AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bihar: નીતિશ કુમારના મનમાં શું છે? શું બિહારમાં પણ થશે બગાવત!

નીતિશ કુમાર તેમના સાંસદો જ નહીં પરંતુ પાર્ટીના ધારાસભ્યો સાથે પણ મુલાકાત કરી હતી. જેડીયુ હાલમાં આરજેડી અને કોંગ્રેસ સાથે બિહારમાં સત્તામાં છે. જેડીયુ પાસે બિહારમાં 45 ધારાસભ્યો છે. થોડા દિવસ પહેલા નીતિશ કુમાર રાજ્યપાલ રાજેન્દ્ર આર્લેકરને પણ મળી ચૂક્યા છે.

Bihar: નીતિશ કુમારના મનમાં શું છે? શું બિહારમાં પણ થશે બગાવત!
Nitish Kumar
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 04, 2023 | 3:10 PM
Share

Bihar: મહારાષ્ટ્રમાં થયેલી રાજકીય ઘટનાઓએ દેશના ઘણા રાજ્યોમાં હલચલ મચાવી છે. બિહારના CM નીતિશ કુમાર (Nitish Kumar) છેલ્લા કેટલાક દિવસોથી પટનામાં પોતાની પાર્ટીના નેતાઓ, ધારાસભ્યો અને સાંસદો સાથે મુલાકાત કરી રહ્યા છે અને પાર્ટીમાં ચાલી રહેલા બળવાને સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છે. NCPના નેતા અજિત પવાર (Ajit Pawar) અને અન્ય 8 ધારાસભ્યો સાથે મહારાષ્ટ્રમાં શિંદે-ફડણવીસ સરકારનો હિસ્સો બની ગયા છે. આ ઘટનાક્રમ બાદથી નીતિશ કુમારની તેમના નેતાઓ સાથેની મુલાકાત મહત્વપૂર્ણ લાગે છે. મહારાષ્ટ્રમાં થયેલી આ રાજકીય ઘટના લોકસભા ચૂંટણી પહેલા વિપક્ષી એકતા માટે મોટો ઝટકો માનવામાં આવે છે.

નીતિશ કુમારે સાંસદો અને ધારાસભ્યો સાથે કરી મુલાકાત

નીતિશ કુમારે 2 જુલાઈના રોજ પટનામાં તેમના નિવાસસ્થાને પાર્ટીના સાંસદોને મળવાનું શરૂ કર્યું. તે જ દિવસે મુંબઈમાં અજિત પવારે શરદ પવારનો પક્ષ NCP છોડીને ભાજપમાં જોડાવાની તૈયારી કરી રહ્યા હતા. નીતિશ કુમારે બેઠકના આ રાઉન્ડ દરમિયાન લોકસભા સાંસદ ચંડેશ્વર પ્રસાદ ચંદ્રવંશી, દુર્લ ચંદ્ર ગોસ્વામી, સુનીલ કુમાર કુશવાહ અને રાજ્યસભા સાંસદ અનિલ હેગડે સાથે મુલાકાત કરી હતી. JDUના લોકસભામાં 16 સાંસદો અને રાજ્યસભામાં 5 સાંસદો છે.

નીતિશ કુમાર રાજ્યપાલ રાજેન્દ્ર આર્લેકરને પણ મળી ચૂક્યા છે

નીતિશ કુમાર તેમના સાંસદો જ નહીં પરંતુ પાર્ટીના ધારાસભ્યો સાથે પણ મુલાકાત કરી હતી. જેડીયુ હાલમાં આરજેડી અને કોંગ્રેસ સાથે બિહારમાં સત્તામાં છે. જેડીયુ પાસે બિહારમાં 45 ધારાસભ્યો છે. વાત માત્ર ધારાસભ્યો અને સાંસદોને મળવા પૂરતી જ નથી, પરંતુ થોડા દિવસ પહેલા નીતિશ કુમાર રાજ્યપાલ રાજેન્દ્ર આર્લેકરને પણ મળી ચૂક્યા છે, તેથી જ બિહારમાં રાજકીય અટકળોનું બજાર ગરમ છે.

આ પણ વાંચો : PM Modi 4 State Visit: PM મોદી 2 દિવસમાં 4 રાજ્યની લેશે મુલાકાત, ગોરખપુરમાં વંદે ભારત ટ્રેનને બતાવશે લીલી ઝંડી

બિહારમાં અલગ-અલગ બાબતોનો આ તબક્કો ત્યારે પણ આગળ વધ્યો જ્યારે વિપક્ષી દળોએ અનેક દાવા કર્યા હતા. ઉપેન્દ્ર કુશવાહાએ કહ્યું કે નીતિશ કુમાર પાર્ટીને બચાવવા માટે છેલ્લા પ્રયત્નો કરી રહ્યા છે, જ્યારે કેટલાક અન્ય નેતાઓએ દાવો કર્યો કે જેડીયુના કેટલાક ધારાસભ્યો અને સાંસદો ભાજપના સંપર્કમાં છે અને આરજેડી સાથે ગઠબંધન તોડવા માટે તૈયાર છે. જેડીયુએ આ તમામ દાવાઓને માત્ર અટકળો ગણાવી છે.

ભાજપે અટકળો પર શું કહ્યું?

અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે નીતિશ કુમાર ફરી એકવાર બિહારમાં વાપસી કરી શકે છે અને NDA નો ભાગ બની શકે છે. બીજી તરફ ભાજપના સાંસદ સુશીલ મોદીનું કહેવું છે કે અમિત શાહે સ્પષ્ટ કર્યું છે કે હવે નીતિશ કુમારને કોઈપણ ભોગે એનડીએમાં સામેલ કરવામાં નહીં આવે. નીતિશ કુમાર માટે ભાજપના દરવાજા બંધ રહેશે અને તેમને ક્યારેય નહીં સ્વીકારીશું.

બિહારમાં આ સમગ્ર ઘટનાક્રમ 23 જૂનના રોજ વિપક્ષના મહાગઠબંધન બેઠક થયા બાદ શરૂ થયો હતો. 2024ની લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને નીતિશ કુમાર અને તેજસ્વી યાદવની આગેવાનીમાં વિપક્ષના લગભગ 35 નેતાઓની બેઠક મળી હતી. નીતીશ કુમાર જ વિપક્ષના આ મહાસંમેલનના ચહેરા તરીકે સામે આવ્યા છે અને તેમણે પ્રથમ બેઠકનું સંચાલન પણ કર્યું હતું.

રિપોર્ટ: ગુલામ જિલાની

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ પતંગબાજો સાથે પેચ લડાવતા જોવા મળ્યા
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ પતંગબાજો સાથે પેચ લડાવતા જોવા મળ્યા
Breaking news : હજારો કિલો ઊંધિયુ-જલેબી ઝાપટી જશે ગુજરાતીઓ, જુઓ Video
Breaking news : હજારો કિલો ઊંધિયુ-જલેબી ઝાપટી જશે ગુજરાતીઓ, જુઓ Video
Breaking news : પંચમહાલમાં ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ
Breaking news : પંચમહાલમાં ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ
અમદાવાદમાં ઉત્તરાયણ પર્વની ઉલ્લાસભેર ઉજવણી, જુઓ VIDEO
અમદાવાદમાં ઉત્તરાયણ પર્વની ઉલ્લાસભેર ઉજવણી, જુઓ VIDEO
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
g clip-path="url(#clip0_868_265)">