AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બિલ્કીસ કેસ : શાઝિયાના લેખ પર VHPએ ઉઠાવ્યો વાંધો, ભાજપને કહ્યું- સ્ટેન્ડ ક્લિયર કરો

VHPએ કહ્યું છે કે જેઓ ગુનેગારોનું સન્માન કરે છે તેમની સાથે VHPનો કોઈ સંબંધ નથી. આ દરમિયાન VHPએ પૂછ્યું છે કે શું આ લેખમાં જે મંતવ્યો છે તે શાઝિયાના અંગત મંતવ્યો છે કે પછી ભાજપનુ વલણ છે ?

બિલ્કીસ કેસ : શાઝિયાના લેખ પર VHPએ ઉઠાવ્યો વાંધો, ભાજપને કહ્યું- સ્ટેન્ડ ક્લિયર કરો
Shazia Ilmi (file photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 11, 2022 | 8:42 AM
Share

વિશ્વ હિંદુ પરિષદ (VHP) એ શનિવારે ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા શાઝિયા ઇલ્મીના (Shazia Ilmi) લેખની સખત નિંદા કરી હતી જેમાં તેણે લખ્યું હતું કે બિલ્કીસ બાનો (Bilkis Bano)ના ગેંગરેપમાં દોષિતોને VHP સભ્યો સન્માન આપે છે. PM નરેન્દ્ર મોદીની દયામાં તેમની કોઈ ભૂમિકા નથી. પ્રાપ્ત આ લેખ પર VHPએ કહ્યું છે કે, જેઓ ગુનેગારોનું સન્માન કરે છે તેમની સાથે VHPનો કોઈ સંબંધ નથી. આ દરમિયાન VHPએ પૂછ્યું છે કે શું આ લેખમાં જે મંતવ્યો વ્યક્ત કરાયા છે તે શાઝિયાના અંગત મંતવ્યો છે કે પછી ભાજપનું વલણ છે ?

વાસ્તવમાં, શુક્રવારે ઇન્ડિયન એક્સપ્રેસમાં પ્રકાશિત થયેલા એક લેખમાં, બીજેપી પ્રવક્તા શાઝિયા ઇલ્મીએ, બિલ્કીસ બાનો કેસમાં દોષિતોને નિર્દોષ જાહેર કરવા પર દુઃખ વ્યક્ત કરતા લખ્યું કે એક મહિલા હોવાને કારણે તેની “ન્યાયની ભાવના” સાથે દગો કરવામાં આવ્યો છે. હું આશ્ચર્યચકિત છું કે આટલો જઘન્ય અપરાધ કર્યા પછી પણ દોષિતો માત્ર 15 વર્ષમાં બચી જાય છે.” આ સાથે તેમણે લેખમાં સ્પષ્ટ કર્યું છે કે તેમની દયાને પીએમ મોદી સાથે કોઈ લેવાદેવા નથી.

ભાજપે પોતાનું વલણ સ્પષ્ટ કરવું જોઈએ

VHPના રાષ્ટ્રીય પ્રવક્તા પ્રવેશ કુમાર ચૌધરીએ મીડિયા સંસ્થાને પત્ર લખીને કહ્યું છે કે આ લેખ ‘VHPને બદનામ કરવાનું ષડયંત્ર’ છે. શાઝિયા ઇલ્મી અપ પ્રચાર ફેલાવવામાં માહેર છે. પરંતુ તે સંઘ પરિવારની વિચારધારાને સમજી શકતી નથી, ખાસ કરીને VHPની.” તેણે લખ્યું છે કે VHP એ હંમેશા કેન્દ્ર સરકારને સમર્થન આપ્યું છે. જે PM નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ચાલી રહી છે. આ પત્રમાં VHPએ લખ્યું છે કે શાઝિયા હિન્દુત્વને પણ નથી સમજતી.

પાર્ટીની છબી ખરાબ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે

બીજી તરફ VHPના રાષ્ટ્રીય પ્રવક્તા વિનોદ બંસલે એક ટ્વિટ કરીને ભાજપને સવાલ પૂછ્યો છે. તેમણે લખ્યું કે, ‘ભાજપે જણાવવું જોઈએ કે શાઝિયાએ તેના લેખમાં જે લખ્યું છે તે તેનો અંગત અભિપ્રાય છે કે પાર્ટીનો ? તેણે જે લખ્યું, ‘તે પાર્ટીમાં ભાગલા પાડવા અને પક્ષની છબી ખરાબ કરવાનો પ્રયાસ કરી રહી છે.’

સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
g clip-path="url(#clip0_868_265)">