AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રામ મંદિરમાં કેવી રીતે ચોરાતા હતા દાનના રુપિયા? જાણો ચોરીથી લઈને ખુલાસા સુધીની સમગ્ર કહાની

માહિતી અનુસાર, મે મહિનાના અંતમાં ટ્રસ્ટના અધિકારીઓએ દાનપેટીમાંથી મળતી રકમ અને બેંકમાં જમા થતી રકમની સમીક્ષા કરી હતી. અગાઉ એક દાનપેટીમાંથી સરેરાશ 6થી 7 લાખ રૂપિયા મળતા હતા, પરંતુ અચાનક 500 રૂપિયાની નોટોના બંડલમાં ઘટાડો જોવા મળતા શંકા ગઈ. ત્યારબાદ ટ્રસ્ટે નોટ ગણતરી રૂમમાં ગુપ્ત કેમેરા લગાવવાનો નિર્ણય કર્યો.

રામ મંદિરમાં કેવી રીતે ચોરાતા હતા દાનના રુપિયા? જાણો ચોરીથી લઈને ખુલાસા સુધીની સમગ્ર કહાની
| Updated on: Jun 26, 2026 | 2:15 PM
Share

અયોધ્યાના રામ મંદિર દાન ચોરી કેસમાં રોજેરોજ નવા ખુલાસા સામે આવી રહ્યા છે. લાંબી તપાસ બાદ આખરે આ મામલે એફઆઈઆર નોંધાઈ છે અને ટીનુ યાદવ સહિત આઠ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આરોપ છે કે રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ સાથે સંકળાયેલા કેટલાક કર્મચારીઓએ ભક્તો દ્વારા દાનપેટીમાં આપવામાં આવતા રૂપિયા અને દાગીનાની ચોરી કરીને વર્ષો સુધી તેનો દુરુપયોગ કર્યો હતો.

દાનની રકમમાં ઘટાડાથી ઊભી થઈ શંકા

માહિતી અનુસાર, મે મહિનાના અંતમાં ટ્રસ્ટના અધિકારીઓએ દાનપેટીમાંથી મળતી રકમ અને બેંકમાં જમા થતી રકમની સમીક્ષા કરી હતી. અગાઉ એક દાનપેટીમાંથી સરેરાશ 6થી 7 લાખ રૂપિયા મળતા હતા, પરંતુ અચાનક 500 રૂપિયાની નોટોના બંડલમાં ઘટાડો જોવા મળતા શંકા ગઈ. ત્યારબાદ ટ્રસ્ટે નોટ ગણતરી રૂમમાં ગુપ્ત કેમેરા લગાવવાનો નિર્ણય કર્યો.

છુપાયેલા કેમેરામાં કેદ થઈ ચોરીની રમત

એક અઠવાડિયા સુધીના CCTV ફૂટેજમાં ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા. આરોપીઓમાંથી કેટલાક કર્મચારીઓ જાણીજોઈને કેમેરાની સામે ઊભા રહેતા, જ્યારે તેમના સાથીદારો નોટોના ઢગલામાંથી રૂપિયા કાઢીને પોતાના કપડાંમાં છુપાવી દેતા હતા. ત્યારબાદ આ નોટો બાથરૂમમાં છુપાવવામાં આવતી અને તક મળતાં મંદિરની બહાર લઈ જઈને વહેંચી દેવામાં આવતી હતી. તપાસમાં સામે આવ્યું છે કે આ ગેરરીતિ છેલ્લા બે-ત્રણ વર્ષથી ચાલી રહી હતી.

વાઉચરની આડમાં થતી હતી છેતરપિંડી

તપાસમાં વધુ એક મોડસ ઓપરેન્ડી સામે આવ્યો છે. આરોપીઓ દરેક નોટના બંડલમાં વધારાની નોટો મૂકી દેતા હતા. બેંકમાં રકમ જમા કરાવતી વખતે નોટોની અલગથી ગણતરી થતી નહોતી, પરંતુ માત્ર બંડલોની સંખ્યા આધારે વાઉચર તૈયાર થતું હતું. બેંક પહોંચતા પહેલાં વધારાની નોટો કાઢી લેવામાં આવતી, જેથી વાઉચર અને જમા થતી રકમ વચ્ચે કોઈ તફાવત દેખાતો ન હતો. આ પ્રક્રિયામાં અનુકુલ મિશ્રા અને તેનો સાળો લવ કુશ મિશ્રા મુખ્ય ભૂમિકામાં હોવાનું તપાસમાં સામે આવ્યું છે.

ભલામણના આધારે નોકરી અને વિશ્વાસનો દુરુપયોગ

પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે નોટ ગણતરી સાથે સંકળાયેલા મોટાભાગના કર્મચારીઓ કોઈને કોઈની ભલામણથી કામ પર રાખવામાં આવ્યા હતા. ચંપત રાયના ડ્રાઈવર ટીનુ યાદવે પોતાના પિતરાઈ ભાઈ મનીષ યાદવને નોટ ગણતરીનું કામ અપાવ્યું હતું. તેવી જ રીતે અનુકુલ મિશ્રાએ પોતાના સાળા લવ કુશ મિશ્રાને આ કામગીરીમાં જોડ્યો હતો. આરોપીઓએ વિશ્વાસનો દુરુપયોગ કરીને ટ્રસ્ટ સાથે મોટી છેતરપિંડી કરી હોવાનો આરોપ છે.

દાગીનાની પણ ચોરી, તપાસ હજુ ચાલુ

તપાસ દરમિયાન પોલીસે લવ કુશ મિશ્રાના ઘરેથી આશરે 10 લાખ રૂપિયા જપ્ત કર્યા છે. તપાસમાં એવો પણ આરોપ સામે આવ્યો છે કે દાનપેટીમાં ભક્તો દ્વારા ચઢાવવામાં આવેલા દાગીના પણ ચોરવામાં આવ્યા હતા. તેમાં ભગવાન રામલલાના બાળ સ્વરૂપ માટે ચઢાવવામાં આવેલી બુટ્ટી, ઝુમકી, નાકની વીંટી અને બંગડી જેવા આભૂષણોનો પણ સમાવેશ થાય છે. હાલ પોલીસ તમામ આરોપીઓની પૂછપરછ કરી રહી છે અને ચોરીમાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી હતી કે નહીં તે અંગે પણ તપાસ આગળ વધારી રહી છે.

આ પણ વાંચો-Pune Breaking News : ચેતન તો માત્ર મોહરો હતો… 12મી ફેલ સિયા એક સાથે અનેક યુવકોને કરતી હતી ડેટ, કેતન હત્યા કેસમાં મોટો ખુલાસો !

Follow Us
રાજ્યમાં હજુ સાત દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં હજુ સાત દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની આગાહી
જુનાગઢના જોષીપુરા વિસ્તારના રહીશોનો ટીપી સ્કીમ સામે આક્રોશ
જુનાગઢના જોષીપુરા વિસ્તારના રહીશોનો ટીપી સ્કીમ સામે આક્રોશ
રાજકોટમાં રોડ ખોદકામ દરમિયાન ગેસ પાઇપલાઇનમાં લીકેજ
રાજકોટમાં રોડ ખોદકામ દરમિયાન ગેસ પાઇપલાઇનમાં લીકેજ
સ્વતંત્રતા દિવસ પૂર્વે સુરતમાં વિશાળ તિરંગા રેલીનું આયોજન
સ્વતંત્રતા દિવસ પૂર્વે સુરતમાં વિશાળ તિરંગા રેલીનું આયોજન
વડોદરામાં અક્ષર ગ્રીન્સના ફાયર NOCમાં છેડછાડનો ખુલાસો
વડોદરામાં અક્ષર ગ્રીન્સના ફાયર NOCમાં છેડછાડનો ખુલાસો
લલિતા જ્વેલરી IPO: 17 ઓગસ્ટથી ખુલશે ₹1700 કરોડનો ઈશ્યૂ
લલિતા જ્વેલરી IPO: 17 ઓગસ્ટથી ખુલશે ₹1700 કરોડનો ઈશ્યૂ
સુરત ડોક્ટરના આપઘાત કેસમાં મોટો ખુલાસો,7થી 9 ડોક્ટર બન્યા રેગિંગનો ભોગ
સુરત ડોક્ટરના આપઘાત કેસમાં મોટો ખુલાસો,7થી 9 ડોક્ટર બન્યા રેગિંગનો ભોગ
કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી આગ, બોઈલર ફાટતા બની ઘટના
કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી આગ, બોઈલર ફાટતા બની ઘટના
રજાઓમાં સાપુતારા ફરવા જવાનું છે? તો ગાડીની સ્પીડ ઓછી રાખજો
રજાઓમાં સાપુતારા ફરવા જવાનું છે? તો ગાડીની સ્પીડ ઓછી રાખજો
લાંચ માગવાના કેસમા અમિત ડોંગરેને ભોપાલ લઈ જઈને બેંક લોકર્સ તપાસાશે
લાંચ માગવાના કેસમા અમિત ડોંગરેને ભોપાલ લઈ જઈને બેંક લોકર્સ તપાસાશે
g clip-path="url(#clip0_868_265)">