અબકી બાર…ભાજપને 370 બેઠક, તો NDAને 400 પાર કરાવીને જ રહેશે જનતા : PM મોદી
પીએમ મોદીએ કહ્યું કે આખો દેશ કહી રહ્યો છે કે આ વખતે 400ને પાર કરશે, ખડગેજી પણ કહી રહ્યા છે કે તે 400ને પાર કરશે. દેશનો મૂડ જ એવો છે કે જનતા આ વખતે ભાજપને 370 બેઠકો તો NDAને 400ને પાર જ કરાવીને રહેશે. પીએમે કહ્યું કે ગત વખત કરતા 100-125 વધુ સીટો વધુ મળશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે સંસદના નીચલા ગૃહ લોકસભાને સંબોધિત કરી રહ્યા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના સંબોધન પર આભાર પ્રસ્તાવ પર ગૃહને સંબોધિત કરતી વખતે પીએમ મોદીએ લોકસભામાં કોંગ્રેસ અને પર આકરા પ્રહારો કર્યા. તો PMએ એમ પણ કહ્યું કે ભારત અમારા ત્રીજા કાર્યકાળમાં ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે અને આ મોદીની ગેરંટી છે.
આખો દેશ કહી રહ્યો છે કે આ વખતે 400ને પાર
પીએમ મોદીએ કહ્યું કે આખો દેશ કહી રહ્યો છે કે આ વખતે 400ને પાર કરશે, ખડગેજી પણ કહી રહ્યા છે કે તે 400ને પાર કરશે. દેશનો મૂડ જ એવો છે કે જનતા આ વખતે ભાજપને 370 બેઠકો તો NDAને 400ને પાર જ કરાવીને રહેશે. પીએમે કહ્યું કે ગત વખત કરતા 100-125 વધુ સીટો વધુ મળશે.
કોંગ્રેસ પર નિશાન સાધ્યું
પીએમ મોદીએ કહ્યું કે વિપક્ષ લાંબા સમય સુધી વિપક્ષ જ રહેશે. કોંગ્રેસ ઘણા દાયકાઓ સુધી વિપક્ષમાં રહેશે. વિપક્ષના ઘણા લોકોએ પણ ચૂંટણી લડવાની હિંમત ગુમાવી દીધી છે. ઘણા લોકો પોતાની સીટ બદલવાનો પ્રયાસ કરી રહ્યા છે. ઘણા લોકો લોકસભાને બદલે રાજ્યસભામાં જવા માંગે છે. વિપક્ષના ઘણા લોકો લોકસભાની ચૂંટણી લડવા માંગતા નથી.