AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Karnataka: Banની ધમકીઓથી ડરતું નથી બજરંગ દળ, કર્ણાટકમાં કોંગ્રેસની જીત બાદ VHPનું મોટુ નિવેદન

કર્ણાટકમાં ભાવિ કોંગ્રેસ સરકાર પર પ્રહાર કરતા VHP મહાસચિવ મિલિંદ પરાંડેએ કહ્યું કે જો કોંગ્રેસ બજરંગ દળ પર પ્રતિબંધ મૂકશે તો અમે ધર્મ, સમાજ અને સંસ્કૃતિ માટે જે યોગ્ય છે તે કરીશું.

Karnataka: Banની ધમકીઓથી ડરતું નથી બજરંગ દળ, કર્ણાટકમાં કોંગ્રેસની જીત બાદ VHPનું મોટુ નિવેદન
ફાઈલ ફોટોImage Credit source: Google
TV9 Gujarati
| Edited By: | Updated on: May 14, 2023 | 7:12 PM
Share

કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે 135 બેઠકો મેળવીને જીત મેળવી હતી, જે બાદ ફરી એકવાર બજરંગ દળ પર પ્રતિબંધ લગાવવાની ચર્ચાઓ થવા લાગી છે. બીજી બાજુ, વિશ્વ હિન્દુ પરિષદ (VHP)ના મહાસચિવ મિલિંદ પરાંડેએ આ મામલે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા, તેમણે કહ્યું કે અમે અમારા સહયોગી સંગઠન બજરંગ દળના પ્રતિબંધની ધમકીથી ડરતા નથી, કોંગ્રેસ પાર્ટી દ્વારા તેના વચન મુજબ મેનિફેસ્ટોમાં કહ્યું હતું કે કોંગ્રેસની કર્ણાટકમાં સરકાર આવશે તો બજરંગ દળને બેન કરવામાં આવશે.

આ પણ વાચો: Viral Video: કર્ણાટકમાં કોંગ્રેસની જીત પર Pakistan ઝિંદાબાદના લાગ્યા નારા, પોલીસે નોંધી FIR

એક ન્યૂઝ એજન્સી સાથે વાત કરતા પરાંડેએ કહ્યું કે કર્ણાટકમાં સરકાર બનાવ્યા બાદ જો કોંગ્રેસ હિન્દુઓ પ્રત્યે નફરતના કારણે બજરંગ દળ પર પ્રતિબંધ મૂકશે તો અમે અમારી સંસ્કૃતિ, ધર્મ અને સમાજની રક્ષા માટે જે યોગ્ય હશે તે કરીશું. આ માટે અમે પહેલેથી જ તૈયાર બેઠા છીએ. 1992માં બાબરી ધ્વંસનો ઉલ્લેખ કરતાં VHP નેતાએ કહ્યું કે તે સમયે પણ કોંગ્રેસે અમારા સંગઠન પર પ્રતિબંધ મૂક્યો હતો, પરંતુ કોર્ટે પ્રતિબંધ ખોટો હોવાનું કહીને પ્રતિબંધ ઉઠાવી લીધો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આકરી ટીકા કરી હતી

તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે કર્ણાટક વિધાનસભા ચૂંટણી દરમિયાન કોંગ્રેસે પોતાના મેનિફેસ્ટોમાં બજરંગ દળ પર પ્રતિબંધ લગાવવાની વાત કરી હતી. તેમણે બજરંગ દળની તુલના પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI) જેવા સંગઠન સાથે કરી હતી. જે બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રદેશ ભાજપની સાથે કોંગ્રેસની પણ આકરી ટીકા કરી હતી. તેમણે કહ્યું હતું કે કોંગ્રેસના લોકોએ પહેલા ભગવાન રામ પર પ્રતિબંધ લગાવ્યો, હવે તેઓ હનુમાનજી પર પ્રતિબંધ લગાવવામાં લાગેલા છે.

ત્રણ દાયકા બાદ કોંગ્રેસે મોટા વોટ શેર સાથે જીત મેળવી છે

જેના પર કોંગ્રેસે પલટવાર કરતા કહ્યું કે ભાજપના લોકો બિનજરૂરી રીતે બજરંગ બલીની તુલના બજરંગ દળ સાથે કરી રહ્યા છે. આ સાથે જ કર્ણાટકમાં જીત બાદ કોંગ્રેસે ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે ભગવાન હનુમાન કોંગ્રેસની સાથે છે. તમને જણાવી દઈએ કે કર્ણાટકમાં એક અઠવાડિયા પહેલા ચૂંટણી થઈ હતી. જેનું પરિણામ શનિવારે એટલે કે 13મી મેના રોજ આવ્યું હતું. ત્રણ દાયકા બાદ ફરી એકવાર કોંગ્રેસ પાર્ટીએ મોટા વોટ શેર સાથે જીત મેળવી છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
₹600 કરોડના SD પે ફ્રોડમાં અમરેલી પોલીસને સફળતા
₹600 કરોડના SD પે ફ્રોડમાં અમરેલી પોલીસને સફળતા
સમરસ હોસ્ટેલ રિયાલિટી ચેક: ભોજન પર વિવાદ અને તપાસ
સમરસ હોસ્ટેલ રિયાલિટી ચેક: ભોજન પર વિવાદ અને તપાસ
આખરે સૌરાષ્ટ્ર પર થઈ મેઘ મહેર, સુકાઈ રહેલા મોલાતને મળ્યુ નવજીવન- Video
આખરે સૌરાષ્ટ્ર પર થઈ મેઘ મહેર, સુકાઈ રહેલા મોલાતને મળ્યુ નવજીવન- Video
Breaking News: રાજ્યના પાટનગરમાં ભારે વરસાદ બાદ સામે આવી હાલાકી
Breaking News: રાજ્યના પાટનગરમાં ભારે વરસાદ બાદ સામે આવી હાલાકી
વાયરલ થવાની ઘેલછામાં નદીમાં SUV ઉતારી, આગળ જે થયું તે... જુઓ Video
વાયરલ થવાની ઘેલછામાં નદીમાં SUV ઉતારી, આગળ જે થયું તે... જુઓ Video
ભાણવડમાં મહેલિયે કિધી મહેર અને ધરતી પુત્રોમાં દોડી ગઈ ખુશીની લહેર.....
ભાણવડમાં મહેલિયે કિધી મહેર અને ધરતી પુત્રોમાં દોડી ગઈ ખુશીની લહેર.....
આ એક આઇડિયાથી બાલાજી વેફર્સે કઈ રીતે બજારમાં મચાવી ધૂમ?
આ એક આઇડિયાથી બાલાજી વેફર્સે કઈ રીતે બજારમાં મચાવી ધૂમ?
જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદથી ચીકલિયા રોડ પર ભરાયા
જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદથી ચીકલિયા રોડ પર ભરાયા
રાજકોટમાં ભારે વરસાદ: પોપટપરા નાળું બંધ, જનજીવન ઠપ્પ
રાજકોટમાં ભારે વરસાદ: પોપટપરા નાળું બંધ, જનજીવન ઠપ્પ
અમદાવાદના દરેક માર્ગો- સોસાયટીઓ થઈ જળબંબાકાર, કરોડોની ગાડીઓ પડી બંધ
અમદાવાદના દરેક માર્ગો- સોસાયટીઓ થઈ જળબંબાકાર, કરોડોની ગાડીઓ પડી બંધ
g clip-path="url(#clip0_868_265)">