અફઘાનિસ્તાનના કાબુલમાંથી ગુરુ ગ્રંથ સાહિબ સહિત રામાયણ, મહાભારત અને ભગવદ ગીતા ભારત લાવવામાં આવ્યા, સાથે 104 લોકોને પણ સુરક્ષિત લવાયા

શ્રી ગુરુ ગ્રંથ સાહિબજીને મહાવીર નગરના અર્જન દેવજી ગુરુદ્વારામાં લઈ જવામાં આવ્યા હતા જ્યારે હિન્દુ ધાર્મિક ગ્રંથોને ફરીદાબાદના અસામાઈ મંદિરમાં લઈ જવામાં આવ્યા હતા.

અફઘાનિસ્તાનના કાબુલમાંથી ગુરુ ગ્રંથ સાહિબ સહિત રામાયણ, મહાભારત અને ભગવદ ગીતા ભારત લાવવામાં આવ્યા, સાથે 104 લોકોને પણ સુરક્ષિત લવાયા
BJP Chief JP Nadda
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 10, 2021 | 8:05 PM

અફઘાનિસ્તાનની (Afghanistan) રાજધાની કાબુલમાં સ્થિત ઐતિહાસિક ગુરુદ્વારા અને મંદિરોમાં રાખવામાં આવેલા ધાર્મિક ગ્રંથોને સુરક્ષિત રીતે ભારત લાવવામાં આવ્યા છે. દિલ્હી પહોંચતા જ કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરી (Hardeep Singh Puri) અને બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ (JP Nadda) એરપોર્ટ પર પવિત્ર શ્રી ગુરુ ગ્રંથ સાહિબને માથ પર રાખ્યો હતો. આ વિશેષ વિમાન દ્વારા 10 ભારતીય નાગરિકો સહિત 104 લોકોને પણ લાવવામાં આવ્યા હતા.

ભારત સરકાર દ્વારા મોકલવામાં આવેલી વિશેષ ફ્લાઇટ દ્વારા 104 લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. એકસાથે અનેક પવિત્ર ધાર્મિક ગ્રંથો ભારતમાં લાવવામાં આવ્યા હતા. કાબુલથી (Kabul) શીખ પ્રતિનિધિ મંડળ આજે બપોરે કાબુલના ઐતિહાસિક ગુરુદ્વારામાં રાખવામાં આવેલા 3 ગુરુ ગ્રંથ સાહિબ લઈને આવ્યા હતા.

શ્રી ગુરુ ગ્રંથ સાહિબજીને મહાવીર નગરના અર્જન દેવજી ગુરુદ્વારામાં લઈ જવામાં આવ્યા હતા જ્યારે હિન્દુ ધાર્મિક ગ્રંથોને ફરીદાબાદના અસામાઈ મંદિરમાં લઈ જવામાં આવ્યા હતા. અફઘાનિસ્તાનના ઐતિહાસિક ગુરુદ્વારાઓમાંથી ત્રણ પવિત્ર શ્રી ગુરુ ગ્રંથ સાહિબ ઉપરાંત 5મી સદીના અસામાઈ મંદિરમાંથી રામાયણ, મહાભારત અને ભગવદ ગીતા સહિતના હિન્દુ ધાર્મિક ગ્રંથો પણ લાવવામાં આવ્યા હતા.

આજનું રાશિફળ તારીખ 17-05-2024
LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ
મુકેશ અંબાણીના Jioના નવા પ્લાને મચાવી ધૂમ, Netflix સહિત આ 15 OTTની ઍક્સેસ મળશે
પાકિસ્તાનમાં માહિરા સાથે થઈ બદતમીઝી, અજાણ્યા વ્યક્તિએ ફેંક્યો સામાન, હસીનાએ કહ્યું..
તમે અમીર બનવા માગતા હોવ તો વોરેન બફેટના આ 7 સરળ રસ્તા જાણી લો

ઓપરેશન દેવી શક્તિ હેઠળ વિશેષ વ્યવસ્થા ભારતે શુક્રવારે એક વિશેષ ચાર્ટર પ્લેન દ્વારા અફઘાનિસ્તાનની રાજધાની કાબુલથી 10 ભારતીય નાગરિકો સહિત 104 લોકોને બચાવ્યા હતા. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ જણાવ્યું હતું કે ભારતના ઓપરેશન દેવી શક્તિ હેઠળ ફ્લાઇટની વ્યવસ્થા કરવામાં આવી હતી. તાલિબાને (Taliban) 15 ઓગસ્ટના રોજ અફઘાનિસ્તાન પર કબજો કર્યા બાદ રાજકીય અસ્થિરતાની સ્થિતિ હતી અને મોટી સંખ્યામાં લોકોએ ત્યાંથી જવાનો પ્રયાસ કર્યો હતો. ભારતે ત્યાં ફસાયેલા ભારતીયોને બચાવવા માટે ઓપરેશન પણ શરૂ કર્યું હતું.

બચાવાયેલા લોકોમાં 9 બાળકોનો પણ સમાવેશ વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગ્ચીએ ટ્વિટ કર્યું, ‘ઓપરેશન દેવી શક્તિ હેઠળ, ભારત દ્વારા ગોઠવવામાં આવેલી એક વિશેષ કાર્ય એર ફ્લાઇટ કાબુલથી નવી દિલ્હી પહોંચી છે.’ જેમાં અફઘાન હિન્દુ-શીખ લઘુમતી સમુદાયના સભ્યોનો સમાવેશ થાય છે. બચાવી લેવામાં આવેલા લોકોમાં 3 શીશુ સહિત 9 બાળકોનો પણ સમાવેશ થાય છે.

આ પણ વાંચો : વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે સરયૂ કેનાલ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન, 14 લાખ હેક્ટર વિસ્તારને મળશે પાણી અને 29 લાખ ખેડૂતોને થશે ફાયદો

આ પણ વાંચો : VIDEO : પીપળાના પાન પર CDS જનરલ બિપિન રાવતની અદ્ભુત તસવીર, અનોખી શ્રદ્ધાંજલિનો વીડિયો થયો વાયરલ

Latest News Updates

આ ચાર રાશિના જાતકોને ધનલાભના સંકેત, અચાનક થશે ધનની વર્ષા
આ ચાર રાશિના જાતકોને ધનલાભના સંકેત, અચાનક થશે ધનની વર્ષા
રૂપાલા સામેનું ક્ષત્રિય આંદોલન હાલ સ્થગિત, રાજકોટમાં ભાજપ હારશે
રૂપાલા સામેનું ક્ષત્રિય આંદોલન હાલ સ્થગિત, રાજકોટમાં ભાજપ હારશે
એસ્ટ્રોન ચોકના નાળા પાસેથી યુવતીનો લટક્તી હાલતમાં મૃતદેહ મળ્યો - Video
એસ્ટ્રોન ચોકના નાળા પાસેથી યુવતીનો લટક્તી હાલતમાં મૃતદેહ મળ્યો - Video
આવકનો દાખલો મેળવવામાં અરજદારોને સરકારી કચેરીઓએ દિવસે દેખાડી દીધા તારા
આવકનો દાખલો મેળવવામાં અરજદારોને સરકારી કચેરીઓએ દિવસે દેખાડી દીધા તારા
સુરતમાં આવકના દાખલા માટે કચેરી બહાર લાગી લાંબી કતારો, અરજદારોને હાલાકી
સુરતમાં આવકના દાખલા માટે કચેરી બહાર લાગી લાંબી કતારો, અરજદારોને હાલાકી
ગુમ થયેલા 2 બાળકોને શોધવા માતા - પિતા બન્યા ભિક્ષુક !
ગુમ થયેલા 2 બાળકોને શોધવા માતા - પિતા બન્યા ભિક્ષુક !
સોશિયલ મીડિયાની લિંક દ્વારા ઠગાઈને અપાતો હતો અંજામ
સોશિયલ મીડિયાની લિંક દ્વારા ઠગાઈને અપાતો હતો અંજામ
સ્વામિનારાયણ પ્રોજેક્ટના નામે સુરતના ડોક્ટર સાથે કરોડોની ઠગાઇ
સ્વામિનારાયણ પ્રોજેક્ટના નામે સુરતના ડોક્ટર સાથે કરોડોની ઠગાઇ
પાકિસ્તાનના સાંસદે નેશનલ એસેમ્બલીમાં ભારતના કર્યા મ્હોફાંટ વખાણ, જાણો
પાકિસ્તાનના સાંસદે નેશનલ એસેમ્બલીમાં ભારતના કર્યા મ્હોફાંટ વખાણ, જાણો
રાજકોટમાં આવક અને જાતિના દાખલા મેળવવા ધોમધખતા તાપમાં લાગી લાંબી લાઈનો
રાજકોટમાં આવક અને જાતિના દાખલા મેળવવા ધોમધખતા તાપમાં લાગી લાંબી લાઈનો
g clip-path="url(#clip0_868_265)">