રામ મંદિરમાં ચોરી:કરોડો દેશવાસીઓની આસ્થા સાથે વિશ્વાસઘાત કરનારા કોણ છે? શુ મોટા માથા પકડાશે કે નાની માછલીઓને આગળ કરી દેવાશે?
રામમંદિરમાં દાનની ચોરી અને ચઢાવા ચોરી એ માત્ર કોઈ ચોરીનો મુદ્દો નથી, અસલમાં આ વિષય છે કરોડો હિંદુઓ, અને રામભક્તોની આસ્થા અને વિશ્વાસ સાથે કરવામાં આવેલા વિશ્વાસઘાત નો. કારણ કે આ રામમંદિરની સુરક્ષા એટલી જડબેસલાક છે કે ભાવિકો ત્યાં નાની પીન થી લઈને પેન પણ નથી લઈ જઈ શક્તા ત્યારે કરોડો રૂપિયા અને સોના-ચાંદીના કિમતી ભેટો અને આભૂષણો કેવી રીતે ગાયબ થઈ શકે તે સવાલ થવા પણ સ્વાભાવિક છે. કારણ કે મંદિર પરિસરમાં 1000 જેટલા CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે. જ્યાં દાનમાં મળેલા પૈસાની ગણતરી કરવામાં આવે છે એ રૂમ અને તેની આસપાસ 15 થી 20 CCTV કેમેરા લાગેલા છે. જે 40 દાનપેટીમાં ભક્તો પૈસા નાખે છે તેની આસપાસ પણ હાઈડેફિનેશન અને 360 ડિગ્રી પર રેકોર્ડ કરનારા કેમેરા લગાવેલા છે. આટલી સુરક્ષા છતા ચોર આસાનીથી રૂપિયા અને દાગીનાની ચોરી કરી લે તે કેવી રીતે શક્ય છે તે મોટો સવાલ છે.

“રામ નામ લૂંટણ કી મનસા, તન મેં ચોરી કી આશ ભગત કહીને ભોળવે, એ તો જમપુરીના દાસ.” દેશ અને દુનિયાભરના કરોડો સનાતનીઓની આસ્થા જેની સાથે જોડાયેલી છે તે રામ મંદિરમાં ચોરી જેવી ઘટના બનશે તે ભાગ્યે જ કોઈએ વિચાર્યુ હશે. એ રામ મંદિર જેના માટે અનેક લોકોએ પ્રાણોની આહુતિ આપી દીધી. સેંકડો વર્ષો સુધી લડાઈઓ લડી, 500 વર્ષ રામ જન્મભૂમિ પર મંદિર બનાવવાના એ સંંકલ્પની જ્યોતને જલાવી રાખી, એ નિશ્ચયને ક્યારેય ડગવા ન દીધો અને જ્યારે અંતે ભક્તોની એ આસ્થાની જીત થઈ. સુપ્રીમ કોર્ટમાંથી રામમંદિર જન્મભૂમિ ટ્રસ્ટની તરફેણમાં ચુકાદો આવ્યો અને મંદિર બનાવવાનો માર્ગ મોકળો થયો. બે વર્ષમાં મંદિર બનીને તૈયાર થયુ. મંદિરમાં જ્યારે ભગવાન શ્રી રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાની ઘડી આવી તો કરોડો સનાતનીઓએ હોંશે હોંશે ખુલ્લા હાથે દાન કર્યુ. દરેકે તેની શક્તિ અને ભક્તિ મુજબ...
