AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રાહુલ ગાંધીનો RSS પર સૌથી મોટો હુમલો, કહ્યુ- માથું કપાવી નાખીશ, પરંતુ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની ઓફિસે જઈશ નહીં

રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે, આજે તમામ સંસ્થાઓ પર આરએસએસ (RSS) અને બીજેપીનું (BJP) નિયંત્રણ છે. તમામ સંસ્થાઓ પર દબાણ છે. પ્રેસ દબાણમાં છે, અમલદારશાહી દબાણમાં છે, ચૂંટણી પંચ દબાણમાં છે, તેઓ ન્યાયતંત્ર પર પણ દબાણ કરે છે.

રાહુલ ગાંધીનો RSS પર સૌથી મોટો હુમલો, કહ્યુ- માથું કપાવી નાખીશ, પરંતુ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની ઓફિસે જઈશ નહીં
Rahul GandhiImage Credit source: File Image
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 17, 2023 | 4:17 PM
Share

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મંગળવારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પર અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો કર્યો છે. તેમણે કહ્યું છે કે તે માથું કપાવી નાખશે પરંતુ આરએસએસની ઓફિસ નહીં જાય. આ સાથે તેમણે આરોપ લગાવ્યો કે દેશની તમામ સંસ્થાઓ પર RSS અને ભારતીય જનતા પાર્ટીનું નિયંત્રણ છે અને દાવો કર્યો છે કે દેશના મીડિયા, ચૂંટણી પંચ અને ન્યાયતંત્ર પર દબાણ છે.

આ સાથે તેમણે એમ પણ કહ્યું કે તે માથું કપાવી નાખશે પરંતુ આરએસએસ ઓફિસ નહીં જાય. તેમણે કહ્યું કે, હું ક્યારેય RSS કાર્યાલય જઈ શકતો નથી. એ માટે તમારે મારું માથું કાપી નાખવું પડશે. આ સાથે તેમણે કહ્યું કે તેઓ વરુણ ગાંધીની વિચારધારાને સ્વીકારી શકતા નથી.

વરુણ ગાંધી અંગે કહી આ વાત

વરુણ ગાંધી કોંગ્રેસમાં જોડાવા કે ભારત જોડો યાત્રામાં જોડાવા અંગે રાહુલ ગાંધીએ કહ્યું કે, વરુણ ગાંધી ભાજપમાં છે. મારી વિચારધારા તેમની વિચારધારા સાથે મેળ ખાતી નથી. મારા પરિવારની એક વિચારધારા છે. તેમણે કહ્યું, વરુણે તે વિચારધારાને પોતાની બનાવી હતી. હું વરુણને ગળે લગાવી શકું છું પણ તે વિચારધારાને સ્વીકારી શકતો નથી.

આ પણ વાંચો : Punjab: રાહુલ ગાંધીની સુરક્ષામાં માત્ર 35 મિનિટમાં બે વખત ખામી જોવા મળી, કોંગ્રેસે કહ્યું- સુરક્ષામાં કોઈ ક્ષતિ નથી

પંજાબની AAP સરકાર પર નિશાન સાધ્યું

પંજાબમાં આમ આદમી પાર્ટી સરકાર પર કટાક્ષ કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે, પંજાબનું શાસન દિલ્હીથી નહીં પરંતુ પંજાબથી ચાલવું જોઈએ. રાહુલ ગાંધીએ પત્રકારોને જણાવ્યું હતું કે દેશની સંસ્થાઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને ભાજપ દ્વારા નિયંત્રિત છે. ભગવંત માન અંગેના સવાલના જવાબમાં રાહુલ ગાંધીએ કહ્યું કે, તેમણે પંજાબના મુખ્યમંત્રીને કહ્યું હતું કે પંજાબને પંજાબમાંથી જ ચલાવી શકાય છે. ગાંધીએ કહ્યું, આ એક ઐતિહાસિક હકીકત છે. જો તેને દિલ્હીથી ચલાવવામાં આવશે તો પંજાબના લોકો તેને સ્વીકારશે નહીં.

તમામ સંસ્થાઓ પર આરએસએસ અને બીજેપીનું નિયંત્રણ

તેમણે આરોપ લગાવ્યો કે, આજે તમામ સંસ્થાઓ પર આરએસએસ અને બીજેપીનું નિયંત્રણ છે. તમામ સંસ્થાઓ પર દબાણ છે. પ્રેસ દબાણમાં છે, અમલદારશાહી દબાણમાં છે, ચૂંટણી પંચ દબાણમાં છે, તેઓ ન્યાયતંત્ર પર પણ દબાણ કરે છે. રાહુલ ગાંધીએ કહ્યું, લડાઈ એક રાજકીય પક્ષની બીજા રાજકીય પક્ષ સાથે નથી. હવે લડાઈ દેશની સંસ્થાઓ (જેને તેઓએ કબજે કરી છે) અને વિપક્ષો વચ્ચે છે. તેમણે દાવો કર્યો કે દેશમાં હવે સામાન્ય લોકતાંત્રિક પ્રક્રિયાઓ ગાયબ થઈ રહી છે.

તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
g clip-path="url(#clip0_868_265)">