AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રામ મંદિરમાં કેવી રીતે ચોરાતા હતા દાનના રુપિયા? જાણો ચોરીથી લઈને ખુલાસા સુધીની સમગ્ર કહાની

માહિતી અનુસાર, મે મહિનાના અંતમાં ટ્રસ્ટના અધિકારીઓએ દાનપેટીમાંથી મળતી રકમ અને બેંકમાં જમા થતી રકમની સમીક્ષા કરી હતી. અગાઉ એક દાનપેટીમાંથી સરેરાશ 6થી 7 લાખ રૂપિયા મળતા હતા, પરંતુ અચાનક 500 રૂપિયાની નોટોના બંડલમાં ઘટાડો જોવા મળતા શંકા ગઈ. ત્યારબાદ ટ્રસ્ટે નોટ ગણતરી રૂમમાં ગુપ્ત કેમેરા લગાવવાનો નિર્ણય કર્યો.

રામ મંદિરમાં કેવી રીતે ચોરાતા હતા દાનના રુપિયા? જાણો ચોરીથી લઈને ખુલાસા સુધીની સમગ્ર કહાની
| Updated on: Jun 26, 2026 | 2:15 PM
Share

અયોધ્યાના રામ મંદિર દાન ચોરી કેસમાં રોજેરોજ નવા ખુલાસા સામે આવી રહ્યા છે. લાંબી તપાસ બાદ આખરે આ મામલે એફઆઈઆર નોંધાઈ છે અને ટીનુ યાદવ સહિત આઠ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આરોપ છે કે રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ સાથે સંકળાયેલા કેટલાક કર્મચારીઓએ ભક્તો દ્વારા દાનપેટીમાં આપવામાં આવતા રૂપિયા અને દાગીનાની ચોરી કરીને વર્ષો સુધી તેનો દુરુપયોગ કર્યો હતો.

દાનની રકમમાં ઘટાડાથી ઊભી થઈ શંકા

માહિતી અનુસાર, મે મહિનાના અંતમાં ટ્રસ્ટના અધિકારીઓએ દાનપેટીમાંથી મળતી રકમ અને બેંકમાં જમા થતી રકમની સમીક્ષા કરી હતી. અગાઉ એક દાનપેટીમાંથી સરેરાશ 6થી 7 લાખ રૂપિયા મળતા હતા, પરંતુ અચાનક 500 રૂપિયાની નોટોના બંડલમાં ઘટાડો જોવા મળતા શંકા ગઈ. ત્યારબાદ ટ્રસ્ટે નોટ ગણતરી રૂમમાં ગુપ્ત કેમેરા લગાવવાનો નિર્ણય કર્યો.

છુપાયેલા કેમેરામાં કેદ થઈ ચોરીની રમત

એક અઠવાડિયા સુધીના CCTV ફૂટેજમાં ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા. આરોપીઓમાંથી કેટલાક કર્મચારીઓ જાણીજોઈને કેમેરાની સામે ઊભા રહેતા, જ્યારે તેમના સાથીદારો નોટોના ઢગલામાંથી રૂપિયા કાઢીને પોતાના કપડાંમાં છુપાવી દેતા હતા. ત્યારબાદ આ નોટો બાથરૂમમાં છુપાવવામાં આવતી અને તક મળતાં મંદિરની બહાર લઈ જઈને વહેંચી દેવામાં આવતી હતી. તપાસમાં સામે આવ્યું છે કે આ ગેરરીતિ છેલ્લા બે-ત્રણ વર્ષથી ચાલી રહી હતી.

વાઉચરની આડમાં થતી હતી છેતરપિંડી

તપાસમાં વધુ એક મોડસ ઓપરેન્ડી સામે આવ્યો છે. આરોપીઓ દરેક નોટના બંડલમાં વધારાની નોટો મૂકી દેતા હતા. બેંકમાં રકમ જમા કરાવતી વખતે નોટોની અલગથી ગણતરી થતી નહોતી, પરંતુ માત્ર બંડલોની સંખ્યા આધારે વાઉચર તૈયાર થતું હતું. બેંક પહોંચતા પહેલાં વધારાની નોટો કાઢી લેવામાં આવતી, જેથી વાઉચર અને જમા થતી રકમ વચ્ચે કોઈ તફાવત દેખાતો ન હતો. આ પ્રક્રિયામાં અનુકુલ મિશ્રા અને તેનો સાળો લવ કુશ મિશ્રા મુખ્ય ભૂમિકામાં હોવાનું તપાસમાં સામે આવ્યું છે.

ભલામણના આધારે નોકરી અને વિશ્વાસનો દુરુપયોગ

પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે નોટ ગણતરી સાથે સંકળાયેલા મોટાભાગના કર્મચારીઓ કોઈને કોઈની ભલામણથી કામ પર રાખવામાં આવ્યા હતા. ચંપત રાયના ડ્રાઈવર ટીનુ યાદવે પોતાના પિતરાઈ ભાઈ મનીષ યાદવને નોટ ગણતરીનું કામ અપાવ્યું હતું. તેવી જ રીતે અનુકુલ મિશ્રાએ પોતાના સાળા લવ કુશ મિશ્રાને આ કામગીરીમાં જોડ્યો હતો. આરોપીઓએ વિશ્વાસનો દુરુપયોગ કરીને ટ્રસ્ટ સાથે મોટી છેતરપિંડી કરી હોવાનો આરોપ છે.

દાગીનાની પણ ચોરી, તપાસ હજુ ચાલુ

તપાસ દરમિયાન પોલીસે લવ કુશ મિશ્રાના ઘરેથી આશરે 10 લાખ રૂપિયા જપ્ત કર્યા છે. તપાસમાં એવો પણ આરોપ સામે આવ્યો છે કે દાનપેટીમાં ભક્તો દ્વારા ચઢાવવામાં આવેલા દાગીના પણ ચોરવામાં આવ્યા હતા. તેમાં ભગવાન રામલલાના બાળ સ્વરૂપ માટે ચઢાવવામાં આવેલી બુટ્ટી, ઝુમકી, નાકની વીંટી અને બંગડી જેવા આભૂષણોનો પણ સમાવેશ થાય છે. હાલ પોલીસ તમામ આરોપીઓની પૂછપરછ કરી રહી છે અને ચોરીમાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી હતી કે નહીં તે અંગે પણ તપાસ આગળ વધારી રહી છે.

આ પણ વાંચો-Pune Breaking News : ચેતન તો માત્ર મોહરો હતો… 12મી ફેલ સિયા એક સાથે અનેક યુવકોને કરતી હતી ડેટ, કેતન હત્યા કેસમાં મોટો ખુલાસો !

Follow Us
₹6 લાખનું અદ્યતન પેડેસ્ટ્રિયન સિગ્નલ અસામાજિક તત્વોએ તોડી પાડ્યું
₹6 લાખનું અદ્યતન પેડેસ્ટ્રિયન સિગ્નલ અસામાજિક તત્વોએ તોડી પાડ્યું
વડોદરામાં પોલીસ સ્ટેશન નજીક 3 મહિલાએ બ્યુટી પાર્લર સંચાલકને લૂંટી
વડોદરામાં પોલીસ સ્ટેશન નજીક 3 મહિલાએ બ્યુટી પાર્લર સંચાલકને લૂંટી
રાજકોટમાં ડિમોલેશન કે ખર્ચનો ખેલ? પાણી પાછળ 12.40 લાખનો ખર્ચ
રાજકોટમાં ડિમોલેશન કે ખર્ચનો ખેલ? પાણી પાછળ 12.40 લાખનો ખર્ચ
દાહોદમાં એકસાથે બે દીપડાના ધામા, સીંગાપુર ગામમાં ભયનો માહોલ
દાહોદમાં એકસાથે બે દીપડાના ધામા, સીંગાપુર ગામમાં ભયનો માહોલ
આજનું રાશિફળ: કામકાજમાં બદલાવથી થશે ફાયદો, મળશે ધનપ્રાપ્તિ
આજનું રાશિફળ: કામકાજમાં બદલાવથી થશે ફાયદો, મળશે ધનપ્રાપ્તિ
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
અમદાવાદઃ ભાજપના કાર્યક્રમમાં નવનિયુક્ત કાઉન્સિલરોની ગેરહાજરીથી નારાજગી
અમદાવાદઃ ભાજપના કાર્યક્રમમાં નવનિયુક્ત કાઉન્સિલરોની ગેરહાજરીથી નારાજગી
શાળા પ્રવેશોત્સવ વચ્ચે ડાંગની શાળાને વાલીઓએ કરી તાળાબંધી
શાળા પ્રવેશોત્સવ વચ્ચે ડાંગની શાળાને વાલીઓએ કરી તાળાબંધી
જામનગરમાં એકાતરા પાણી વિતણ કરવાનો મનપા નો નિર્ણય, વિપક્ષે ઉઠાવ્યા સવાલ
જામનગરમાં એકાતરા પાણી વિતણ કરવાનો મનપા નો નિર્ણય, વિપક્ષે ઉઠાવ્યા સવાલ
પાલનપુર STP પ્લાન્ટ વિવાદ, જમીન કિંમત મુદ્દે પ્રોજેક્ટ ખોરંભે
પાલનપુર STP પ્લાન્ટ વિવાદ, જમીન કિંમત મુદ્દે પ્રોજેક્ટ ખોરંભે
g clip-path="url(#clip0_868_265)">