટીના વિસ્તરણના આગામી કાર્યક્રમો અંગે પણ ચર્ચા કરવામાં આવશે. 

તમને જણાવી દઈએ કે ભારતીય જનતા પાર્ટીએ ઉત્તર પ્રદેશ, ગોવા, પંજાબ, મણિપુર અને ઉત્તરાખંડમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ કરી લીધી છે. પાર્ટી હાઈકમાન્ડ આ રાજ્યોમાં સતત રેલીઓ કરી રહી છે. કાર્યકરો બૂથ લેવલ સુધી તૈયારીમાં વ્યસ્ત છે. સરકારના કામોને લોકો સુધી પહોંચાડવા ભાજપ સતત કાર્યકર્તા સંમેલનો પણ કરી રહી છે. આવી સ્થિતિમાં 7 નવેમ્બરે યોજાનારી આ બેઠકને ચૂંટણીની તૈયારીની દૃષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">