AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Big Breaking News : RBI News on 2000 Note : RBIનો મોટો નિર્ણય, હવેથી RBI એક પણ 2 હજાર રુપિયાની નવી નોટ બહાર નહીં પાડે

2,000 Rupee Note : RBIએ કહ્યું છે કે હવે 2000 રૂપિયાની નોટ છાપવામાં આવશે નહીં. પરંતુ જો તમારી પાસે હોય તો ગભરાવાની જરૂર નથી. આ કાનૂની ટેન્ડર તરીકે ચાલુ રહેશે. આ નોટો તમે બેંકમાં જઈને એક્સચેન્જ કરાવી શકો છો. આરબીઆઈએ શુક્રવારે એક રિલીઝમાં કહ્યું કે 2,000 રૂપિયાની નોટને ચલણમાંથી પાછી ખેંચી લેવામાં આવી છે.

Big Breaking News : RBI News on 2000 Note : RBIનો મોટો નિર્ણય, હવેથી RBI એક પણ 2 હજાર રુપિયાની નવી નોટ બહાર નહીં પાડે
RBI to withdraw Rs 2000 currency note
TV9 Gujarati
| Edited By: | Updated on: May 19, 2023 | 7:38 PM
Share

ભારતીય રિઝર્વ બેંકે 2000 રૂપિયાની નોટ પર મોટો નિર્ણય લીધો છે. RBI ટૂંક સમયમાં દેશભરમાંથી 2000 રૂપિયાની નોટ પાછી ખેંચી લેશે. પરંતુ આ કિસ્સામાં પણ એક સમસ્યા છે. RBI એ પણ સ્પષ્ટ કર્યું છે કે 2000 રૂપિયાની નોટ લીગલ ટેન્ડર તરીકે ચાલુ રહેશે.RBIએ કહ્યું છે કે હવે 2,000 રૂપિયાની બેંક નોટ છાપવામાં આવશે નહીં. પરંતુ જો તમારી પાસે હોય, તો તમારે બેંકમાં જઈને તેને બદલાવવું પડશે.

આ નોટો તમે બેંકમાં જઈને એક્સચેન્જ કરાવી શકો છો. આરબીઆઈએ શુક્રવારે એક રિલીઝમાં કહ્યું કે 2,000 રૂપિયાની નોટને ચલણમાંથી પાછી ખેંચી લેવામાં આવી છે. પરંતુ તે લીગલ ટેન્ડર તરીકે ચાલુ રહેશે. 2000 રૂપિયાની આ નોટ નવેમ્બર 2016માં રજૂ કરવામાં આવી હતી.

RBIનો મોટો નિર્ણય

આરબીઆઈના આદેશના મહત્વના પોઈન્ટ

  •  2000ની નવી નોટ હવે નહીં છપાઈ.
  • હાલમાં બજારમાં 2000ની નોટ કાયદેસર ઉપયોગમાં લઈ શકાશે.
  • 23 મે, 2023 થી કોઈપણ બેંકમાં રૂ. 2000 ની બેંક નોટને અન્ય મૂલ્યોની બેંક નોટોમાં બદલી શકાય છે.
  • તમામ બેંકો 30 સપ્ટેમ્બર, 2023 સુધી રૂ. 2000 ની નોટ માટે ડિપોઝીટ અને વિનિમયની સુવિધા પૂરી પાડશે.
  • એકવારમાં 20 હજાર સુધીની નોટ જમા કરાવી શકાશે અથવા બદલી શકાશે.
  • ક્લીન નોટ પોલીસ હેઠળ આરબીઆઈ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

બે હજાર રૂપિયાની નોટ આરબીઆઈ એક્ટ 1934ની કલમ 24 (1) હેઠળ લાવવામાં આવી હતી. જૂની 500 અને 1000 રૂપિયાની નોટો બંધ થયા બાદ ચલણની જરૂરિયાતને કારણે આ નોટો રજૂ કરવામાં આવી હતી. બીજી નોટ બજારમાં પૂરતી માત્રામાં આવ્યા બાદ રૂ. 2,000 રજૂ કરવાનો હેતુ નિષ્ફળ ગયો હતો. આથી 2018-19માં રૂ. 2,000ની નોટનું પ્રિન્ટિંગ બંધ કરવામાં આવ્યું હતું.

છેલ્લા ત્રણ વર્ષમાં 2000ની કેટલી નોટ છપાઈ ?

રિપોર્ટ  અનુસાર, વર્ષ 2019-20, 2020-21 અને 2021-22 દરમિયાન રૂ. 2,000 (બે હજાર રૂપિયાની નોટ)ની કોઈ નવી નોટ છાપવામાં આવી ન હતી. આરબીઆઈ નોટ મુદ્રાન (પી) લિમિટેડે નાણાકીય વર્ષ 2016-17માં રૂ. 2,000ની 3,5429.91 કરોડ નોટો છાપી હતી. આ પછી, 2017-18માં ખૂબ જ ઓછી 1115.07 કરોડ નોટો (2000 રૂપિયાની નોટ) છાપવામાં આવી હતી અને 2018-19માં તે ઘટીને માત્ર 466.90 કરોડ નોટ રહી હતી.

નકલી નોટનો ઉપયોગ વધ્યો હતો

2016 અને 2020 વચ્ચે દેશમાં જપ્ત કરાયેલી 2,000 રૂપિયાની નકલી નોટોની સંખ્યા 2,272 થી વધીને 2,44,834 થઈ ગઈ છે. આંકડા અનુસાર, વર્ષ 2016માં દેશમાં 2,000 રૂપિયાની નકલી નોટોની કુલ સંખ્યા 2,272 હતી. તે વર્ષ 2017માં વધીને 74,898 થઈ ગઈ છે. આ પછી, વર્ષ 2018 માં તે ઘટીને 54,776 થઈ ગયો. વર્ષ 2019માં આ આંકડો 90,566 હતો અને વર્ષ 2020માં 2,44,834 નોટોનો હતો.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">