Karnataka: અગાઉની સરકારે જે જીલ્લાને પછાત કહ્યો હતો, તે જીલ્લામાં અમે વિકાસ પહોંચાડ્યો છે: PM નરેન્દ્ર મોદી

PM નરેન્દ્ર મોદીએ હજારો કરોડ રૂપિયાના અનેક પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો. વડાપ્રધાને તેમના સંબોધનમાં કહ્યું કે અમે એવા જિલ્લાઓમાં વિકાસ અને સુશાસન લાવ્યા છીએ જે અગાઉની સરકાર લાવી શકી ન હતી.

Karnataka: અગાઉની સરકારે જે જીલ્લાને પછાત કહ્યો હતો, તે જીલ્લામાં અમે વિકાસ પહોંચાડ્યો છે: PM નરેન્દ્ર મોદી
PM Narendra Modi
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 19, 2023 | 5:06 PM

કર્ણાટક વિધાનસભા ચૂંટણી પર ધ્યાન કેન્દ્રિત કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીં અનેક પ્રોજેક્ટના ઉદ્ઘાટન અને શિલાન્યાસ માટે પહોંચ્યા છે. આ દરમિયાન તેમણે યદગીરી જિલ્લામાં નારાયણપુર લેફ્ટ બેન્ક કેનાલ-એક્શટેંશન, મોર્ડનાઈઝેશન અને આધુનિકીકરણ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું છે. અહીં તેમણે હજારો કરોડ રૂપિયાના અનેક પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ કર્યો હતો. વડાપ્રધાને તેમના સંબોધનમાં કહ્યું કે અમે એવા જિલ્લાઓમાં વિકાસ અને સુશાસન લાવ્યા છીએ જે અગાઉની સરકાર લાવી શકી ન હતી.

વડાપ્રધાન યદગીરી અને કલાબુર્ગીના પ્રવાસે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના સંબોધનમાં એમ પણ કહ્યું હતું કે સાડા ત્રણ વર્ષ પહેલા જ્યારે જલ જીવન મિશન શરૂ કરવામાં આવ્યું હતું ત્યારે 18 કરોડ ગ્રામીણ પરિવારોમાંથી માત્ર 3 કરોડ પરિવારોને જ નળનું પાણી મળતું હતું અને આજે 11 કરોડ ગ્રામીણ વસ્તીને પાણી મળી રહ્યું છે. વડાપ્રધાન યદગીરી અને કલાબુર્ગીના પ્રવાસે છે, જ્યાં તેઓ રૂ. 10,800 કરોડથી વધુની કિંમતની વિવિધ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.

બધાના વિકાસમાં જ દેશનો વિકાસ

વિવિધ પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યા બાદ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે દેશ આગામી 25 વર્ષ માટે નવા સંકલ્પોને સાબિત કરવા માટે આગળ વધી રહ્યો છે. તેમણે કહ્યું કે, આ 25 વર્ષ દેશના દરેક વ્યક્તિ માટે અમૃત સમાન છે. દરેક રાજ્ય માટે અમૃત સમય હોય છે. આપણે અમૃતકાળમાં વિકસિત ભારતનું નિર્માણ કરવું છે. તેમણે કહ્યું, જ્યારે દેશનો દરેક નાગરિક, દરેક પરિવાર, દરેક રાજ્ય આ અભિયાનમાં જોડાય ત્યારે ભારતનો વિકાસ થઈ શકે છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

ભારતનો વિકાસ ત્યારે જ થઈ શકે જ્યારે બધાનું જીવન સારું હોય, પછી તે ખેતરમાં કામ કરતા ખેડૂત હોય કે ઉદ્યોગોમાં કામ કરતા કારીગરો હોય. આ મહિનામાં મોદીની કર્ણાટકની આ બીજી મુલાકાત છે. આ પહેલા તેઓ રાષ્ટ્રીય યુવા મહોત્સવના ઉદ્ઘાટન માટે હુબલ્લી આવ્યા હતા અને આ દરમિયાન તેમણે રોડ શો પણ કર્યો હતો.

ડબલ એન્જિન સરકારનો લાભ મળી રહ્યો છે

વડાપ્રધાને તેમના સંબોધન દરમિયાન અનેક વિકાસ યોજનાઓ અને કાર્યક્રમોનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે રાજ્યના લોકો જોઈ શકે છે કે તેમને ડબલ એન્જિન સરકારથી કેટલો ફાયદો થઈ રહ્યો છે. સત્તાધારી ભારતીય જનતા પાર્ટી કર્ણાટકમાં મેમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટે કમર કસી રહી છે અને તેણે કુલ 224માંથી ઓછામાં ઓછી 150 બેઠકો જીતવાનું લક્ષ્ય રાખ્યું છે. આવી સ્થિતિમાં વડાપ્રધાનની આ મુલાકાત મહત્વની છે.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">