AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bajrang Dal Controversy: બજરંગ દળ પર ફસાયા ખડગે, 100 કરોડના માનહાનિ કેસમાં કોર્ટે મોકલ્યું સમન્સ

સંગરુર સિવિલ જજ (વરિષ્ઠ વિભાગ) રમનદીપ કૌરે કોંગ્રેસ અધ્યક્ષને 10 જુલાઈએ હાજર થવા કહ્યું છે. હિતેશે દાવો કર્યો હતો કે કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ બજરંગ દળની તુલના "રાષ્ટ્ર વિરોધી સંગઠન" સાથે કરી હતી... અને કર્ણાટકમાં સરકાર બને તો બજરંગ દળ પર પ્રતિબંધ મૂકવાની વાત કરી હતી.

Bajrang Dal Controversy: બજરંગ દળ પર ફસાયા ખડગે, 100 કરોડના માનહાનિ કેસમાં કોર્ટે મોકલ્યું સમન્સ
Bajrang Dal Controversy: court sends summons to Mallikarjun Kharge in 100 crore defamation case
TV9 Gujarati
| Edited By: | Updated on: May 15, 2023 | 8:50 AM
Share

Bajrang Dal Latest Update: કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને સંગરુરની એક અદાલતે માનહાનિના કેસમાં સમન્સ પાઠવ્યા છે. સંગરુરમાં હિન્દુ સુરક્ષા પરિષદ બજરંગ દળ હિંદના હિતેશ ભારદ્વાજે સ્થાનિક કોર્ટમાં તેમની સામે માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. એવો દાવો કરવામાં આવે છે કે કોંગ્રેસ અધ્યક્ષે કર્ણાટક ચૂંટણી દરમિયાન બજરંગ દળ પર ‘અપમાનજનક ટિપ્પણી’ કરી હતી.

કથિત અપમાન બદલ બજરંગ દળ હિંદે તેમની પાસેથી 100 કરોડ રૂપિયાની માંગણી કરી છે. સંગરુર સિવિલ જજ (વરિષ્ઠ વિભાગ) રમનદીપ કૌરે કોંગ્રેસ અધ્યક્ષને 10 જુલાઈએ હાજર થવા કહ્યું છે. હિતેશે દાવો કર્યો હતો કે કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ બજરંગ દળની તુલના “રાષ્ટ્ર વિરોધી સંગઠન” સાથે કરી હતી… અને કર્ણાટકમાં સરકાર બને તો બજરંગ દળ પર પ્રતિબંધ મૂકવાની વાત કરી હતી.

14 દિવસમાં 100 કરોડની માગ

VHPની યુવા પાંખએ દાવો કર્યો છે કે કોંગ્રેસે મેનિફેસ્ટોના પેજ નંબર 10 પર બજરંગ દળ પર પ્રતિબંધ મૂકવાનું વચન આપ્યું છે. એવો દાવો કરવામાં આવે છે કે કોંગ્રેસ અધ્યક્ષે બજરંગ દળની તુલના પ્રતિબંધિત સંગઠન PFI અને સ્ટુડન્ટ ઈસ્લામિક મૂવમેન્ટ્સ ઑફ ઈન્ડિયા સાથે કરી હતી. VHPના ચંદીગઢ યુનિટે 4 મેના રોજ કોંગ્રેસ અધ્યક્ષને કાનૂની નોટિસ મોકલીને VHP અને બજરંગ દળને 14 દિવસની અંદર 100 કરોડ રૂપિયા ચૂકવવા જણાવ્યું હતું.

કોંગ્રેસ મુખ્યાલયની બહાર હનુમાન ચાલીસા

કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે વચન આપ્યું છે કે જો તે સત્તામાં આવશે તો સરકાર નિર્ણાયક પગલાં લેશે અને PFI, બજરંગ દળ જેવા સંગઠનો પર પ્રતિબંધ લગાવશે. કોંગ્રેસના ઘોષણાપત્રમાં કહેવામાં આવ્યું છે કે પીએફઆઈ અને બજરંગ દળ જેવા સંગઠનો જાતિ અને ધર્મના આધારે સમાજમાં નફરત ફેલાવી રહ્યા છે. મેનિફેસ્ટો જાહેર થયા બાદ બજરંગ દળે કર્ણાટક સહિત અન્ય રાજ્યોમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું.

મલ્લિકાર્જુન ખડગે કંઈપણ કહેવાનો ઈન્કાર કરે છે

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આ વિવાદ પર ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો. એનડીટીવી સાથેની વાતચીતમાં એક સવાલના જવાબમાં તેમણે કહ્યું કે પાર્ટીએ તેનો જવાબ આપી દીધો છે. જ્યારે પાર્ટીએ સ્પષ્ટ કરી દીધું છે કે, ‘હું આ અંગે કોઈ અભિપ્રાય આપવા માંગતો નથી.’ પાર્ટીનો મેનિફેસ્ટો ખુદ ખડગેની હાજરીમાં બહાર પાડવામાં આવ્યો હતો.

પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
g clip-path="url(#clip0_868_265)">