વરુણ ગાંધીએ ખેડૂતોનુ ફરીથી કર્યુ સમર્થન, ઈન્દિરા ગાંધીને ચેતવણી આપતા અટલ બિહારી વાજપેયીનો વીડિયો કર્યો શેર

ભાજપના સસંદસભ્ય વરુણ ગાંધીએ શેર કરેલા વીડિયોમાં અટલ બિહારી વાજપેયીને એમ કહેતા સાંભળવામાં આવ્યા હતા કે, "જો સરકાર ખેડૂતોને દબાવે, કાયદાઓનો દુરુપયોગ કરે અને શાંતિપૂર્ણ આંદોલનને દબાવી દે તો અમે ખેડૂતોના સંઘર્ષમાં જોડાવા અને તેમની સાથે ઉભા રહેવામાં અચકાતા નથી."

વરુણ ગાંધીએ ખેડૂતોનુ ફરીથી કર્યુ સમર્થન, ઈન્દિરા ગાંધીને ચેતવણી આપતા અટલ બિહારી વાજપેયીનો વીડિયો કર્યો શેર
BJP MP Varun Gandhi
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 14, 2021 | 3:43 PM

ભાજપના સાંસદ વરુણ ગાંધીએ (BJP MP Varun Gandhi) ફરી એકવાર પોતાની જ પાર્ટી સામે અવાજ ઉઠાવ્યો છે. પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના (Former Prime Minister Atal Bihari Vajpayee) જૂના વીડિયો દ્વારા તેમણે ખેડૂતોને ટેકો આપતી વખતે ભાજપને સલાહ આપી હતી. ગુરુવારે, તેમણે ટ્વિટર પર ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીના 1980 ના ભાષણની એક ટૂંકી વીડિયો ક્લિપ પોસ્ટ કરી હતી જેમાં તેમણે તત્કાલીન વડાપ્રધાન ઈન્દિરા ગાંધી (Indira Gandhi) સરકારને ખેડૂતો પર અત્યાચાર કરવા સામે ચેતવણી આપી હતી અને તેમને તેમનો ટેકો આપવા કહ્યું હતું.

ગાંધીએ ટ્વિટ કર્યું હતું કે, “મોટા દિલવાળા નેતાના સમજદાર શબ્દો …” મોદી સરકાર દ્વારા લાદવામાં આવેલા ત્રણ કૃષિ કાયદાઓ સામે આંદોલન કરતા ખેડૂતો પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરવામાં ભાજપના સાંસદો કાંઈ બોલી રહ્યા નથી. એવા સમયે વાજપેયીનું ભાષણ કેન્દ્ર સરકારને સંદેશ સ્વરુપે જોવામાં આવી રહ્યો છે. વીડિયો ક્લિપમાં વાજપેયી એક સભાને કહેતા સાંભળી શકાય છે કે ખેડૂતોને ડરાવી શકાય નહીં.

વીડિયોમાં અટલ બિહારી વાજપેયીને કહેતા સાંભળવામાં આવ્યા હતા કે, “જો સરકાર (ખેડૂતોને) દબાવે છે, કાયદાઓનો દુરુપયોગ કરે છે અને શાંતિપૂર્ણ આંદોલનને દબાવે છે, તો અમે ખેડૂતોના સંઘર્ષમાં જોડાવા અને તેમની સાથે ઉભા રહેવામાં અચકાતા નથી.” ભાજપના સાંસદ વરુણ ગાંધીએ ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીમાં કથિત રીતે ભાજપ નેતાઓ સાથે જોડાયેલા ચાર ખેડૂતોના મોત માટે જવાબદાર લોકો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. તેમને તાજેતરમાં જ ભાજપની રાષ્ટ્રીય કારોબારીમાંથી પડતા મૂકવામાં આવ્યા હતા, જે પીલીભીત સાંસદ સાથે પક્ષના નેતૃત્વની નારાજગીના સંકેત તરીકે જોવામાં આવ્યા હતા.

13 ઓક્ટોબર 1999 ના રોજ વાજપેયીએ ત્રીજી વખત ચાર્જ સંભાળ્યો. 13 ઓક્ટોબર 1999 ના રોજ, ભારત રત્ન અટલ બિહારી વાજપેયી ત્રીજી વખત ભારતના વડાપ્રધાન તરીકે ચૂંટાયા. હકીકતમાં, વર્ષ 1996 માં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં, ભાજપ દેશની સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી હતી અને પ્રથમ વખત વાજપેયીજીને વડાપ્રધાન બનાવવામાં આવ્યા હતા, પરંતુ તેમની સરકારને સંપૂર્ણ બહુમતી ન મળવાના કારણે 13 દિવસમાં પડી ગઈ હતી.

આ પછી, વર્ષ 1998 માં ફરીથી ચૂંટણી યોજાઈ. આ ચૂંટણીમાં પણ ભાજપ જીતી ગયું અને ફરી એકવાર અટલ બિહારી વાજપેયીને પીએમ બનાવવામાં આવ્યા. જો કે, આ સરકાર પણ જયલલિતાએ જોડાણ છોડ્યાના 13 મહિના પછી પડી. તે જ સમયે, ત્રીજી વખત ફરી એક વખત યોજાયેલી ચૂંટણીમાં, ભાજપ ફરીથી સત્તા પર આવ્યો અને આ વખતે અટલ બિહારી વાજપેયીએ તેમના પીએમનો કાર્યભાર સંભાળ્યો અને કાર્યકાળ પૂર્ણ કર્યો.

આ પણ વાંચોઃ ખેડૂતો માટે મોદી સરકારનો મોટો નિર્ણય, ખાતર પરની સબસિડીમાં વધારો કરવાનો નિર્ણય, ખેડૂતો પરનો આર્થિક બોજો ઘટશે

આ પણ વાંચોઃ સગાઇ તૂટવાનું ફોટોશૂટ ! લગ્ન પહેલા બોયફ્રેન્ડે ચીટિંગ કરી તો મહિલાએ તોડી નાખી સગાઇ, લાખોનો વેડિંગ ડ્રેસ ઝાડ પર લટકાવી છાંટ્યો કાળો રંગ

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">