અયોધ્યામાં રામમંદિરનો સંકલ્પ પૂરો થયો, હવે આપણા મનમાં મંદિર બનાવોઃ મોહન ભાગવત
RSS પ્રમુખ મોહન ભાગવતે કહ્યું કે આનંદની ક્ષણ છે. એક સંકલ્પ લીધો હતો. બાલા સાહેબ દેવરસે કહ્યું હતું કે બહુ વર્ષો કામ કરવું પડશે ત્યારે આ સાકાર થશે. ત્રીજા દશકમાં આ સંકલ્પ પૂરો થતો હોવાથી આનંદ છે. અડવાણી પોતાના ઘરે બેસીને આ કાર્યક્રમ જોઈ રહ્યાં છે. પરિસ્થિતને કારણે તેમને બોલાવી શક્યા નથી. સદીઓની આશ આજે […]
RSS પ્રમુખ મોહન ભાગવતે કહ્યું કે આનંદની ક્ષણ છે. એક સંકલ્પ લીધો હતો. બાલા સાહેબ દેવરસે કહ્યું હતું કે બહુ વર્ષો કામ કરવું પડશે ત્યારે આ સાકાર થશે. ત્રીજા દશકમાં આ સંકલ્પ પૂરો થતો હોવાથી આનંદ છે. અડવાણી પોતાના ઘરે બેસીને આ કાર્યક્રમ જોઈ રહ્યાં છે. પરિસ્થિતને કારણે તેમને બોલાવી શક્યા નથી. સદીઓની આશ આજે પૂરી થઈ છે. ભારતને આત્મનિર્ભર બનાવવા માટે આત્મવિશ્વાસની જરૂર હતી તેનો શુભારંભ આજે થઈ રહ્યો છે.
સિયારામસબજગજાની. વસુધવકૌટુમ્બકમ… જગતની માયાની દુવિધામાંથી રસ્તો કાઢીને આ પરમ વૈભવ સંપન્ન, ભારતના નિર્માણનો આજથી પ્રાંરભ થઈ રહ્યો છે. મોહન ભાગવતે સ્વર્ગસ્થ અશોક સિંઘલ અને, પરમહંસદાસજીને યાદ કર્યા. ભવ્ય મંદિર બનશે. તેમાં પ્રક્રિયા પૂર્ણ થઈ છે. જેમનુ જે કામ છે તે કરશે. આપણે મનની અયોધ્યાને સજાવવાની છે. આ ભવ્ય કામ માટે ધર્મ વિગ્રહ મનાય છે તે ધજાને પોતાના ખભે મૂકીને વિશ્વને સંદેશ આપી શકાય. અયોધ્યા પણ બનતી જવી જોઈએ આપણુ મન મંદિર બનવું જોઈએ. તમામ વિકારો, દોષ, શત્રુતાથી મુક્ત હોવું જોઈએ. હ્રદયમાંથી ભેદનો ત્યાગ કરવો. કામ, ક્રોધ, મોહ, માયા,જાત, પાતનો ત્યાગ કરવો પડશે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]