AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વિધાનસભા ચૂંટણી જીતેલા ભાજપના સાંસદોએ 14 દિવસમાં લેવો પડશે આ મોટો નિર્ણય

આ વખતે ભાજપે આ રાજ્યોમાં નવો પ્રયોગ કર્યો છે. ચાર રાજ્યોમાં ભાજપે લોકસભાના સાંસદો અને કેન્દ્રીય મંત્રીઓને પણ ટિકિટો આપી હતી. ભાજપે ચાર રાજ્યોમાં 21 સાંસદોને મેદાને ઉતાર્યા હતા. રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં 7-7, છત્તીસગઢમાં 4 અને તેલંગાણામાં 3 સાંસદો મેદાને ઉતર્યા હતા.

વિધાનસભા ચૂંટણી જીતેલા ભાજપના સાંસદોએ 14 દિવસમાં લેવો પડશે આ મોટો નિર્ણય
Assembly Election
| Updated on: Dec 03, 2023 | 10:31 PM
Share

ચાર રાજ્યોની વિધાનસભા ચૂંટણીનું ચિત્ર લગભગ સ્પષ્ટ થઈ ચૂક્યું છે. જેમાંથી મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં ભાજપ સરકાર બનાવવા જઈ રહી છે. 2018ની ચૂંટણીમાં આ ત્રણેય રાજ્યોમાં ભાજપની હાર થઈ હતી. જો કે, પાછળથી જ્યોતિરાદિત્ય સિંધિયાની મદદથી મધ્યપ્રદેશમાં ફરી સત્તા મેળવવામાં સફળ રહી હતી.

આ વખતે ભાજપે આ રાજ્યોમાં નવો પ્રયોગ કર્યો છે. ચાર રાજ્યોમાં ભાજપે લોકસભાના સાંસદો અને કેન્દ્રીય મંત્રીઓને પણ ટિકિટો આપી હતી. ભાજપે ચાર રાજ્યોમાં 21 સાંસદોને મેદાને ઉતાર્યા હતા. રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં 7-7, છત્તીસગઢમાં 4 અને તેલંગાણામાં 3 સાંસદો મેદાને ઉતર્યા હતા. આ સાંસદોમાં કેન્દ્રીય મંત્રી નરેન્દ્ર સિંહ તોમર, પ્રહલાદ સિંહ પટેલ અને ફગ્ગન સિંહ કુલસ્તે પણ સામેલ છે. આ વિધાનસભા ચૂંટણી જીતનારા સાંસદોએ આગામી 14 દિવસમાં તેમની એક બેઠક છોડવી પડશે.

બંધારણના અનુચ્છેદ 101(2) મુજબ, જો લોકસભાનો કોઈ સભ્ય વિધાનસભાની ચૂંટણી લડે છે અને જીતે છે, તો તેણે નોટિફિકેશન જારી થયાના 14 દિવસની અંદર કોઈ એક ગૃહમાંથી રાજીનામું આપવું પડશે. તે જ રીતે જો કોઈ વિધાનસભાનો સભ્ય લોકસભાનો સભ્ય બને છે, તો તેણે પણ 14 દિવસમાં રાજીનામું આપવું પડશે. જો તે આમ નહીં કરે તો તેની લોકસભાની સદસ્યતા આપોઆપ સમાપ્ત થઈ જશે.

જો લોકસભાનો સભ્ય પણ રાજ્યસભાનો સભ્ય બને છે, તો તેણે સૂચના જારી થયાના 10 દિવસમાં એક ગૃહમાંથી રાજીનામું આપવું પડશે. જેની બંધારણની કલમ 101(1) અને પીપલ્સ એક્ટની કલમ 68(1)માં જોગવાઈ છે.

જો કોઈ વ્યક્તિ બે લોકસભા સીટ પરથી ચૂંટણી લડે છે અને બંનેમાંથી જીતે છે, તો તેણે નોટિફિકેશન જારી થયાના 14 દિવસની અંદર એક સીટ પરથી રાજીનામું આપવું પડશે. આ જ વાત વિધાનસભાની ચૂંટણીમાં પણ લાગુ પડે છે. જો તમે બે સીટ પરથી જીતો છો, તો તમારે 14 દિવસમાં એક સીટ ખાલી કરવી પડશે.

લોકસભાના સભ્યો વિધાનસભામાં શપથ લઈ શકતા નથી

ચૂંટણી પૂરી થયા પછી ચૂંટણી પંચ વિજેતા ઉમેદવારને નોટિફિકેશન બહાર પાડે છે. પરંપરા મુજબ લોકસભાના સભ્ય હોવા પર ધારાસભ્ય પદના શપથ લઈ શકતા નથી. જો તેઓ આમ કરે છે, તો તેમણે આ અંગે લોકસભા અધ્યક્ષને જાણ કરવી પડશે. જો તેમણે લોકસભાના સભ્યપદેથી રાજીનામું ન આપ્યું હોય, તો સૂચના જારી થયાના 14 દિવસની અંદર તેમનું સભ્યપદ આપોઆપ સમાપ્ત થઈ શકે છે.

જો સાંસદ લોકસભા ન છોડે અને ધારાસભ્ય પદેથી રાજીનામું આપે તો ?

જો વિજેતા સાંસદ લોકસભામાંથી રાજીનામું ન આપે અને વિધાનસભ્ય પદ છોડી દે તો તેની બેઠક પર ફરીથી ચૂંટણી યોજવામાં આવશે. 1996માં રિપ્રેઝેન્ટેટિવ્સ ઓફ ધ પીપલ્સ એક્ટમાં સુધારો કરવામાં આવ્યો હતો, જેની કલમ 151A મુજબ ચૂંટણી પંચ માટે ખાલી પડેલી સીટ પર 6 મહિનાની અંદર ચૂંટણી કરાવવાની કાયદાકીય વ્યવસ્થા કરવામાં આવી છે.

આ પણ વાંચો રાજસ્થાનમાં પરત ફરશે મહારાજાઓનું રાજ? જાણો કોણ છે મુખ્યમંત્રીની રેસમાં

આ સાંસદો જે પણ બેઠક પરથી રાજીનામું આપે, 6 મહિનામાં પેટાચૂંટણી યોજવી પડશે. જો તેઓ લોકસભા છોડશે તો લોકસભાની બેઠક પર પેટાચૂંટણી થશે અને જો તેઓ વિધાનસભા છોડશે તો વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી થશે. જો કે, લોકસભા સીટ પર પેટાચૂંટણી થવાની શક્યતા ઓછી છે, કારણ કે થોડા મહિનામાં સામાન્ય ચૂંટણીઓ યોજાવાની છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">