AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gyanvapi Survey Case: ASIની ટીમ જ્ઞાનવાપી મસ્જિદના ભોંયરામાં પહોંચી, હિન્દુ પક્ષનો દાવો, 4 ફૂટની મૂર્તિ, કલશ અને ત્રિશુલ મળ્યા

વહીવટીતંત્રના હસ્તક્ષેપ પછી, મસ્જિદના કેરટેકર એજાઝ અહેમદે થોડા સમય પહેલા ભોંયરાના તાળા ખોલ્યા અને પછી સર્વે ટીમ ભોંયરામાં પ્રવેશી હતી.

Gyanvapi Survey Case: ASIની ટીમ જ્ઞાનવાપી મસ્જિદના ભોંયરામાં પહોંચી, હિન્દુ પક્ષનો દાવો, 4 ફૂટની મૂર્તિ, કલશ અને ત્રિશુલ મળ્યા
Image Credit source: Google
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 05, 2023 | 2:42 PM
Share

Gyanvapi Survey Case: જ્ઞાનવાપી કેમ્પસના ASI સર્વેનો આજે બીજો દિવસ છે, સવારથી ASIની ટીમ રેડિયેશન ટેકનિક દ્વારા મસ્જિદ સંકુલની તપાસ કરી રહી છે. દરમિયાન આજે વહીવટીતંત્રની દખલગીરી બાદ અહીંનું ભોંયરું ખોલવામાં આવ્યું છે. મસ્જિદના કેરટેકર એજાઝ અહેમદે થોડા સમય પહેલા ભોંયરાના તાળા ખોલ્યા હતા. જે બાદ ASIની ટીમ ભોંયરામાં અંદર પ્રવેશી છે. ટીમ વેરહાઉસ સિવાય દરેક જગ્યાએ જીણવટભરી તપાસ કરી રહી છે.

આ પણ વાંચો: Four Years of Article 370: કલમ 370 હટાવ્યાની આજે ચોથી વર્ષગાંઠ, 8 ઓગસ્ટે SCમાં ફરી સુનાવણી, જાણો અપડેટ

શનિવારે જ્ઞાનવાપીના સર્વે દરમિયાન વહીવટીતંત્રે ભોંયરું ખોલવા જણાવ્યું હતું, શરૂઆતમાં અંજુમન વ્યવસ્થા સમિતિએ ભોંયરાની ચાવી આપી ન હતી, પરંતુ વહીવટીતંત્રની દખલગીરી બાદ મસ્જિદના કેરટેકર એજાઝ અહેમદે તાળું ખોલ્યું હતું. સર્વે કરનાર ટીમ ભોંયરામાં પ્રવેશી હતી. ASIની ટીમ અહીં તમામ બાબતોની જીણાવટથી તપાસ કરી રહી છે. ASI સર્વે ટીમનું માનવું છે કે ભોંયરામાં મહત્વપૂર્ણ તથ્યો છુપાયેલા છે.

ભોંયરામાં મૂર્તિઓ અને ત્રિશુલ મળી આવ્યા

ભોંયરુંનું તાળું ખોલ્યા પછી, હિન્દુ પક્ષ સાથે સંકળાયેલા સૂત્રોએ દાવો કર્યો છે કે ભોંયરામાં ચાર ફૂટની મૂર્તિ મળી છે, જેના પર કેટલીક કલાકૃતિઓ છે. ASI તેના હાઇટેક ઇન્સ્ટ્રુમેન્ટ દ્વારા મૂર્તિનો સમયગાળો શોધી રહી છે. સૂત્રોનું માનીએ તો, મૂર્તિ સિવાય બે ફૂટનું ત્રિશૂલ પણ મળી આવ્યું છે, તેમજ દિવાલ પર પાંચ કલશ અને કમળના નિશાન પણ મળી આવ્યા છે.

વજુખાનાને બાદ કરતાં આજે પણ જ્ઞાનવાપીમાં સર્વેની કાર્યવાહી કરવામાં આવી રહી છે. ગઈકાલથી અત્યાર સુધી મસ્જિદના રકબા નંબર 9130ના બેરિકેડેડ વિસ્તારમાં સર્વેની કામગીરી ચાલી રહી હતી. હવે ASIની ટીમ પણ ભોંયરામાં પહોંચી ગઈ છે.

ચાર ટીમો સર્વે કરી રહી છે

ASIએ આજે ​​પણ સર્વે માટે ચાર ટીમો બનાવી છે. બે ટીમોએ કેમ્પસની પશ્ચિમી દિવાલની તપાસ શરૂ કરી છે, એક ટીમ પૂર્વીય દિવાલની તપાસ કરી રહી છે અને એક ટીમને ઉત્તરીય દિવાલ અને આસપાસના વિસ્તારોની તપાસ માટે નિયુક્ત કરવામાં આવી છે. બિલ્ડીંગની બહારની દિવાલોની આસપાસ જીપીઆરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. સર્વે દરમિયાન જ્ઞાનવાપીમાં મુસ્લિમ પક્ષના 9 અને હિન્દુ પક્ષના 7 લોકો હાજર છે. મુસ્લિમ પક્ષના વકીલે ASI પર આરોપ લગાવ્યો છે કે ASIએ અમને સર્વેની નોટિસ પણ આપી નથી. સર્વે દરમિયાન આજે મુસ્લિમ પક્ષના લોકો પણ પહોંચ્યા હતા. અગાઉ શુક્રવારે સર્વે દરમિયાન મુસ્લિમ પક્ષે ભાગ લીધો ન હતો.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, તમે સહેલાઈથી બધાનું ધ્યાન ખેંચી શકશો
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, તમે સહેલાઈથી બધાનું ધ્યાન ખેંચી શકશો
અલ-નીનો સંકટ વચ્ચે ભૂપેન્દ્ર યાદવનું મોટું નિવેદન, જુઓ Video
અલ-નીનો સંકટ વચ્ચે ભૂપેન્દ્ર યાદવનું મોટું નિવેદન, જુઓ Video
મુખ્ય પ્રધાને યુવતીને કહ્યું, તારી જવાબદારી અમારી, જુઓ વીડિયો
મુખ્ય પ્રધાને યુવતીને કહ્યું, તારી જવાબદારી અમારી, જુઓ વીડિયો
ઓપરેશન ડેલ્ટા હન્ટમાં ઝડપાયેલી મહિલાને બચાવવા પતિએ PMને લખ્યો પત્ર
ઓપરેશન ડેલ્ટા હન્ટમાં ઝડપાયેલી મહિલાને બચાવવા પતિએ PMને લખ્યો પત્ર
અંબાલાલ પટેલ હવે નહીં કરે આગાહી?વિરોધ બાદ હવામાન વિભાગે કહી આ મોટી વાત
અંબાલાલ પટેલ હવે નહીં કરે આગાહી?વિરોધ બાદ હવામાન વિભાગે કહી આ મોટી વાત
મોલ, મલ્ટીપ્લેક્સ, હોટેલ, હોસ્પિટલમાં ડિજિટલ લોક હટાવવા આદેશ
મોલ, મલ્ટીપ્લેક્સ, હોટેલ, હોસ્પિટલમાં ડિજિટલ લોક હટાવવા આદેશ
રાજ્યમાં બ્રાન્ડેડ વોશિંગ પાઉડરનું પણ નકલી વેચાણ પકડાયું ! જુઓ Video
રાજ્યમાં બ્રાન્ડેડ વોશિંગ પાઉડરનું પણ નકલી વેચાણ પકડાયું ! જુઓ Video
ભરૂચમાં 25 દિવસના પાણીકાપ પછી 20 જૂનથી બે વાર પાણી મળશે
ભરૂચમાં 25 દિવસના પાણીકાપ પછી 20 જૂનથી બે વાર પાણી મળશે
આજનું રાશિફળ: ધનલાભના યોગ સાથે સાવચેતી અને સમજદારી જરૂરી
આજનું રાશિફળ: ધનલાભના યોગ સાથે સાવચેતી અને સમજદારી જરૂરી
ભાવનગર-સોનગઢમાં વરસાદી માહોલ, ખેડૂતોમાં ખુશીનો માહોલ
ભાવનગર-સોનગઢમાં વરસાદી માહોલ, ખેડૂતોમાં ખુશીનો માહોલ
g clip-path="url(#clip0_868_265)">